calendar_todaySeptember 2, 2026
Ayodhya રામ મંદિરના CEOને મળશે લાખોની સેલેરી? જાણો પગારથી લઈને ખાસ સુવિધાઓ
એર માર્શલ જીતેન્દ્ર મિશ્રાને બુધવાર (2 સપ્ટેમ્બર)ના રોજ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રથમ મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એર માર્શલ જીતેન્દ્ર મિશ્રા (SYSM, AVSM, VSM) ભારતીય વાયુસેનાના નિવૃત્ત એર ઓફિસર છે. તેમણે વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ તરીકે સેવા આપી છે. એર માર્શલ જીતેન્દ્ર મિશ્રા રામ મંદિરના CEO બન્યા બાદ કેટલી સેલેરી અને સુવિધાઓ મળશે? તેમને એરફોર્સમાં સેવા દરમિયાન કેટલી સેલેરી મળતી હતી? ચાલો જાણીએ વિગતે
કોણ છે એર માર્શલ જીતેન્દ્ર મિશ્રા?
38 વર્ષથી વધુના પોતાના સર્વિસ કરિયરમાં એર માર્શલ જીતેન્દ્ર મિશ્રાએ અનેક મહત્વપૂર્ણ કમાન્ડ અને સ્ટાફ પદો પર કામ કર્યું છે. તેમાં ફાઈટર સ્ક્વોડ્રનના કમાન્ડિંગ ઓફિસર, એરક્રાફ્ટ એન્ડ સિસ્ટમ્સ ટેસ્ટિંગ એસ્ટેબ્લિશમેન્ટ (ASTE)માં ચીફ ટેસ્ટ પાઈલટ, બે ફ્રન્ટલાઈન એર બેઝના એર ઓફિસર કમાન્ડિંગ, ડાયરેક્ટર (ઓપરેશનલ પ્લાનિંગ એન્ડ એસેસમેન્ટ ગ્રુપ), પ્રિન્સિપલ ડાયરેક્ટર (ASR) અને એર HQ (VB)માં આસિસ્ટન્ટ ચીફ ઓફ એર સ્ટાફ (પ્રોજેક્ટ્સ), ASTEના કમાન્ડન્ટ અને ઈન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ (ડોક્ટ્રિન, ઓર્ગેનાઈઝેશન અને ટ્રેનિંગ)ના ડેપ્યુટી ચીફ જેવા પદો સામેલ છે. વર્તમાન પદ સંભાળતા પહેલા તેઓ ઈન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ (ઓપરેશન્સ)ના ડેપ્યુટી ચીફ હતા. તેમને ‘અતિ વિશિષ્ટ સેવા મેડલ’ અને ‘વિશિષ્ટ સેવા મેડલ’થી સન્માનિત કરવામાં આવ્યા છે.
રામ મંદિર CEOની સેલેરી અને અન્ય ભથ્થાં શું હશે?
રામ મંદિરના CEO તરીકે એર માર્શલ પદેથી નિવૃત્ત વ્યક્તિની નિમણૂક કરવામાં આવી છે. આવી સ્થિતિમાં સેલેરી પેકેજ હાઈ-લેવલ એક્ઝિક્યુટિવ સ્ટાન્ડર્ડ્સ અનુસાર નક્કી કરવામાં આવી શકે છે. એક્ઝિક્યુટિવ પેકેજમાં અયોધ્યામાં રહેવાની સુવિધા, સરકારી ગાડી, એડમિનિસ્ટ્રેટિવ સિક્યોરિટી અને અન્ય ભથ્થાં પણ સામેલ થઈ શકે છે. રામ મંદિર CEOની સેલેરી અને સુવિધાઓ મંદિરના રોજિંદા કામકાજ, અનેક એજન્સીઓ સાથે મળીને સુરક્ષાની વ્યવસ્થા, લાખો ભક્તોની ભીડને સંભાળવા અને ટ્રસ્ટના નાણાંનું સંચાલન કરવા જેવી મોટી જવાબદારીઓને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવશે.
પહેલાં કેટલી મળતી હતી સેલેરી?
ભારતીય વાયુસેનામાં એક એર માર્શલને આશરે ₹1,82,200 પ્રતિ મહિનો (સેલેરી લેવલ-15)નું મૂળ વેતન મળે છે, જેમાં મોંઘવારી ભથ્થું (DA), ટ્રાન્સપોર્ટ એલાઉન્સ અને મિલિટરી સર્વિસ પે (MSP) જેવા ભથ્થાં સામેલ નથી. જો ભથ્થાંની વાત કરીએ તો એર માર્શલને સેલેરીની સાથે મોંઘવારી ભથ્થું, મકાન ભાડું ભથ્થું (જો સત્તાવાર આવાસ આપવામાં આવ્યો ન હોય) અને પોસ્ટિંગના આધારે હાઈ એલ્ટિટ્યુડ અથવા ફ્લાઈંગ એલાઉન્સ પણ આપવામાં આવે છે. નિવૃત્તિ બાદ આ રેન્કના અધિકારીઓને અન્ય અનેક પ્રકારના રિટાયરમેન્ટ બેનિફિટ્સ પણ મળે છે.
આ પણ વાંચો: રિટાયર્ડ એર માર્શલ જીતેન્દ્ર મિશ્ર રામ મંદિરના CEO, 3 ટ્રસ્ટીઓની પણ જાહેરાત