android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Tamil Nadu : થલપતિ વિજયે વિધાનસભામાં કર્યો એવો ઇશારો કે મચી ગઇ બબાલ, હવે આપી રહ્યા છે સફાઈ

calendar_todaySeptember 8, 2026

Tamil Nadu : થલપતિ વિજયે વિધાનસભામાં કર્યો એવો ઇશારો કે મચી ગઇ બબાલ, હવે આપી રહ્યા છે સફાઈ

તમિલનાડુ વિધાનસભામાં ભાષણ દરમિયાન થયેલા એક શારીરિક હાવભાવને લઈને વિવાદ વધતાં TVK ચીફ થલપતિ વિજયે સફાઈ આપી છે. વિજયે જણાવ્યું કે તેમનો શારીરિક હાવભાવ અજાણતાં થયો હતો અને તેનો હેતુ મુખ્યમંત્રી એમકે સ્ટાલિનની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. વિજયે 7 સપ્ટેમ્બરે વિધાનસભામાં પોલીસ વિભાગની અનુદાન માંગ પર જવાબ આપતી વખતે થયેલા હાવભાવ અંગે સ્પષ્ટતા કરી હતી કે આ ઇશારો જાણીજોઈને કરવામાં આવ્યો નહોતો.

વિજયના ભાષણથી DMK ધારાસભ્યો કેમ ભડક્યા?

વિવાદની શરૂઆત થલપતિ વિજયના વિધાનસભામાં આપેલા તીખા ભાષણ દરમિયાન થઈ હતી. TVK નેતાએ DMK સરકાર અને તેની ‘મિસ્ટર ક્લીન’ છબી પર સવાલ ઉઠાવતા ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા.

પાર્ટી ફંડના નામે કમિશન લેવામાં આવતું હોવાના આરોપો 

વિજયે EDના દસ્તાવેજો અને સરકારિયા આયોગના અહેવાલનો ઉલ્લેખ કરીને સ્ટાલિન અને તેમના પુત્ર ઉદયનિધિ સ્ટાલિનને નિશાને લીધા હતા. તેમણે રાજ્યની માળખાકીય યોજનાઓના ઠેકેદારો પાસેથી પાર્ટી ફંડના નામે કમિશન લેવામાં આવતું હોવાના આરોપો પણ લગાવ્યા હતા.

જડબા પર હાથ મૂકતાં કેમ મચ્યો હોબાળો?

MISA કાયદાનો ઉલ્લેખ કરતી વખતે વિજયે પોતાનો જમણો હાથ જડબા પર મૂક્યો હતો. આ હાવભાવને એમકે સ્ટાલિનની જૂની ઇજા સાથે જોડીને જોવામાં આવ્યો હતો.

શણમુગમે આ મુદ્દે વાંધો ઉઠાવ્યો 

CPI(M) નેતા પી. શણમુગમે આ મુદ્દે વાંધો ઉઠાવ્યો હતો. તેમના જણાવ્યા મુજબ, ઇમરજન્સી દરમિયાન સ્ટાલિનને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો, જેમાં તેમના જડબાને ઇજા પહોંચી હતી.

ઇશારા પાછળ શું કહ્યું થલપતિ વિજયે?

વિવાદ વધ્યા બાદ વિજયે સ્પષ્ટતા કરી કે તેમનો ઇશારો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે જાણબૂઝીને કરવામાં આવ્યો નહોતો. તેમણે જણાવ્યું કે ભાષણ દરમિયાન થયેલો આ શારીરિક હાવભાવ અજાણતાં થયો હતો અને તેને કોઈ વ્યક્તિ પર હુમલા તરીકે જોવો જોઈએ નહીં.

વિધાનસભા સ્પીકરે લીધો મોટો નિર્ણય

DMK દ્વારા વિજયની MISA સંબંધિત ટિપ્પણીઓને વિધાનસભાના રેકોર્ડમાંથી હટાવવાની માંગ કરવામાં આવી હતી. જોકે, વિધાનસભા સ્પીકરે આ માંગ ફગાવી દીધી હતી. સ્પીકરે જણાવ્યું કે વિજયે MISA કાયદા સાથે જોડાયેલા એવા મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો, જેની વિધાનસભામાં અગાઉ ચર્ચા થઈ ચૂકી છે. તેથી ભાષણનો તે ભાગ રેકોર્ડમાંથી દૂર કરવાની જરૂર નથી.  


આ પણ વાંચો  :     Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું