android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Pakistanમાં 100 વર્ષ જૂનું હિન્દુ મંદિર તોડાયું, ભારતે વ્યક્ત કર્યો રોષ

calendar_todaySeptember 2, 2026

Pakistanમાં 100 વર્ષ જૂનું હિન્દુ મંદિર તોડાયું, ભારતે વ્યક્ત કર્યો રોષ

Pakistanમાં લગભગ 100 વર્ષ જૂના હિન્દુ મંદિરને તોડી પાડવામાં આવ્યાના મામલે ભારતે કડક પ્રતિક્રિયા આપી છે. ભારતના વિદેશ મંત્રાલયે આ ઘટનાની નિંદા કરી છે અને પાકિસ્તાન સરકારને સમગ્ર મામલાની તાત્કાલિક અને પારદર્શક તપાસ કરાવવાની માંગ કરી છે.

વિદેશ મંત્રાલયે શું કહ્યું?

વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસવાલે પાકિસ્તાનના નરોવાલ જિલ્લાના સિરાજ ગામમાં આવેલા ઐતિહાસિક હિન્દુ મંદિરને નષ્ટ કરવાના અહેવાલો અંગે ભારતનું વલણ સ્પષ્ટ કર્યું હતું. રણધીર જયસવાલે કહ્યું કે, સદી જૂના લઘુમતી સમુદાયના પૂજા સ્થળ સામે કરવામાં આવેલી તોડફોડની આ નિંદનીય ઘટનાની ભારત સ્પષ્ટપણે નિંદા કરે છે. તેમણે કહ્યું કે આ ઘટનાને લઈને ભારતે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

પાકિસ્તાનના અધિકારીઓ સામે પણ સવાલ

ભારતે મંદિરની સુરક્ષા કરવામાં પાકિસ્તાનના અધિકારીઓની કથિત નિષ્ફળતા સામે પણ સવાલ ઉઠાવ્યા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે સદી જૂના મંદિરની સુરક્ષા કરવામાં અધિકારીઓની ઉદાસીનતા અને નિષ્ફળતા ચિંતાજનક છે. ભારતે કહ્યું કે આવી ઘટનાઓ પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયોની સુરક્ષા અને તેમની ધાર્મિક સ્વતંત્રતા અંગે ગંભીર સવાલો ઉભા કરે છે. સાથે જ તેમના પૂજા સ્થળોની સુરક્ષા અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે.

ભારતે પાકિસ્તાન પાસે શું માંગ્યું?

ભારતે પાકિસ્તાન સરકારને આ ઘટનાની તાત્કાલિક અને પારદર્શક તપાસ કરાવવાની માંગ કરી છે. આ ઉપરાંત મંદિર તોડવા માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરી તેમની જવાબદારી નક્કી કરવા પણ ભારતે કહ્યું છે. વિદેશ મંત્રાલયે પાકિસ્તાનને નુકસાન પામેલા મંદિરને ફરીથી યોગ્ય રીતે બહાલ કરવા માટે તાત્કાલિક પગલાં લેવા પણ અપીલ કરી છે. ભારતે સ્પષ્ટ કહ્યું છે કે પાકિસ્તાન સરકારની પોતાની તમામ લઘુમતી નાગરિકોની સુરક્ષા અને કલ્યાણ સુનિશ્ચિત કરવાની જવાબદારી છે. ભારતે માત્ર લઘુમતી નાગરિકોની જ નહીં, પરંતુ તેમની ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાની પણ સુરક્ષા કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

શું છે સમગ્ર મામલો?

ભારતની આ પ્રતિક્રિયા પાકિસ્તાનના નરોવાલ જિલ્લામાં આવેલા સિરાજ ગામમાં લગભગ 100 વર્ષ જૂના ઐતિહાસિક હિન્દુ મંદિરને કથિત રીતે નષ્ટ કરવામાં આવ્યાના અહેવાલો બાદ આવી છે. ભારતે આ ઘટનાને ગંભીર ગણાવીને પાકિસ્તાન સરકાર પાસે તાત્કાલિક તપાસ, જવાબદારો સામે કાર્યવાહી અને મંદિરની પુનઃસ્થાપનાની માંગ કરી છે.

આ પણ વાંચો: અહી પૂજા વગર દહેરાદૂનમા પ્રવેશતી નથી ગાડી, માતા કાળી સતત રક્ષા કરે