android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Jamnagar નજીક ટુરિસ્ટ બસને નડ્યો અકસ્માત, 36 પેસેન્જરને સુરક્ષિત બહાર કાઢાયા, અડાલજથી જામનગર તરફ જઈ રહી હતી બસ

calendar_todayJanuary 20, 2026

Jamnagar નજીક ટુરિસ્ટ બસને નડ્યો અકસ્માત, 36 પેસેન્જરને સુરક્ષિત બહાર કાઢાયા, અડાલજથી જામનગર તરફ જઈ રહી હતી બસ

જામનગર નજીક ખીજડીયા બાયપાસ પર ટુરિસ્ટ બસને અકસ્માતનો સામનો કરવો પડ્યો છે. ઘટનામાં બસ અને ઓક્સિજન ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો જેના કારણે બસ રોડની નીચે ઉતરી ગઈ હતી.

બસમાં સવાર 36 પેસેન્જરને સુરક્ષિત બહાર કાઢ્યા

આ અકસ્માત ખીજડીયા બાયપાસ પાસે સર્જાયો હતો. બસમાં 36 સવાર પેસેન્જરો સવાર હતા, જેમને તાત્કાલિક મદદથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.

બસ અડાલજ તરફથી જામનગર તરફ જઈ રહી હતી

જો કે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ બસમાં બેઠા લોકોમાં ભારે ગભરાટ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોએએ તત્કાળ બસમાંથી લોકોને બહાર કાઢ્યા હતા.


આ પણ વાંચો----   Ahmedabadમાં વધુ એક મેગા ડિમોલિશન, વટવાનું વાનર વટ તળાવ ખાલી કરાશે, 500થી વધુ કાચા પાકા બાંધકામને તોડી પડાશે