android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News LIVE  : નેપાળ પૂર: ભોટેકોશી નદીના પાણીનું સ્તર ફરી વધ્યું, એલર્ટ જાહેર
calendar_today August 30, 2026

Gujarat Latest News LIVE : નેપાળ પૂર: ભોટેકોશી નદીના પાણીનું સ્તર ફરી વધ્યું, એલર્ટ જાહેર

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 30 August ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Morbi : વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ જીવન ટૂંકાવ્યું, 3.50 લાખની લેવડદેવડ મામલે ફરિયાદ
calendar_today August 30, 2026

Morbi : વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ જીવન ટૂંકાવ્યું, 3.50 લાખની લેવડદેવડ મામલે ફરિયાદ

મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને વેપારીએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. ધંધો યોગ્ય રીતે ન ચાલતા મૃતક અમૃતસિંહ જાડેજાએ 3.50 લાખ રૂપિયા લીધા હોવાનું સામે આવ્યું છે. નાણાંનું વ્યાજ ચૂકવ્યા બાદ પણ સતત ઉઘરાણી ચાલુ રાખવામાં આવતી હોવાના આક્ષેપો છે.3.50 લાખ લીધા, છતાં ઉઘરાણીનો અંત નહીંપ્રાથમિક માહિતી મુજબ અમૃતસિંહ જાડેજાએ ધંધાકીય જરૂરિયાત માટે 3.50 લાખ રૂપિયા લીધા હતા. ધંધો બરાબર ન ચાલતા આર્થિક મુશ્કેલી વધી હતી. બીજી તરફ લીધેલા નાણાંનું વ્યાજ ચૂકવવા છતાં સતત ઉઘરાણી કરવામાં આવતી હોવાનો પરિવારનો આક્ષેપ છે.કાર પડાવી લેવાનો પણ આક્ષેપફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે વ્યાજની રકમ ચૂકવ્યા બાદ પણ આરોપીઓએ અમૃતસિંહ જાડેજાની કાર પડાવી લીધી હતી. ત્યારબાદ પણ તેમની પાસેથી સતત ઉઘરાણી કરવામાં આવતી હતી. આર્થિક અને માનસિક દબાણના કારણે તેઓ ભારે પરેશાન હોવાનું પરિવારજનોનું કહેવું છે.પત્નીએ બે શખ્સો સામે ફરિયાદ નોંધાવીસમગ્ર મામલે મૃતક અમૃતસિંહ જાડેજાની પત્નીએ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં મયુર ડોડિયા અને યુવરાજ ઉર્ફે લાલા સામે આક્ષેપો કરવામાં આવ્યા છે.આરોપીઓને ઝડપી લેવા પોલીસની કાર્યવાહીફરિયાદ નોંધાયા બાદ પોલીસે બંને આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી તેજ કરી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને વ્યાજની લેવડદેવડ, ઉઘરાણી તથા કાર પડાવી લેવાના આક્ષેપો સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.વ્યાજખોરીના ત્રાસ સામે ફરી ગંભીર સવાલમોરબીની આ ઘટના વ્યાજખોરીના કારણે સામાન્ય લોકો પર ઊભા થતા આર્થિક અને માનસિક દબાણ સામે ગંભીર સવાલો ઉભા કરે છે. ફરિયાદમાં કરાયેલા આક્ષેપોની પોલીસ તપાસ બાદ હકીકત સ્પષ્ટ થશે. જો વ્યાજખોરો દ્વારા ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હોય તો તેમની સામે કડક કાર્યવાહી જરૂરી બની છે. આ પણ વાંચો   :     Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video

Read Full Story arrow_forward
NEET PG Exam : રાજકોટમાં NEET PG પરીક્ષા પહેલાં હંગામો, પ્રવેશ મુદ્દે વિદ્યાર્થીનીની માતા ધ્રુસકે ધ્રુસકે રડી
calendar_today August 30, 2026

NEET PG Exam : રાજકોટમાં NEET PG પરીક્ષા પહેલાં હંગામો, પ્રવેશ મુદ્દે વિદ્યાર્થીનીની માતા ધ્રુસકે ધ્રુસકે રડી

રાજકોટમાં આજે NEET PG પરીક્ષા દરમિયાન પ્રવેશ મુદ્દે ભારે દોડધામ સર્જાઈ હતી. પરીક્ષા પ્રવેશનો સમય પૂર્ણ થવાના સમયે ડોક્યુમેન્ટની કલર ઝેરોક્ષ કરાવવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ દોડતા જોવા મળ્યા હતા. આ દરમિયાન એક વિદ્યાર્થીનીને શરૂઆતમાં પ્રવેશ ન મળતા પરિવારજનોમાં ભારે ચિંતા ફેલાઈ હતી અને તેની માતા ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી.રાજકોટમાં 2 કેન્દ્રો પર પરીક્ષારાજકોટ શહેરમાં કુલ 2 કેન્દ્રો પર NEET PG પરીક્ષા લેવામાં આવી રહી છે. સમગ્ર જિલ્લામાં આશરે 5 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા આપવા માટે અંદાજે 1200 પરીક્ષાર્થીઓ નોંધાયા હોવાનું સામે આવ્યું છે.ડોક્યુમેન્ટની કલર ઝેરોક્ષ માટે દોડધામપરીક્ષા કેન્દ્ર પર પ્રવેશના અંતિમ સમયે કેટલાક વિદ્યાર્થીઓને જરૂરી ડોક્યુમેન્ટની કલર ઝેરોક્ષ માટે દોડધામ કરવી પડી હતી. સમય ઓછો હોવાથી પરીક્ષાર્થીઓ અને તેમના પરિવારજનોમાં ભારે ગભરાટ જોવા મળ્યો હતો.વિદ્યાર્થીનીને પ્રવેશ ન મળતા માતા રડી પડીપરીક્ષા કેન્દ્રની બહાર એક વિદ્યાર્થીનીને શરૂઆતમાં પ્રવેશ ન મળતા પરિવારજનોમાં ચિંતા વધી હતી. આ દરમિયાન વિદ્યાર્થીનીની માતા ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. પરિસ્થિતિ વધુ ગંભીર બનતા માતા બેભાન થઈ ગઈ હોવાનું પણ સામે આવ્યું છે.પહેલા રિજેક્ટ, બાદમાં પ્રવેશ અપાયોપ્રાથમિક માહિતી મુજબ વિદ્યાર્થીનીને શરૂઆતમાં પ્રવેશ માટે રિજેક્ટ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને ફરીથી બોલાવવામાં આવી અને અંતે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રવેશ મળ્યા બાદ પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.પરીક્ષા કેન્દ્ર બહાર વાલીઓની ભીડઆ સમગ્ર ઘટનાને પગલે પરીક્ષા કેન્દ્રની બહાર મોટી સંખ્યામાં વાલીઓ એકત્ર થયા હતા. પ્રવેશ પ્રક્રિયાને લઈને થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલી પરીક્ષા હોવાથી છેલ્લી ઘડીએ સર્જાયેલી આવી સ્થિતિએ પરિવારજનોની ચિંતા વધારી હતી.   આ પણ વાંચો  :  Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video

Read Full Story arrow_forward