calendar_todayJanuary 23, 2026
Republic Day 2026: છેલ્લા 5 વર્ષમાં દિલ્હીના કર્તવ્ય પથ પર જોવા મળેલી ગુજરાતની શાનદાર ઝાંખીઓ, જુઓ સુંદર તસવીર
ભારતમાં 77મો ગણતંત્ર દિવસની જોરશોરથી તૈયારીઓ થઈ રહી છે. દિલ્હીમાં કર્તવ્ય (રાજઘાટ) પથ પર 26 જાન્યુઆરી, 2026 ના રોજ પ્રજાસત્તાક દિવસ ઉજવાશે. દિલ્હીમાં થતી પરેડને લઈને અત્યારે ફુલ રિહર્સલ ચાલી રહ્યું છે. પ્રજાસત્તાક દિવસે દિલ્હીમાં ત્રણેય સેના દ્વારા પરેડ અને હવાઇ પ્રદર્શન પણ થશે. આ ઉપરાંત વિવિધ રાજ્યોના ટેબ્લોની સુંદર ઝાંખી પણ પ્રદર્શિત કરવામાં આવશે. છેલ્લા કેટલાક વર્ષથી ગુજરાતની ઝાંખીને વધુ પસંદ કરવામાં આવી રહી છે. દિલ્હી પરેડમાં પ્રદર્શિત થતી ઝાંખીમાં ગુજરાતની શાન જોવા મળે છે. જાણો છેલ્લા 5 વર્ષમાં દિલ્હીના કર્તવ્ય પથ પર ગુજરાતની કઈ-કઈ ઝાંખી રજૂ કરવામાં આવી. આ વર્ષ 2026માં ગુજરાત દ્વારા વંદે માતરમ થીમ પર ઝાંખી પ્રદર્શિત કરવામાં આવશે.