android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bharuch News: આમોદના દોરા ગામમાં 12 ફૂટના મહાકાય મગરની એન્ટ્રી, વન વિભાગે સફળ રેસ્ક્યુ કર્યું
calendar_today August 31, 2026

Bharuch News: આમોદના દોરા ગામમાં 12 ફૂટના મહાકાય મગરની એન્ટ્રી, વન વિભાગે સફળ રેસ્ક્યુ કર્યું

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના દોરા ગામમાં આજે તે સમયે ભારે અફરાતફરી અને ફફડાટનો માહોલ સર્જાયો હતો. જ્યારે ગામની મધ્યમાં આવેલી બેંક નજીક એક 10થી 12 ફૂટ લાંબો મહાકાય મગર અચાનક આવી ચઢ્યો હતો. રહેણાંક વિસ્તાર અને ગામના મુખ્ય ભાગમાં જ આટલો મોટો મગર દેખાતાં જ આ વાત વાયુવેગે સમગ્ર ગામમાં પ્રસરી ગઈ હતી અને ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. સ્થાનિકોએ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક વન વિભાગને આ અંગે જાણ કરી હતી. મહાકાય મગરને સુરક્ષિત રીતે કાબૂમાં કરી લેવાયોઆર.એફ.ઓ. (RFO) અને વન વિભાગની સૂચના તથા માર્ગદર્શન હેઠળ 'નેચર સેવિંગ ફાઉન્ડેશન'ના અંકિતભાઈ પરમાર તેમજ જીવદયા કાર્યકરો ધનસુખભાઈ પરમાર અને હેમંતભાઈ મકવાણા સહિતની ટીમ ત્વરિત ઘટનાસ્થળે દોડી આવી હતી.ગામની મધ્યમાં લોકોની ભીડ વચ્ચે મગરને સલામત રીતે કાબૂમાં લેવો એક મોટો પડકાર હતો. જોકે, નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમે અત્યંત સાવચેતીપૂર્વક અને પ્રોફેસનલ રીતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે જહેમત અને મથામણ બાદ 10થી 12 ફૂટ લાંબા આ મહાકાય મગરને સુરક્ષિત રીતે કાબૂમાં લઈ લેવામાં આવ્યો હતો. ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતોમહાકાય મગર સફળતાપૂર્વક પકડાઈ જતાં જ ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો અને સંભવિત જોખમ કે હોનારત ટળી જતાં ગામમાં ફરી શાંતિનો માહોલ સ્થાપિત થયો હતો. આ અંગે વધુ માહિતી આપતાં નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિતભાઈ પરમારે જણાવ્યું હતું કે, રેસ્ક્યુ કરવામાં આવેલા મહાકાય મગરની પ્રથમ જરૂરી ડોક્ટરી તપાસ (મેડિકલ ચેકઅપ) કરાવવામાં આવશે. તપાસ પૂર્ણ થયા બાદ વન વિભાગની મંજૂરી મેળવીને તેને સુરક્ષિત રીતે તેના નૈસર્ગિક વાતાવરણ (કુદરતી આવાસ) માં મુક્ત કરવામાં આવશે.આ પણ વાંચોઃ Ahmedabad News: DHFL લોન કૌભાંડ મામલે EDની મોટી કાર્યવાહી, પ્રમોટરો સામે મની લોન્ડરિંગની તપાસ

Read Full Story arrow_forward
TB Mukt Bharat : જે.પી. નડ્ડાએ ટીબી નાબૂદી અભિયાનની પ્રગતિની કરી સમીક્ષા
calendar_today August 31, 2026

