calendar_todayJanuary 1, 2026
Surendranagar: છાંટોપાણી કરનારા 27 લોકઅપ ભેગા થયા
સુરેન્દ્રનગર જિલ્લામાં એસપી પ્રેમસુખ ડેલુના સીધા માર્ગદર્શન નીચે તા. 31ના રોજ રાત્રે દારૂ પીધેલાઓને પકડવા ખાસ આયોજન કરાયુ હતુ. જેમાં જિલ્લાની હદે આવેલા મહત્વના સ્થળોએ 8 ચેકપોસ્ટ બનાવાઈ હતી. જયારે શહેરી વિસ્તારમાં 32 સ્થળે વાહન ચેકીંગના પોઈન્ટ બનાવાયા હતા. જેમાં 1 એએસપી, 1 પ્રોબેશનલ આઈપીએસ, 4 ડીવાયએસપી, 15 પીઆઈ, 36 પીએસઆઈ, 620 પોલીસ કર્મી, 370 હોમગાર્ડ જવાનો બુધવાર સાંજથી જ કામે લાગ્યા હતા. અને ચેકપોસ્ટ પર તૈનાત થઈ તમામ વાહનચાલકોને ઉભા રાખી તપાસ કરાતી હતી. આ ઉપરાંત તેમના વાહન પણ ચેક કરાતા હતા. આ કાર્યવાહીમાં તા. 31મીએ રાત્રે પીધેલી હાલતમાં નીકળનાર 27 શખ્સો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. જેમાં ધ્રાંગધ્રાના હરીપર રોડ પરથી હાઉસીંગ બોર્ડમાં રહેતો ઈમરાન નુરઅલીભાઈ મોવર, થાન રેલવે સ્ટેશનથી ભરત રામજીભાઈ કમેઝળીયા, સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનથી ધ્રાંગધ્રાનો રાકેશ છોટુલાલ ઢીમર, આશુતોષ બાબુલાલ કોલ, વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં આવેલા સીધ્ધીનગરમાં રહેતો બળવંત ઉર્ફે શની જગદીશભાઈ પરમાર, વઢવાણ મેળાના મેદાન પાસેથી નાના કેરાળાનો મહેન્દ્ર ઈન્દુભાઈ મંદોરીયા, માલવણ ચોકડી પાસેથી બજાણાનો વિજય બાબુભાઈ પોરડીયા, ધ્રાંગધ્રાના હળવદ રોડ પર આવેલા મયુરનગર પાસેથી ચકલાપામાં રહેતો જયપાલસિંહ ઘનશ્યામસિંહ ઝાલા, રતનપર માળોદ ચોકડી પાસેથી વઢવાણ ખારવાની પોળ મનસુરી વિસ્તારમાં રહેતો પરવેઝ મહમદભાઈ વંથલા, લીંબડી તાલુકાના લીયાદનો રોહીત રાજેશભાઈ માણસુરીયા, મુળીના સરલામાંથી સંજય ધીરૂભાઈ ઉદેશા, લીંબડી તાલુકાના ખંભલાવ ગામેથી કાનજી પેથાભાઈ જાદવ, સાયલા તળાવની પાળ પાસેથી સરવાળીયા ચોરા પાસે રહેતો પ્રકાશ હરજીભાઈ કચીયા, સાયલાના યજ્ઞનગરમાંથી સુદામડાનો દિનેશ ધીરૂભાઈ અઘારા, સુરેન્દ્રનગર ટાવર ચોકમાંથી બસ સ્ટેશન પાછળ રહેતો હારૂન હસનશા દિવાન, દુધરેજ કેનાલ પાસેથી વઢવાણ તાલુકાના રૂપાવટીનો પ્રકાશ માવજીભાઈ ચાવડા, સુરેન્દ્રનગર નર્મદા કવાટર્સ પાસેથી વેલનાથનગરમાં રહેતો પ્રતીક મુકેશભાઈ ભોરણીયા, વઢવાણ ડી માર્ટ ચાર રસ્તા પાસેથી કૃષ્ણનગરમાં રહેતો પ્રવીણસિંહ અજુભા જાડેજા, ઉપાસના સર્કલ પાસેથી કુંભારપરાનો હસમુખ પ્રતાપભાઈ દેત્રોજા, ભારતપરાનો અબ્દુલકરીમ ઉર્ફે ભુરો ઈબ્રાહીમભાઈ બ્લોચ, મુળ નેપાળનો ગણેશ બહાદુર બીકે, લાલબહાદુર બીરબહાદુર નેપાળી, થાન નેશનલ કાંટા પાસેથી ગુગલીયાણાનો પંકજ રૂડાભાઈ મગવાનીયા, વઢવાણ નવા દરવાજા બહારથી વાડી પ્લોટમાં રહેતો હીરેન ત્રીભુવનભાઈ વાણીયા, વઢવાણ શીયાણીપોળ પાસેથી રામદરબાર સોસાયટીમાં રહેતો અશોક વસંતભાઈ ચૌહાણ, વઢવાણ ગેબનશા સર્કલ પાસેથી મુળીના સોમાસરનો નીલેશ મહેશભાઈ પરમાર, મુળીનો ચિંતન બાબુભાઈ પરમાર પીધેલી હાલતમાં પકડાયા હતા. આ શખ્સો સામે પ્રોહીબીશન મુજબનો ગુનો નોંધી તેમને પોલીસ લોકઅપમાં ધકેલી દેવાયા હતા. જેના લીધે આ શખ્સોએ નવા વરસ 2025ની સવાર પોલીસ સ્ટેશનમાં જોઈ હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો