android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Budget 2026 Live Updates : બાંગ્લાદેશની સસ્તી કાપડ ઇન્ડસ્ટ્રીઝ પર ભારતની સર્જિકલ સ્ટ્રાઈક, બજેટમાં કરાયેલી જાહેરાતોની મોટી અસર થશે
calendar_today February 1, 2026

Budget 2026 Live Updates : બાંગ્લાદેશની સસ્તી કાપડ ઇન્ડસ્ટ્રીઝ પર ભારતની સર્જિકલ સ્ટ્રાઈક, બજેટમાં કરાયેલી જાહેરાતોની મોટી અસર થશે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 01 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Union Budget 2026 : PMO-રાજ્યપાલથી લઈને અન્ય VVIP લોકો પર કેટલો કરાશે ખર્ચ, બજેટમાં કેટલી ફાળવવામાં આવી?
calendar_today February 1, 2026

Union Budget 2026 : PMO-રાજ્યપાલથી લઈને અન્ય VVIP લોકો પર કેટલો કરાશે ખર્ચ, બજેટમાં કેટલી ફાળવવામાં આવી?

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આજે 1 જાન્યુઆરી, 2026એ તેમનું નવમું બજેટ રજૂ કર્યું છે. બજેટ રજૂ થયા બાદ તરત જ શેરબજારમાં મોટો કડાકો આવ્યો છે. જેના કારણે રોકાણકારોના 10 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે. વધુમાં, સરકારે મંત્રીઓના પગાર, રાજકીય મહેમાનો અને ભૂતપૂર્વ રાજ્યપાલો પર પૈસા ખર્ચ કરવા મોટું બજેટ ફાળવ્યું છે.NSC જેવા મહત્વપૂર્ણ કાર્યાલયો માટે પણ અલગથી રકમ નક્કી કરવામાં આવી કેન્દ્રીય બજેટ 2026-27માં મંત્રીઓના પગાર, રાજકીય મહેમાનો અને ભૂતપૂર્વ રાજ્યપાલોના મનોરંજન જેવા ખાસ ખર્ચ માટે રૂપિયા 1,102 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ રકમ ગયા વર્ષના રૂપિયા 978.20 કરોડના સુધારેલા અંદાજ કરતાં વધુ છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણના આ બજેટમાં કેબિનેટ સચિવાલય, પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ (NSC) જેવા મહત્વપૂર્ણ કાર્યાલયો માટે પણ અલગથી રકમ નક્કી કરવામાં આવી છે. મંત્રીઓ, પીએમઓ અને સુરક્ષા પર કેટલો ખર્ચ કરાશે? મંત્રી પરિષદના ખર્ચ માટે રૂપિયા 620 કરોડ ફાળવવામાં આવ્યા છે, જેમ કે કેબિનેટ મંત્રીઓ, રાજ્યમંત્રીઓ અને ભૂતપૂર્વ વડાપ્રધાનોના પગાર, ભથ્થાં અને મુસાફરી. આમાં VVIPs માટે ખાસ એક્સ્ટ્રા-સેશન ફ્લાઈટ ઓપરેશનનો ખર્ચ પણ શામેલ છે. પ્રધાનમંત્રી કાર્યાલયના વહીવટી ખર્ચ માટે રૂપિયા 73.52 કરોડની ફાળવણી કરવામાં આવી છે. રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને તેના અવકાશ કાર્યક્રમના વહીવટી ખર્ચ માટે રૂપિયા 256.19 કરોડની ફાળવણી કરવામાં આવી છે. મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારના કાર્યાલય અને રાષ્ટ્રીય સંશોધન ફાઉન્ડેશનના ખર્ચ માટે રૂપિયા 65 કરોડની ફાળવણી કરવામાં આવી છે. અન્ય રાજકીય કાર્યક્રમો માટે 5.76 કરોડ રૂપિયાની જોગવાઈ હોસ્પિટાલિટી અને એન્ટરટેઈનમેન્ટ હેઠળ વિદેશી રાજ્ય મહેમાનોના મનોરંજન, રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સ્વાગત સમારોહ અને અન્ય રાજકીય કાર્યક્રમો માટે 5.76 કરોડ રૂપિયાની જોગવાઈ છે. કેબિનેટ સચિવાલય અને નેશનલ ઓથોરિટી ફોર ધ કન્વેન્શન ઓન કેમિકલ વેપન્સ (NACWC)ના વહીવટી ખર્ચ માટે રૂપિયા 80 કરોડ ફાળવવામાં આવ્યા છે. ભૂતપૂર્વ રાજ્યપાલોને સચિવીય સહાય માટે રૂપિયા 1.53 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ પણ વાંચો : Union Budget 2026: ઈન્ટીગ્રેટેડ ઈસ્ટ કોસ્ટ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરનો વિસ્તાર કરાશે, પૂર્વોદય રાજ્યો માટે કરાઈ મોટી જાહેરાતો

