android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Chhota Udepur: અનાજ કરિયાણાની 15 પેઢીમાં તપાસ, 60 કિલો જથ્થાનો નાશ કરાયો

calendar_todaySeptember 2, 2026

Chhota Udepur: અનાજ કરિયાણાની 15 પેઢીમાં તપાસ, 60 કિલો જથ્થાનો નાશ કરાયો

છોટાઉદેપુર જિલ્લાની આર્થિક રાજધાની ગણાતા બોડેલી નગરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે મળેલી જાહેર ફરિયાદોના પગલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તથા છોટાઉદેપુર SOGની ટીમ દ્વારા અનાજ-કરિયાણાની પેઢીઓમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહીથી વેપારીઓમાં ફ્ફ્ડાટ ફેલાયો હતો.

જાણવા મળ્યા મુજબ, ટીમ દ્વારા ખત્રી બ્રધર્સ, દીપક ટ્રેડર્સ, ખત્રી કિરાણા સ્ટોર, રાધે ટ્રેડર્સ, ગિરધારીલાલ એન્ડ સન્સ, સહકાર ટ્રેડર્સ, શક્તિ કિરાણા, રાજ કિરાણા સ્ટોર સહિત કુલ 15 જેટલી પેઢીઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખાદ્ય તેલ, ફરસાણ, ખજૂર, દાળ, સ્પાઇસીસ સહિત વિવિધખાદ્ય પદાર્થોની ગુણવત્તા તેમજ સ્વચ્છતાની ચકાસણી કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન દાળ અને સ્પાઇસીસ સહિતનો આશરે 60 કિલો શંકાસ્પદ/અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો, બોડેલી નગરમાં મોડી સાંજ સુધી ચાલેલી આ કાર્યવાહીમાં શંકાસ્પદ અખાધ જથ્થાની અંદાજિત કિંમત રૂ.7,800 હોવાનું જાણવા મળ્યું છે. અધિકારીઓ દ્વારા નિયમ મુજબ આ જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત ખાદ્ય તેલ, ખજૂર સહિતના અન્ય ખાદ્ય પદાર્થોના નમૂનાઓ પણ લેવામાં આવ્યા છે. આ નમૂનાઓ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તેથી સંબંધિત ખાદ્ય પદાર્થો ખરેખર ગુણવત્તાવિહીન છે કે નહીં તેની અંતિમ સ્થિતિ લેબોરેટરી રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો