android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ajit Pawar Plane Crash : અજિત પવાર સાથે બારામતી પ્લેન ક્રેશમાં મૃત્યુને ભેટનારા બીજા કોણ હતા ?
calendar_today January 28, 2026

Ajit Pawar Plane Crash : અજિત પવાર સાથે બારામતી પ્લેન ક્રેશમાં મૃત્યુને ભેટનારા બીજા કોણ હતા ?

આ દુર્ઘટનામાં વિમાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું અને તેમાં સવાર તમામ લોકોના મોત થયા હતા. અજિત પવાર સિવાય વિમાનમાં અન્ય ચાર લોકો સવાર હતા. વિમાન ઓપરેટર VSR એવિએશન દ્વારા અન્ય ચાર મૃતકો અંગેની માહિતી આપવામાં આવી છે. એવિએશન કંપનીએ પુષ્ટિ કરી છે કે આ અકસ્માતમાં પાયલટ સુમિત કપૂર અને કો-પાયલટ સાંભવી પાઠક સામેલ હતા. કંપનીએ જણાવ્યું હતું કે બંને પાયલટ સુશિક્ષિત હતા અને વિમાનમાં કોઈ ખામી નહોતી. વિમાનમાં બે ક્રૂ મેમ્બર્સ ઉપરાંત અજિત પવારના બે સ્ટાફ મેમ્બર વિદિપ જાધવ અને પિંકી માલી પણ હતા. અકસ્માતની વિગતો વિમાનનું મોડેલ: Learjet 45 રજીસ્ટ્રેશન નંબર: VT-SSK ઓપરેટર: VSR એવિએશન ઘટનાનો સમય: સવારે આશરે 8:48 વાગ્યે અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિમાન મંગળવારે સવારે મુંબઈથી રવાના થયું હતું. લેન્ડિંગ દરમિયાન રનવે 11 પાસે વિમાન પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું, જેના કારણે તે રનવે સાથે અથડાયું અને તરત જ તેમાં આગ લાગી ગઈ. આ અકસ્માતમાં કોઈ પણ જીવિત બચ્યું નથી. પ્રત્યક્ષદર્શીઓએ શું કહ્યુ? પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, લેન્ડિંગના પ્રયાસમાં વિમાન લથડ્યું અને જોતજોતામાં ક્રેશ થઈ ગયું. અકસ્માત બાદ વિમાનમાં પાંચ જેટલા ધડાકા થયા હતા અને તે આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું. વર્તમાન સ્થિતિ અજિત પવારના નશ્વર દેહને બારામતીની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે, જ્યાં તેમના પરિવારજનો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. હોસ્પિટલની બહાર શોકમગ્ન લોકોની ભીડ જોવા મળી રહી છે. નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.આ પણ વાંચો:  Ajit Pawar Plane Crash : મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારે કેટલો કર્યો હતો અભ્યાસ?

Read Full Story arrow_forward
Baramati Plane Crash : ચશ્મા અને ઘડિયાળથી અજિત પવારને લોકોએ ઓળખી કાઢ્યા, દૂર્ઘટના પહેલા પાયલોટે કર્યો હતો Mayday કોલ
calendar_today January 28, 2026

Baramati Plane Crash : ચશ્મા અને ઘડિયાળથી અજિત પવારને લોકોએ ઓળખી કાઢ્યા, દૂર્ઘટના પહેલા પાયલોટે કર્યો હતો Mayday કોલ

