calendar_todaySeptember 5, 2026
PM Modi મળ્યા રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર વિજેતા શિક્ષકોને.. જુઓ તસવીરો
આજે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ છે. ત્યારે પીએમ મોદી ગઇ કાલે 7 લોક કલ્યાણ માર્ગ ખાતે પોતાના નિવાસ સ્થાને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર વિજેતાઓને મળ્યા હતા. તેમની સાથેની વાતચીત દરમિયાન, પીએમ મોદીએ ટિપ્પણી કરી કે શિક્ષણ ફક્ત પુસ્તકો અને વર્ગખંડો સુધી મર્યાદિત નથી. તેમણે કહ્યું કે શિક્ષકોએ બાળકોને વધુ સારી રીતે સમજવું જોઈએ અને તેમના રોજિંદા જીવનને લગતા મુદ્દાઓનો સામનો કરવામાં મદદ કરવી જોઈએ.