android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે નોંધાઈ પોલીસ ફરિયાદ, પતંગના ભાવ બાબતે યુવકને માર માર્યાનો આક્ષેપ
calendar_today January 16, 2026

Surat News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે નોંધાઈ પોલીસ ફરિયાદ, પતંગના ભાવ બાબતે યુવકને માર માર્યાનો આક્ષેપ

સુરતમાં પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરિયા સહિત 3 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં પતંગની ખરીદીને લઈ મારમારી કરવામાં આવી હોવાની વાત સામે આવી છે, અલ્પેશના ભાઈએ તેને ફોન કર્યો અને બાદમાં અલ્પેશ કથીરિયાએ પહોંચીને માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, સરથાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા સહીત 3 સામે પોલીસ ફરિયાદ અલ્પેશના ભાઈ મિલન કથીરિયા સાથે પતંગના ભાવ બાબતે દુકાન પર ઝગડો થયો હતો અને ત્યારબાદ અલ્પેશ અને અન્ય એક યુવકે ફરિયાદીને માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને સરથાણા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે, સરથાણાના કિરણ ચોક પાસે આવેલી પાટીદાર પાઘડીવાળા પતંગ સ્ટોર્સ પર આ સમગ્ર ઘટના બની હતી. પતંગના ભાવને લઈને ગ્રાહક અને અલ્પેશ કથીરિયાના ભાઈ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો બિચક્યો હતો. આ પણ વાંચો : Rajkot News : રાજકોટના આંગણે 700 વર્ષ જૂની ‘ટાંગલિયા’ કલાનો દબદબો, વિસરાતી જતી હસ્તકલા હવે હોલીવુડના પડદા સુધી પહોંચી 

Read Full Story arrow_forward
Bhavnagar News: સ્કૂટર આપવાની ના પડતા મિત્ર બન્યો હત્યારો
calendar_today January 16, 2026

Bhavnagar News: સ્કૂટર આપવાની ના પડતા મિત્ર બન્યો હત્યારો

ગોહિલવાડની ધરતી પર જાણે લોહીની નદીઓ વહી રહી હોય તેમ ગુનાખોરીના ગ્રાફમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે, કારણ કે છેલ્લા માત્ર 14 દિવસમાં જ હત્યાનો આ ત્રીજો બનાવ સામે આવ્યો છે. તાજેતરની ઘટનામાં, શહેરના કુંભારવાડા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં નજીવી બાબતે એક 23 વર્ષીય આશાસ્પદ યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી છે.શું છે સમગ્ર મામલો? ઘટનાની મળતી માહિતી અનુસાર, મૃતક સાહિલ સૈયદ મોડી રાત્રે કુંભારવાડા વિસ્તારમાં હતો, ત્યારે પાંચ શખ્સોએ તેની પાસે એક્ટિવાની માંગણી કરી હતી. સાહિલે પોતાનું એક્ટિવા આપવાની સ્પષ્ટ ના પાડી દેતા મામલો બિચક્યો હતો. ઉશ્કેરાયેલા પાંચેય શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરું ઘડી સાહિલ પર છરીઓ અને તીક્ષ્ણ હથિયારો વડે ઘાતકી હુમલો કર્યો હતો. યુવકનું ઘટનાસ્થળે જ મોત હુમલાખોરોએ સાહિલના શરીર પર મનફાવે તેમ ઘા ઝીંકતા તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો અને તેનું મોત નીપજ્યું હતું. એક સામાન્ય એક્ટિવા જેવી નજીવી બાબતે યુવાનનો જીવ લેવાતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવારમાં માતમ છવાયો છે.https://x.com/sandeshnews/status/2012022067739480160 પોલીસ કાર્યવાહી આ ઘટનાની જાણ થતા જ બોરતળાવ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી પાંચેય આરોપીઓ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે. ભાવનગર શહેરમાં ટૂંકા ગાળામાં બનેલી ત્રીજી હત્યાએ પોલીસ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા કર્યા છે. આ પણ વાંચો - Bhavnagar જેલમાં રૂમાલ પાર્સલનો કીમિયો, જેલની સુરક્ષા ભેદીને અંદર ફેંકાયો તમાકુ અને નશાનો સામાન

Read Full Story arrow_forward
Porbanadar માં શિક્ષણ જગતની મોટી બેદરકારી, કોલેજની ભૂલને કારણે 42 MBA વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત
calendar_today January 16, 2026

Porbanadar માં શિક્ષણ જગતની મોટી બેદરકારી, કોલેજની ભૂલને કારણે 42 MBA વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત

પોરબંદરની જે.એન. રૂપરેલ સ્વામિનારાયણ MBA કોલેજની ગંભીર બેદરકારી સામે આવતા 42 જેટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું છે. વિગતો મુજબ, GTU (ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી) દ્વારા લેવામાં આવતી પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા માટે કોલેજ વહીવટી તંત્ર દ્વારા આ વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ ભરવામાં આવ્યા ન હતા. પરીક્ષાનો સમય નજીક આવતા જ્યારે વિદ્યાર્થીઓને જાણ થઈ કે તેઓ પરીક્ષા આપી શકશે નહીં, ત્યારે ભારે રોષ ફાટી નીકળ્યો હતો. કોલેજના પ્રિન્સિપાલે પોતાની વહીવટી ભૂલ સ્વીકારી લીધી છે, પરંતુ આ ભૂલને કારણે વિદ્યાર્થીઓનું આખું વર્ષ બગડે તેવી સ્થિતિ સર્જાઈ છે.GTU પરીક્ષા ફોર્મમાં લોચો આ ઘટનાને પગલે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ કોલેજ કેમ્પસમાં પહોંચી ભારે હોબાળો મચાવ્યો હતો. વાલીઓનો આક્ષેપ છે કે મોટી ફી ઉઘરાવતી કોલેજો જ્યારે વિદ્યાર્થીઓના ફોર્મ ભરવા જેવી પાયાની જવાબદારીમાં ભૂલ કરે ત્યારે તેની સજા વિદ્યાર્થીઓએ કેમ ભોગવવી? હાલમાં 42 વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહેતા તેમનું શૈક્ષણિક વર્ષ બરબાદ થવાની ભીતિ છે. કોલેજ સત્તાધીશો હવે યુનિવર્સિટી સાથે વાતચીત કરીને કોઈ વચગાળાનો રસ્તો કાઢવાની ખાતરી આપી રહ્યા છે, પરંતુ વિદ્યાર્થીઓમાં હજુ પણ ભારે અનિશ્ચિતતા અને આક્રોશ પ્રવર્તી રહ્યો છે. આ પણ વાંચો : Surat News : ચાલુ બસમાં મુસાફરો વચ્ચે જંગ, ત્રણ શખ્સોએ યુવકને ચપ્પુના ઘા ઝીંક્યા

Read Full Story arrow_forward