મહારાષ્ટ્રના બારામતીમાં આજે સવારે થયેલા એક મોટી વિમાન દુર્ઘટનામાં નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સહિત પાંચ લોકોના મોત થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક અગ્રણી નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ તેમને લોકોના નેતા ગણાવ્યા છે. અકસ્માતની જાણ થતાં પવારનો પરિવાર બારામતી જવા રવાના થયો હતો.ચશ્મા અને ઘડિયાળને જોઇને તેમના મૃતદેહની ઓળખ કરી પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે વિસ્ફોટથી બે મૃતદેહ હવામાં ઉડી ગયા હતા. અમે અજિત પવારના ચશ્મા અને ઘડિયાળને જોઇને તેમના મૃતદેહની ઓળખ કરી અને તેમને બહાર કાઢ્યા. બારામતી વિમાન દુર્ઘટનાની તપાસ એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) બારામતી વિમાન દુર્ઘટનાની તપાસ કરશે. બ્યુરોની ટીમ ટૂંક સમયમાં ઘટનાસ્થળની મુલાકાત લેશે. તપાસ ઘટનાના કારણની તપાસ કરશે. એક મોટો વિસ્ફોટ થયો બારામતીમાં વિમાન ક્રેશ લેન્ડિંગના સ્થળે હાજર એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું, "મેં મારી પોતાની આંખોથી તે જોયું. તે ખરેખર ખૂબ જ દુઃખદ હતું. જ્યારે વિમાન નીચે આવી રહ્યું હતું, ત્યારે એવું લાગતું હતું કે તે ક્રેશ થશે, અને તે થયું. પછી એક મોટો વિસ્ફોટ થયો. તે પછી, અમે અહીં દોડી ગયા અને જોયું કે વિમાનમાં આગ લાગી હતી. વિમાનમાં 4-5 વધુ વિસ્ફોટ થયા, અને લોકો અહીં આવ્યા અને લોકોને (વિમાનમાંથી) બહાર કાઢવાનો પ્રયાસ કર્યો. પરંતુ આગ એટલી મોટી હતી કે અમે મદદ કરી શક્યા નહીં. અજિત પવાર વિમાનમાં હતા, અને આ અમારા માટે ખૂબ જ દુઃખદ છે. હું તેને શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી."આ પણ વાંચો----    Maharashtra Plane Crash: કાકા સાથે રાજકારણનો પાઠ શીખ્યા બાદ અજિત પવાર મહારાષ્ટ્રના રાજકારણના બન્યા હતા દાદા.

Read Full Story arrow_forward
Baramati Plane Crash: મહારાષ્ટ્ર માટે મુશ્કેલ દિવસ, અમારા દિલદાર અને દમદાર મિત્ર હતા, બોલ્યા CM ફડણવીસ
calendar_today January 28, 2026

Baramati Plane Crash: મહારાષ્ટ્ર માટે મુશ્કેલ દિવસ, અમારા દિલદાર અને દમદાર મિત્ર હતા, બોલ્યા CM ફડણવીસ

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું પ્લેન ક્રેશમાં નિધન થતા સીએમ ફડણવીસની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે આ દુર્ઘટનાને લઇને શોક વ્યક્ત કર્યો,. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં શોકની લહેર છે. આજનો દિવસ મુશ્કેલ છે. તેઓના નિધનથી દુઃખી અને સ્તબ્ધ છું.  તેઓ અમારા દિલદાર અને દમદાર મિત્ર હતા. હું આ ઘટનાથી દુંઃખી અને સ્તબ્ધ છું.  મહારાષ્ટ્ર માટે મુશ્કેલ દિવસ- દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અજિત દાદા પવાર એક સાચા નેતા હતા અને તેમના નિધનથી ખૂબ જ દુઃખ થયું છે. તેમનો પરિવાર શોકમાં છે. તેઓ એક મજબૂત અને દયાળુ મિત્ર હતા. રાજ્ય માટે પણ આ મુશ્કેલ દિવસ છે. પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ પણ આ ઘટના અંગે અમારી સાથે ચર્ચા કરી છે. તેમણે કહ્યું કે અમારા માટે  વ્યક્તિગત ખૂબ મોટી ક્ષતિ થઇ છે.  અમે સાથે ઘણો સંઘર્ષનો સમય પણ જોયો. તેઓ મહારાષ્ટ્રના વિકાસમાં તેઓ દૃઢતાથી યોગદાન આપતા હતા. એક જનનેતા ગુમાવ્યા છે. મોટી ખોટ પડી છે. આમ જણાવીને તેઓ  બારામતી જવા રવાના થયા હતા. Ajit Pawar Plane Crash: પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું મોત, જુઓ પ્લેન ક્રેશનો વીડિયો

Read Full Story arrow_forward