TB Mukt Bharat : જે.પી. નડ્ડાએ ટીબી નાબૂદી અભિયાનની પ્રગતિની કરી સમીક્ષા

દેશમાં ક્ષય રોગ (TB) નાબૂદ કરવાની દિશામાં ચાલી રહેલા પ્રયાસોને વધુ વેગ આપવા કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ PM-PRAGATI હેઠળ ટીબી નાબૂદી અભિયાનની પ્રગતિની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં રક્ષા રાજ્યમંત્રી સંજય સેઠ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમીક્ષામાં વિવિધ મંત્રાલયો વચ્ચે વધુ સારા સંકલન પર ભાર મૂકવામાં આવ્યો હતો. અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવીઆ બેઠક દરમિયાન 'ટીબી મુક્ત ભારત અભિયાન'ને વધુ અસરકારક બનાવવા માટે વહેલી તકે ટીબીની ઓળખ, રોગથી બચાવ, જનજાગૃતિ, સ્ક્રીનિંગ અને લોકોની સતત ભાગીદારી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સરકારનું ધ્યાન માત્ર યોજનાઓના અમલીકરણ સુધી મર્યાદિત ન રાખીને તેના માપી શકાય તેવા પરિણામો અને ગ્રામ્ય સ્તરે સીધી અસર સુનિશ્ચિત કરવા પર છે.NCC કેડેટ્સ અને MY Bharat વોલન્ટિયર્સ જોડાશેટીબી વિરુદ્ધના રાષ્ટ્રીય અભિયાનમાં વિવિધ સરકારી વિભાગોને પણ સામેલ કરવામાં આવી રહ્યા છે. યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા MY Bharat વોલન્ટિયર્સ, જ્યારે સંરક્ષણ મંત્રાલય દ્વારા NCC કેડેટ્સને મેદાની સ્તરે જાગૃતિ અને જનસંપર્ક માટે જોડવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓ અને કાર્યસ્થળોને પણ રાષ્ટ્રીય ટીબી નાબૂદી અભિયાનનો ભાગ બનાવવામાં આવી રહ્યા છે. કર્મચારીઓમાં ટીબીની તપાસ અને જરૂરી સહાયને મજબૂત બનાવવા ESIC દ્વારા પણ સ્ક્રીનિંગ અને સપોર્ટની વ્યવસ્થા વધારવામાં આવી રહી છે.સરકારના જણાવ્યા મુજબ, ટીબી સામેની લડાઈને 'સમગ્ર સરકાર અને સમગ્ર સમાજ'ના અભિગમ સાથે આગળ વધારવામાં આવી રહી છે. વિવિધ મંત્રાલયો, સંસ્થાઓ, સ્વયંસેવકો અને સમાજની ભાગીદારીથી ટીબીની વહેલી ઓળખ તથા સારવાર સુધી પહોંચ વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'ટીબી મુક્ત ભારત'ના વિઝનને સાકાર કરવા માટે આ સંકલિત પ્રયાસોને વધુ ઝડપી બનાવવામાં આવશે.આ પણ વાંચો : India GDP : 7.8 ટકાના GDP ગ્રોથ પર PM મોદીએ ખુશી વ્યક્ત કરી, કહ્યું 'ભારત ફરી સફળતાની નવી ઊંચાઈએ'

Read Full Story arrow_forward
Explainer: શું નબળું ચોમાસું તમારી થાળી મોંઘી કરશે? ખેતી અને મોંઘવારીનું કનેક્શન સમજો
calendar_today August 31, 2026

Explainer: શું નબળું ચોમાસું તમારી થાળી મોંઘી કરશે? ખેતી અને મોંઘવારીનું કનેક્શન સમજો

