android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ambaji માં ભક્તિનો મહાકુંભ, 30 જાન્યુઆરીથી શરૂ થશે ભવ્ય '51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ'

calendar_todayJanuary 7, 2026

Ambaji માં ભક્તિનો મહાકુંભ, 30 જાન્યુઆરીથી શરૂ થશે ભવ્ય '51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ'

યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બરના ડુંગર પર નિર્મિત 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આગામી 30 જાન્યુઆરીથી આ બે દિવસીય મહોત્સવની ધામધૂમથી શરૂઆત થશે, જેમાં લાખોની સંખ્યામાં માઈભક્તો ઉમટી પડે તેવી શક્યતા છે. આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય શ્રદ્ધાળુઓને એક જ સ્થળે તમામ 51 શક્તિપીઠોના દર્શન કરાવવાનો અને આધ્યાત્મિક ભાવ જગાડવાનો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પરિક્રમા પથ પર વિશેષ સુવિધાઓ અને ભક્તિમય વાતાવરણ ઉભું કરવામાં આવશે.

શાળાઓ માટે ખાસ આમંત્રણ

પરિક્રમા મહોત્સવને વધુ વ્યાપક બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા રાજ્યની શાળાઓને પણ એક દિવસના શૈક્ષણિક અને ધાર્મિક પ્રવાસ માટે ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આનાથી વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિ અને શક્તિપીઠોના ઇતિહાસથી માહિતગાર થઈ શકશે. મહોત્સવ દરમિયાન ગબ્બર વિસ્તારમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ધાર્મિક વિધિઓનું પણ આયોજન કરવામાં આવશે. આ આયોજનને સફળ બનાવવા માટે બનાસકાંઠા કલેક્ટર અને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો : Morbi News : હળવદમાં હિટ એન્ડ રન, દેવાળિયા નજીક રસ્તો ક્રોસ કરતા વૃદ્ધને અજાણ્યા વાહને કચડ્યા