Ram Mandir: કોણ બનશે રામ મંદિરના પહેલા CEO? સિલેક્શન કમિટીએ ત્રણ ઉમેદવારોના નામ ટ્રસ્ટને સોંપ્યા
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ માટે રચાયેલી પસંદગી સમિતિએ લાંબી અને વિગતવાર પ્રક્રિયા બાદ ત્રણ અત્યંત લાયક ઉમેદવારોની અંતિમ યાદી તૈયાર કરી હોવાનું જાણવા મળ્યું છે. હવે ટ્રસ્ટની બેઠકમાં આમાંથી એક ઉમેદવારના નામ પર અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે.મંદિર સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠક અયોધ્યામાં યોજાવાની છે. આ બેઠકમાં રામ મંદિરના પ્રથમ CEOની પસંદગી અંગે સત્તાવાર નિર્ણય થવાની શક્યતા છે. પસંદગી પ્રક્રિયાને પારદર્શક અને આધુનિક પદ્ધતિથી પૂર્ણ કરવામાં આવી હોવાનું ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે.CEO પદ માટે આવી હતી 5,585 અરજીઓરામ મંદિરના CEO પદ માટે દેશભરમાંથી ભારે પ્રતિસાદ મળ્યો હતો. કુલ 5,585 અરજીઓ મળી હતી. તમામ અરજીઓની પ્રાથમિક અને વિગતવાર તપાસ કર્યા બાદ પસંદગી પ્રક્રિયામાં આગળ વધેલા ઉમેદવારોમાંથી 16 લોકો સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ પસંદગી સમિતિએ ત્રણ સૌથી યોગ્ય ઉમેદવારોની અંતિમ યાદી તૈયાર કરીને ટ્રસ્ટને સોંપી છે. હવે આ ત્રણ નામમાંથી કોની પસંદગી કરવામાં આવશે તેનો અંતિમ નિર્ણય શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ કરશે. પસંદ કરાયેલા CEOના નામની સત્તાવાર જાહેરાત પણ ટ્રસ્ટ તરફથી જ કરવામાં આવશે.પસંદગી સમિતિના સભ્યો અયોધ્યા પહોંચ્યાCEOની પસંદગી માટે રચાયેલી સમિતિમાં અનુભવી અને પ્રતિષ્ઠિત સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમિતિમાં નિવૃત્ત ન્યાયાધીશ પ્રમોદ કોહલી, નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ વિષ્ણુકાંત ચતુર્વેદી અને નિષ્ણાત સભ્ય સુરેશ હાવરે સામેલ છે. ત્રણેય સભ્યો અયોધ્યા પહોંચી ચૂક્યા હોવાનું જણાવવામાં આવ્યું છે.ટ્રસ્ટના અન્ય ખાલી પદો પર પણ નિર્ણયની શક્યતાટ્રસ્ટની બેઠકમાં માત્ર CEOના પદ અંગે જ નહીં, પરંતુ અન્ય ખાલી જગ્યાઓ અંગે પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બે સભ્યો અને મહાસચિવ સહિત કેટલાક મહત્વપૂર્ણ પદો હાલમાં ખાલી છે. આ જગ્યાઓ માટે પણ નવા નામોની જાહેરાત થઈ શકે છે.જગદીશ આફલે બની શકે છે પ્રથમ CEOમંદિર ટ્રસ્ટના સચિવ પદ માટે પણ ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થવાની શક્યતા છે. મહારાષ્ટ્રના રહેવાસી જગદીશ આફલેને ટ્રસ્ટના પ્રથમ સચિવ તરીકે જવાબદારી સોંપવામાં આવી શકે છે.જગદીશ આફલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા હોવાનું જણાવવામાં આવે છે અને તેઓ રામ મંદિર નિર્માણ પ્રોજેક્ટમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. તેમણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બીટેક કર્યું છે અને IIT બોમ્બેમાંથી એમટેકની ડિગ્રી મેળવી છે.ભારત ઉપરાંત યુરોપ અને અમેરિકામાં પણ કાર્યનો અનુભવ ધરાવતા આફલે નિવૃત્તિ બાદ ભારત પરત ફર્યા હતા. હવે રામ મંદિરના વહીવટી માળખાને વધુ મજબૂત બનાવવા માટે ટ્રસ્ટની આગામી બેઠક અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.આ પણ વાંચો: Weather Update: રાજધાની દિલ્હીથી લઇને બંગાળ સુધી વરસાદી માહોલ, પહાડો પર લેન્ડસ્લાઇડનો ખતરો વધ્યો
Read Full Story arrow_forward