ચોમાસાની ઋતુ માત્ર ખેતી માટે જ નહીં પણ સમગ્ર દેશની આર્થિક સ્થિરતા અને રસોડાના બજેટ માટે કરોડરજ્જુ સમાન છે, પરંતુ 2026નું ચોમાસુ દેશ માટે એક મોટી આર્થિક અને સામાજિક ચિંતા લઈને આવ્યું છે. સેન્ટ્રલ વોટર કમિશનના તાજેતરના અહેવાલ અનુસાર, દેશના 166 થી 176 મુખ્ય જળાશયોમાં પાણીનો સંગ્રહ ચિંતાજનક સ્તરે પહોંચી ગયો છે. ઉત્તર અને પશ્ચિમ ભારતના મોટાભાગના ડેમ તેમની કુલ સંગ્રહ ક્ષમતાના માત્ર 32.38 ટકા થી 57 ટકા જ ભરાયા છે, જે ગત વર્ષની સરખામણીએ ખૂબ જ ઓછો છે. બે-તૃતીયાંશથી વધુ જળાશયો ખાલી રહેતા આવનારા સમયમાં પીવાના પાણી અને સિંચાઈનું મોટું સંકટ ઊભું થયું છે.17 વર્ષનું સૌથી નબળું ચોમાસુ અને રાજ્યવાર વરસાદની અછત  ચાલુ વર્ષે વરસાદનું વિતરણ અત્યંત અસમાન રહ્યું છે. ઓગસ્ટના અંત સુધીના આંકડા દર્શાવે છે કે, આ વર્ષનું ચોમાસુ છેલ્લા 17 વર્ષનું સૌથી નબળું સાબિત થઈ રહ્યું છે. દેશભરમાં વરસાદની એકંદર અછત 13 ટકા થી 14 ટકા સુધી પહોંચી ગઈ છે. વિવિધ રાજ્યોમાં વરસાદની વાસ્તવિક પરિસ્થિતિમહારાષ્ટ્ર: વરસાદમાં સૌથી વધુ 85 ટકા સુધીનો ઐતિહાસિક ઘટાડોમધ્ય પ્રદેશ: ચોમાસાની મોસમમાં 63 ટકા સુધીનો ભારે ઘટાડોબિહાર: 42 ટકા વરસાદની અછત સાથે ખેતીને મોટો ફટકોઆંધ્ર પ્રદેશ: 40 ટકા ઓછો વરસાદદિલ્હી (એનસીઆર): માત્ર 32.3 મીમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 39 ટકા ઓછો છેપંજાબ: 34 ટકા ની અછત સાથે ભૂગર્ભ જળ પર નિર્ભરતા વધીરાજસ્થાન: રાજ્યના 17 જિલ્લાઓ સત્તાવાર રીતે દુષ્કાળ જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છેઅપવાદરૂપે માત્ર ઓડિશામાં 27 ટકા વધુ વરસાદ અને પશ્ચિમ બંગાળમાં 3 ટકા ની મામૂલી વધત જોવા મળી છે, પરંતુ બાકીનો દેશ પાણીના ભારે સંકટથી ઘેરાયેલો છેચોમાસુ નબળું પડવાના મુખ્ય હવામાન પરિબળોહવામાન વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ, આ વર્ષે ચોમાસાના માર્ગમાં એકસાથે અનેક પ્રતિકૂળ વૈશ્વિક પરિબળો આવી ગયા છે.અલ નીનોનો પ્રભાવ: પ્રશાંત મહાસાગરમાં સમુદ્રી સપાટીનું તાપમાન અસાધારણ રીતે ગરમ થવાને કારણે અલ નીનો સક્રિય થયો છે. આ પરિસ્થિતિ માનસૂની પવનોની શક્તિ છીનવી લે છે અને દક્ષિણ એશિયામાં વરસાદ ઓછો કરે છે.146 વર્ષનો સૌથી સૂકો જૂન: ભારતીય હવામાન વિભાગ અનુસાર, જૂન મહિનો છેલ્લા 146 વર્ષમાં સૌથી સૂકો રહ્યો હતો, જેમાં 45 ટકા ની ભારે અછત નોંધાઈ હતી.  હવામાન વિભાગની અગાઉથી ચેતવણી: IMD એ શરૂઆતમાં જ સામાન્યના 90 ટકા થી 92 ટકા વરસાદની જ આગાહી કરી હતી.નકારાત્મક IOD: હિંદ મહાસાગરમાંથી મળતો સપોર્ટ નબળો રહેતા ઓગસ્ટમાં ચોમાસુ ફરીથી થંભી ગયું અને અછત વધીને 14 ટકા સુધી પહોંચી ગઈ.ખેતી અને ખરીફ પાકો પર સર્જાયેલું ભયાનક સંકટભારતની લગભગ 50 ટકા ખેતી સીધી રીતે વરસાદી પાણી પર નભે છે. વરસાદ ખેંચાવાને કારણે વાવેતર અને પાકના ઉત્પાદન પર વ્યાપક નકારાત્મક અસરો પડી રહી છે.વાવેતરમાં ઘટાડો: ખરીફ પાકનું કુલ વાવેતર ક્ષેત્ર ગત વર્ષ કરતાં 2 ટકા ઘટ્યું છે, જ્યારે મકાઈના વાવેતરમાં 4 ટકા થી વધુનો ઘટાડો થયો છે.પાક મિશ્રણમાં ફેરફાર: ડાંગર, શેરડી અને મોટા અનાજનો વિસ્તાર ઘટ્યો છે, જ્યારે ખેડૂતોએ મજબૂરીવશ ઓછું પાણી માગતા કઠોળ અને તેલીબિયાં તરફ વળવું પડ્યું છે.