calendar_todayJanuary 5, 2026
Kochrab Ashram Controversy: કોચરબ આશ્રમમાં લગ્ન પ્રસંગે ડીજે વાગતા વિવાદ, જાણો ગાંધીજીના આ આશ્રમનું મહત્વ
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી. આઝાદીના ઐતિહાસિક સ્મારક સમી આ ધરોહર અત્યારે વિવાદમાં આવી છે. જ્યાં 'વૈષ્ણવજન'ની ગુંજ હતી, જયાંની દિવાલો ગાંધીજી અને આઝાદીના ભવ્ય વારસો કહી રહી છે, એવા સ્થાન પર ફિલ્મી ગીતો અને ડીજેના તાલે લોકો ઝૂમ્યા હતા. આ કિસ્સો પ્રકાશમાં આવતા લઈ ગાંધીવાદીઓ રોષ ભરાયા છે.