India : 'જો તમે આતંક ફેલાવશો, તો ભારત ચૂપ નહીં બેસે', જયશંકરનો પાકિસ્તાન પર આકરો પ્રહાર
વિદેશ મંત્રી એસ. જયશંકરે તાજેતરમાં આતંકવાદ અને ભારત-પાકિસ્તાન સંબંધોને લઈને ખૂબ જ સ્પષ્ટ અને કડક નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ભારત આતંકવાદ સામે લડવા માટે કોઈપણ પ્રકારનું બાહ્ય દબાણ કે સલાહ સ્વીકારશે નહીં. ભારતની સુરક્ષા અને રાષ્ટ્રીય હિત સર્વોપરી છે અને તે અંગેનો નિર્ણય માત્ર ભારત પોતે જ કરશે. IIT મદ્રાસ ખાતે એક કાર્યક્રમમાં શું કહ્યું ? IIT મદ્રાસ ખાતે એક કાર્યક્રમમાં બોલતા જયશંકરે જણાવ્યું હતું કે જ્યારે કોઈ પડોશી દેશ સતત સરહદ પારથી આતંકવાદને પ્રોત્સાહન આપે છે, ત્યારે ભારતને તેના નાગરિકોની સુરક્ષા કરવાનો સંપૂર્ણ અધિકાર છે. તેમણે કહ્યું, “જો તમે આતંક ફેલાવશો, તો ભારત ચૂપ નહીં બેસે. અમને આત્મરક્ષણનો સંપૂર્ણ અધિકાર છે અને અમે તેનો ઉપયોગ કરીશું.” આતંકવાદનો સામનો કેવી રીતે કરવો ? તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આતંકવાદનો સામનો કેવી રીતે કરવો તે ભારતનો પોતાનો નિર્ણય છે. કોઈ દેશ કે આંતરરાષ્ટ્રીય સંસ્થા ભારતને કહી શકતી નથી કે શું કરવું કે શું ન કરવું. જયશંકરે ભારપૂર્વક જણાવ્યું કે ભારત તેના લોકોના જીવ બચાવવા માટે જે પણ જરૂરી હશે તે કરશે. આતંકવાદને પ્રોત્સાહન આપે તો સંબંધો શક્ય નહીં વિદેશ મંત્રીએ સરહદ પારના આતંકવાદને પાણી વહેંચણી જેવા કરારો સાથે પણ જોડ્યા. તેમણે યાદ અપાવ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે પાણી વહેંચણી કરાર દાયકાઓ પહેલા થયો હતો, પરંતુ આવા કરારો સારા પડોશી સંબંધો પર આધારિત હોય છે. જો એક દેશ સતત આતંકવાદને પ્રોત્સાહન આપે, તો સારા સંબંધો શક્ય નથી. પાણી વહેંચવાની પણ અપેક્ષા રાખશો.. જયશંકરે સ્પષ્ટ કહ્યું, “તમે એવું કહી શકો નહીં કે તમે આતંકવાદ ચાલુ રાખશો અને સાથે સાથે પાણી વહેંચવાની પણ અપેક્ષા રાખશો. આ બંને વસ્તુઓ એક સાથે ચાલી શકતી નથી.” તેમણે જણાવ્યું કે આતંકવાદ ચાલુ રહેશે તો આવા કરારોના ફાયદા મળવા મુશ્કેલ છે. આતંકવાદને રાજ્ય નીતિ તરીકે વપરાયો પાકિસ્તાનનું નામ લીધા વિના, તેમણે કહ્યું કે ઘણા દેશો મુશ્કેલ પડોશીઓનો સામનો કરે છે, પરંતુ ભારતની સ્થિતિ અલગ છે કારણ કે અહીં આતંકવાદને રાજ્ય નીતિ તરીકે વપરાયો છે. એપ્રિલ 2025માં જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં પ્રવાસીઓના મોત બાદ બંને દેશોના સંબંધો વધુ તણાવપૂર્ણ બન્યા છે. આ સમગ્ર નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ભારત હવે આતંકવાદ મુદ્દે કોઈ સમાધાન કરવા તૈયાર નથી અને પોતાની સુરક્ષા માટે કડક પગલાં લેવા પ્રતિબદ્ધ છે.આ પણ વાંચો : Bangladeshએ યુરોપને નકારીને અમેરિકન કંપની પસંદ કરી, 14 બોઇંગ વિમાન ખરીદશે
Read Full Story arrow_forward