Anand News: શકરપૂરના તળાવમાં ડૂબી જવાથી 3 સગી બહેનોના મોત, એકસાથે નીકળી અંતિમયાત્રા
આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં આવેલા શકરપૂર ગામે એક અત્યંત હૃદયદ્રાવક અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. રમવા-ભણવાની નાની ઉંમરે એક જ પરિવારની 3 માસૂમ સગી બહેનોના તળાવના ઊંડા પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા છે. આ કાળજું કંપાવનારી દુર્ઘટનાને પગલે સમગ્ર શકરપૂર ગામ સહિત આસપાસના પંથકમાં ભારે અરેરાટી સાથે શોકની કાળી ડિબંગ છાયા ફરી વળી છે.કાગળની હોડી તરાવતી વખતે બની દુર્ઘટનાપ્રાપ્ત માહિતી અનુસાર, ઘર નજીક આવેલા તળાવ પાસે ત્રણેય માસૂમ બહેનો રમી રહી હતી. રમતા રમતા તળાવના પાણીમાં કાગળની હોડી તરાવતી વખતે આ દુર્ઘટના બની હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રમત-રમતમાં પાણીની ઊંડાઈનો અંદાજ ન રહેવાના કારણે એક પછી એક ત્રણેય બહેનો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી અને ડૂબી જવાના કારણે તેમના શ્વાસ રુંધાતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.ગ્રામજનોએ ભારે જહેમત બાદ મૃતદેહો બહાર કાઢ્યાબનાવની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો તાત્કાલિક તળાવ ખાતે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ ભારે જહેમત ઉઠાવીને ત્રણેય દીકરીઓના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. રમવાની ઉંમરે વ્હાલસોયી દીકરીઓના આ રીતે અચાનક વિદાય લેવાથી પરિજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. એકસાથે 3 દીકરીઓની અંતિમયાત્રા નીકળતા ગામ હિબકે ચડ્યુંએક જ ઘરની 3 દીકરીઓના મૃતદેહ જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે માતા-પિતા અને સ્વજનોના કરુણ આક્રંદથી વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું. જ્યારે એકસાથે ત્રણેય માસૂમોની અંતિમયાત્રા નીકળી ત્યારે ત્યાં હાજર રહેલા તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. આ કરુણ ઘટનાના આઘાતમાં શકરપૂર ગામના અનેક પરિવારોમાં સાંજનો ચૂલો પણ સળગ્યો ન હતો.આ પણ વાંચો - Anand News : ખંભાતના ખડઉમાં ગમખ્વાર દુર્ઘટના, તળાવમાં ડૂબી જતાં એક જ પરિવારની 3 માસૂમ બાળકીઓના મોત
Read Full Story arrow_forward