Godhra:જેઠાભાઈ આહિર વિકસિત ભારત નિર્માણ રત્નથી સન્માનિત કરાયા
પંચમહાલ ડિસ્ટ્રિકટ બેંકના ચેરમેન જેઠાભાઈ આહિરને ઓલ ઈન્ડીઆ બિઝનેશ ડેવલપમેન્ટ એસોસિએશન ન્યુ દિલ્હી દ્વારા વિકસીત ભારત નિર્માણ રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા છે. જેને લઈ પંચમહાલ, મહિસાગર અને દાહોદ ત્રણેય જિલ્લાના લોકોએ આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરી છે.ઓલ ઈન્ડીઆ બિઝનેશ ડેવલપમેન્ટ એસોસિયેશન, ન્યુ દિલ્હી દ્વારા વિકસીત ભારતના નિર્માણ માટે સમગ્ર ભારતનાં ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતાં નાગરિકોના મુખ્ય વ્યવસાય ખેતી, પશુપાલન અને અન્ય તમામ વેપાર ધંધાઓની નાણાંકીય જરૂરીયાતો પુરી પાડી અને ગ્રામીણ વિસ્તારના રહીશોની આવક વધારી તેઓનું જીવન ધોરણ ઉંચુ લાવવા માટે બેકીંગ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરતી બેંકોનો સર્વે કરાયો હતો. જેમાં પંચમહાલ, મહીસાગર તથા દાહોદ જિલ્લાનાં ખેડૂતો, પશુપાલકો અને વેપાર ધંધા કરતા લોકોને વિવિધ ખેતી અને બીન ખેતી ધિરાણો, કે.સી.સી પાક ધિરાણ, કે.સી.સી એનિમલ હસબન્ડરી, પશુઓ ખરીદવા, પશુઓનો તબેલો બનાવવા, નાના વેપાર ધંધા કરતા વ્યકિતઓને માઈક્રો ફાયનાન્સ, ટુ વ્હીલર, ફોર વ્હીલર વાહન ખરીદવા, ગ્રામ્ય વિસ્તારમાં રહેઠાણનું મકાન બનાવવા, સિંચાઈ અને ખેતીમાં આધુનિકરણ લાવવા માટેનાં સંશાધનો ખરીદવા વિગેરે માટે સસ્તા અને વ્યાજબી વ્યાજનાં દરે પંચમહાલ ડીસ્ટ્રીકટ કો.ઓ.બેંક ની 60 શાખાઓની 300 ખેતી વિષયક સેવા સહકારી મંડળીઓ મારફ્તે અંદાજે 1.50 લાખ ખેડૂતો, પશુપાલકો તથા અન્ય ગ્રામ્ય વિસ્તારના વેપારીઓ, વ્યવસાયીકો અને નોકરીયાતોને ધિરાણો પુરા પાડી વિકસીત ભારતના નિર્માણમાં મહત્વનું યોગદાન આપવા બદલ પંચમહાલ ડિસ્ટ્રિકટ બેંકના ચેરમેન જેઠાભાઈ આહિરને વિકસીત ભારત નિર્માણ રત્ન એવોર્ડ એનાયત કરાયો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward