android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
અનંત અંબાણી માટે આસ્થા, નેતૃત્વ અને વન્યજીવ સંરક્ષણનો અનોખો સંગમ રહ્યું વર્ષ 2025

calendar_todayJanuary 2, 2026

અનંત અંબાણી માટે આસ્થા, નેતૃત્વ અને વન્યજીવ સંરક્ષણનો અનોખો સંગમ રહ્યું વર્ષ 2025

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણી માટે વર્ષ 2025 એ માત્ર વ્યાવસાયિક સફળતાનું જ નહીં, પરંતુ અતૂટ શ્રદ્ધા અને નિઃસ્વાર્થ સેવાનું વર્ષ રહ્યું છે. આ વર્ષે તેમણે પોતાની આધ્યાત્મિક અને સામાજિક જવાબદારીઓ વચ્ચે એક અદભૂત સંતુલન જાળવીને નવો આદર્શ પ્રસ્થાપિત કર્યો છે.

જનસેવા પ્રત્યેની કટિબદ્ધતા

આધ્યાત્મિક પદયાત્રા અને જનસેવા વર્ષની શરૂઆત જામનગરથી દ્વારકા સુધીની 140 કિલોમીટરની કઠિન પદયાત્રાથી થઈ હતી. 'સેવા' અને 'સમર્પણ'ના ભાવ સાથે થયેલી આ યાત્રાએ લાખો યુવાનોને પ્રેરણા આપી હતી. આ ઉપરાંત, પ્રયાગરાજ ખાતેના મહાકુંભ દરમિયાન તેમણે મોટા પાયે શ્રદ્ધાળુઓ માટે કલ્યાણકારી યોજનાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવી, જે તેમની જનસેવા પ્રત્યેની કટિબદ્ધતા દર્શાવે છે.

વન્યજીવોના પુનર્વસન અને કલ્યાણ માટે વૈશ્વિક બેન્ચમાર્ક બની ગયો છે વંતારા

વૈશ્વિક ફલક પર ગૌરવ અનંત અંબાણીના ડ્રીમ પ્રોજેક્ટ 'વંતારા' (Vantara) માટે 2025નું વર્ષ ઐતિહાસિક રહ્યું છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ વન્યજીવ સંરક્ષણ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વંતારાએ માત્ર રાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત કરી એટલું જ નહીં, પરંતુ વિશ્વભરની જાણીતી હસ્તીઓએ અહીંની મુલાકાત લઈને ભારતના સંરક્ષણ મોડેલની પ્રશંસા કરી. આ પ્રોજેક્ટ આજે વન્યજીવોના પુનર્વસન અને કલ્યાણ માટે વૈશ્વિક બેન્ચમાર્ક બની ગયો છે.


==" target="_blank">

==


પ્રેમના ત્રિવેણી સંગમ સમાન સાબિત થયું વર્ષ

નેતૃત્વ અને વિઝન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે, તેમણે ઉદ્યોગ જગતમાં પોતાની આગવી ઓળખ મજબૂત કરી છે. તેમની આગેવાની હેઠળ રિલાયન્સના ગ્રીન એનર્જી અને કોર્પોરેટ સામાજિક જવાબદારીના પ્રોજેક્ટ્સને નવી ગતિ મળી છે. આમ, 2025નું વર્ષ અનંત અંબાણી માટે ભક્તિ, શક્તિ અને પર્યાવરણ પ્રત્યેના પ્રેમના ત્રિવેણી સંગમ સમાન સાબિત થયું છે.


આ પણ વાંચો - અનંત અંબાણીએ લિયોનેલ મેસ્સીને ભેટમાં આપી એવી ઘડિયાળ, જેના દુનિયામાં માત્ર 12 જ પીસ છે, કિંમત જાણીને હોશ ઉડી જશે!