Read Full Story arrow_forward
IAFના પૂર્વીય કમાન્ડને મળ્યા નવા વડા, એર માર્શલ ઈન્દ્રપાલસિંહ વાલિયાએ સંભાળ્યો કાર્યભાર
calendar_today February 1, 2026

IAFના પૂર્વીય કમાન્ડને મળ્યા નવા વડા, એર માર્શલ ઈન્દ્રપાલસિંહ વાલિયાએ સંભાળ્યો કાર્યભાર

એર માર્શલ ઈન્દ્રપાલસિંહ વાલિયાએ રવિવાર (1 ફેબ્રુઆરી, 2026)ના રોજ શિલોંગ સ્થિત ભારતીય વાયુસેનાના પૂર્વીય વાયુ કમાન્ડ (EAC)ના એર ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ (AOC-ઇન-સી) તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. તેઓ 31 જાન્યુઆરી, 2026ના રોજ નિવૃત્ત થયેલા એર માર્શલ સુરત સિંહનું સ્થાન લીધું છે.તમામ પ્રકારના ફાઈટર પ્લેન ઉડાવવામાં નિષ્ણાંત છે વાલિયા વાલિયા રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમને 11 જૂન, 1988ના રોજ ભારતીય વાયુસેનાના ફાઈટર સ્ટ્રીમમાં કમિશન આપવામાં આવ્યું હતું. વાલિયા એક પ્રતિષ્ઠિત ફાઈટર પાઈલટ છે. મળતી માહિતી મુજબ ઈન્દરપાલસિંહ વાલિયા મિગ-21, મિગ-23, મિગ-27, જગુઆર અને સુ-30 એમકેઆઈના તમામ પ્રકારો ઉડાડવામાં નિષ્ણાંત છે. તેમની પાસે 3,200 કલાકથી વધુનો અકસ્માત-મુક્ત ઉડાનનો અનુભવ છે. 3 દાયકાથી વધુની કારકિર્દીમાં વાલિયાએ વિવિધ કમાન્ડ અને સ્ટાફ હોદ્દાઓ સંભાળ્યા છે. તેમણે મિગ-27 સ્ક્વોડ્રન, ટેક્ટિક્સ એન્ડ એર કોમ્બેટ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (TACDE)ને કમાન્ડ કર્યું છે અને ફ્રન્ટલાઈન એર ઓફિસર કમાન્ડિંગ રહ્યા છે. વાલિયા ફાઈટર સ્ટ્રાઈક લીડર, ઈન્સ્ટ્રુમેન્ટ રેટિંગ ઈન્સ્ટ્રક્ટર અને એક્ઝામિનર (IRIE) છે, અને યુકેમાં એડવાન્સ્ડ કમાન્ડ એન્ડ સ્ટાફ કોર્સ અને બાંગ્લાદેશની નેશનલ ડિફેન્સ કોલેજમાં તાલીમ લીધી છે. વાલિયાએ જાપાન અને દક્ષિણ કોરિયાના દૂતાવાસોમાં પણ સેવા આપી ઈન્દરપાલસિંહ વાલિયાએ જાપાન અને દક્ષિણ કોરિયાના દૂતાવાસોમાં પણ સેવા આપી છે. તેમણે એર કોમોડોર, ડિરેક્ટોરેટ ઓફ એર સ્ટાફ ઈન્સ્પેક્શન (DASI), એર હેડક્વાર્ટરમાં આસિસ્ટન્ટ ચીફ ઓફ એર સ્ટાફ (ટ્રેનિંગ) અને હેડક્વાર્ટર WAC ખાતે એર ડિફેન્સ કમાન્ડર જેવા હોદ્દા સંભાળ્યા છે. AOC-in-C, EACનું પદ સંભાળતા પહેલા, વાલિયા હેડક્વાર્ટર EAC ખાતે સિનિયર એર સ્ટાફ ઓફિસર હતા. એર માર્શલ ઈન્દ્રપાલ વાલિયાએ એર માર્શલ સુરત સિંહનું સ્થાન લીધું તેમની વિશિષ્ટ સેવાઓના સન્માનમાં તેમને 2008માં વાયુ સેના મેડલ (VM) અને 2018માં અતિ વિશિષ્ટ સેના મેડલ (AVSM) એનાયત કરવામાં આવ્યો હતો. એર માર્શલ ઈન્દ્રપાલ વાલિયાએ એર માર્શલ સુરત સિંહનું સ્થાન લીધું છે, જેઓ 39 વર્ષની રાષ્ટ્ર પ્રત્યેની વિશિષ્ટ અને સમર્પિત સેવા પછી 31 જાન્યુઆરી 2026ના રોજ નિવૃત્ત થયા હતા. પૂર્વીય વાયુ કમાન્ડ ઉત્તરપૂર્વ ભારતમાં હવાઈ સંરક્ષણનું નિરીક્ષણ કરે છે, જેનો કાર્યકારી ક્ષેત્ર 11 રાજ્યોમાં ફેલાયેલો છે.આ પણ વાંચો : Maharashtra : DyCM સુનેત્રા પવારને કયા વિભાગોની મળી કમાન? વાંચો આ અહેવાલ

Read Full Story arrow_forward