android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Petrol Diesel Price: ઈંધણના વિન્ડફોલ ટેક્સમાં વધારો, રોજિંદા ભાવમાં કોઈ અસર નહીં, દિલ્હીમાં ઈંધણના દર યથાવત

calendar_todaySeptember 2, 2026

Petrol Diesel Price: ઈંધણના વિન્ડફોલ ટેક્સમાં વધારો, રોજિંદા ભાવમાં કોઈ અસર નહીં, દિલ્હીમાં ઈંધણના દર યથાવત

કેન્દ્ર સરકારે 1 સપ્ટેમ્બર 2026થી અમલમાં આવે તે રીતે પેટ્રોલના નિકાસ પર વિન્ડફોલ ટેક્સ વધારીને 1.50 પ્રતિ લિટર કરી દીધો છે.સરકારે ડીઝલની નિકાસ પર પણ શુલ્કમાં 1નો વધારો કરીને તેને 25 પ્રતિ લિટર કર્યો છે.આ ફેરફારો બાદ આજે બુધવાર 2 સપ્ટેમ્બરે સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા દરો જાહેર કર્યા છે.દિલ્હીમાં આજે 2 સપ્ટેમ્બરે 1 લિટર ઇથેનોલ વગરના પેટ્રોલની કિંમત 167.35 પ્રતિ લિટર છે.જ્યારે E5 પેટ્રોલનો ભાવ 109.24 અને E20 પેટ્રોલનો ભાવ ₹102.12 પ્રતિ લિટર નોંધાયો છે.

નવી દર જોગવાઈ માત્ર વિદેશી નિકાસ પર જ લાગુ થશે

બંને ઈંધણના સામાન્ય ભાવમાં કોઈ જ ફેરફાર થયો નથી કારણ કે વિન્ડફોલ ટેક્સ માત્ર નિકાસ પર લાગુ કરવામાં આવે છે.આ ટેક્સ વધારાની ઘરેલુ વેચાણ કે સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર કોઈ જ માઠી અસર પડશે નહીં.સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશની અંદર વપરાશમાં લેવાતા પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીના વર્તમાન દરો યથાવત રાખવામાં આવ્યા છે.તેથી આ નવી દર જોગવાઈ માત્ર વિદેશી નિકાસ પર જ લાગુ થશે.અગાઉ 15 ઓગસ્ટની સમીક્ષા દરમિયાન પેટ્રોલના નિકાસ પરનો આ ટેક્સ શૂન્ય કરી દેવાયો હતો. 

1.50નો ટેક્સ SAED તરીકે વસૂલવામાં આવશે

મંગળવારે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ એટલે કે વિમાનના ઈંધણના નિકાસ પર ટેક્સ 50 પૈસા ઘટાડીને 19 પ્રતિ લિટર કરવામાં આવ્યો છે.સરકારની નવીનતમ સમીક્ષા મુજબ પેટ્રોલ પર લાગતો પૂરો 1.50નો ટેક્સ SAED તરીકે વસૂલવામાં આવશે.જ્યારે ડીઝલ પરના 25ના કુલ શુલ્કમાં 24 SAED અને 1 રોડ એન્ડ ઇન્ફ્રા સેસ તરીકે લાગુ થશે.ATF પરનો તમામ ₹19નો ચાર્જ SAED હેઠળ રહેશે.

દર 15 દિવસે થાય છે સમીક્ષા

પેટ્રોલિયમ ઉત્પાદનોના નિકાસ પર આ શુલ્ક સૌપ્રથમ 27 માર્ચ 2026ના રોજ લાગુ કરવામાં આવ્યા હતા.સરકાર દર પંદર દિવસે આ દરોની સમીક્ષા કરે છે.આ ફેરફાર આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ, પેટ્રોલ, ડીઝલ અને ATFની સરેરાશ કિંમતોના આધારે નક્કી થાય છે.અગાઉ 15 ઓગસ્ટે ડીઝલ પર 24 અને ATF પર 19.50નો દર હતો.સરકારના જણાવ્યા મુજબ,પશ્ચિમ એશિયાના સંકટ વચ્ચે દેશની અંદર બળતણની પૂરતી ઉપલબ્ધતા જાળવી રાખવા અને નિકાસને પ્રોત્સાહિત ન કરવા માટે આ નીતિ અમલમાં મૂકવામાં આવી છે.

આ પણ વાંચોઃ Business News : રેલવે કંપનીને મળ્યો 1100 કરોડ રૂપિયાનો આંતરરાષ્ટ્રીય ઓર્ડર, શેરમાં આવ્યો 7 ટકાનો ઉછાળો