સિંચાઈ ખર્ચમાં વધારો: વરસાદના અભાવે ખેડૂતોએ ડીઝલ અને વીજળીના વપરાશ દ્વારા ટ્યુબવેલ અને પંપો ચલાવવા પડી રહ્યા છે, જેનાથી કૃષિ ઉત્પાદન ખર્ચ વધી ગયો છે.ઉત્પાદન ઘટવાની ભીતિ: નિષ્ણાતોના અંદાજ મુજબ, આ વર્ષે દેશના કુલ ખાદ્યાન્ન ઉત્પાદનમાં 3 ટકા થી 8 ટકા નો તીવ્ર ઘટાડો આવી શકે છે.શહેરી વિસ્તારો અને નદી બેસિન પર જળ-તણાવપાણીની અછત હવે માત્ર ગ્રામીણ વિસ્તારો કે ખેતરો પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ દેશના મોટા શહેરો અને પીવાના પાણીની વ્યવસ્થા પર પણ ઘેરા પડછાયા પડી રહ્યા છે.દિલ્હીમાં પીવાના પાણીની અછત: દિલ્હીની દૈનિક જરૂરિયાત 1,250 મિલિયન ગેલન છે, જેની સામે હાલ માત્ર 70 ટકા જેટલો જ પૂરવઠો પ્રાપ્ત થઈ રહ્યો છે.નદી બેસિનમાં જળ-સંકટ: દેશના 15 પ્રમુખ નદી બેસિનમાંથી 11 બેસિન જળ-તણાવનો સામનો કરી રહ્યા છે. ક્રિષ્ણા, કાવેરી, મહી અને તાપી જેવી જીવાદોરી સમાન નદીઓના બેસિનમાં પાણીનું સ્તર ભયજનક સપાટીથી નીચે ગયું છે.પ્રતિ વ્યક્તિ પાણીની પ્રાપ્યતા: 1950માં ભારતમાં પ્રતિ વ્યક્તિ પાણીની પ્રાપ્યતા 5,000 ઘન મીટર હતી, જે ઘટીને હાલ 1,500 ઘન મીટર થઈ ગઈ છે (1700 ઘન મીટરથી ઓછું સ્તર એટલે જળ-તણાવ).નીતિ આયોગની ભયાનક ચેતવણી: નીતિ આયોગના રિપોર્ટ મુજબ, જો જળ વ્યવસ્થાપન નહીં સુધરે તો 2050 સુધીમાં ભારતની પાણીની માંગ ઉપલબ્ધ પુરવઠા કરતા બમણી થઈ જશે.સામાન્ય માણસ પર આર્થિક ફટકો: મોંઘવારી અને CPI ફુગાવોચોમાસાની નિષ્ફળતાની સીધી અસર સામાન્ય નાગરિકોના ખિસ્સા પર મોંઘવારી સ્વરૂપે જોવા મળશેઅસરનું ક્ષેત્રસંભવિત પરિણામ અને વાસ્તવિકતાશાકભાજી અને અનાજના ભાવચોખા, ઘઉં, દાળ અને શાકભાજીનું ઉત્પાદન ઘટતા બજારમાં કિંમતો વધશે.ખાદ્ય ફુગાવો - UBI અનુસાર, જો અલ નીનોનો પ્રભાવ લંબાશે તો ખાદ્ય ફુગાવો 5.5 ટકા કે તેથી વધુ સપાટીએ પહોંચી શકે છે.ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) ખાદ્ય પદાર્થો મોંઘા થવાથી એકંદર સીપીઆઈ ઇન્ફ્લેશન 5 ટકા ની ઉપર જવાની પૂરતી શક્યતા છે.ભારતીય અર્થતંત્ર, ગ્રામીણ માગ અને EMI પર વ્યાપક અસરનબળું ચોમાસુ સમગ્ર દેશના મેક્રો-ઈકોનોમિક્સને અસર કરે છે.ગ્રામીણ ખરીદશક્તિમાં ઘટાડો: પાક નિષ્ફળ જવાથી ખેડૂતોની આવક ઘટશે. પરિણામે ટ્રેક્ટર, ટૂ-વ્હીલર, એફએમસીજી (FMCG) અને કપડાં જેવા ગ્રામીણ બજારોમાં માગ ઘટશે.RBI ની કડક વ્યાજનીતિ: ફુગાવો બેંકના ટાર્ગેટ કરતા વધશે તો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) વ્યાજદરમાં ઘટાડો કરી શકશે નહીં. પરિણામે હોમ લોન, કાર લોન અને પર્સનલ લોનના EMI મોંઘા રહેશે.સરકારી તિજોરી પર બોજ: સરકારને ગ્રામીણ રાહત પેકેજ, મનરેગા (MGNREGA) માં વધુ બજેટ અને ખાદ્ય સબસિડી પાછળ કરોડો રૂપિયાનો વધારાનો ખર્ચ કરવો પડશે.શું સપ્ટેમ્બર મહિનો સંકટમાંથી ઉગારી શકશે?હજુ ચોમાસાની સત્તાવાર વિસર્જન પ્રક્રિયા શરૂ થઈ નથી અને સપ્ટેમ્બર મહિનો આખી સિઝનનું ભવિષ્ય નક્કી કરશે.જો સપ્ટેમ્બર મહિનામાં પાછોતરો સારો વરસાદ થાય, તો મોડેથી વાવેલા કઠોળ, તેલીબિયાં અને જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહેશે, જેનાથી આવનારી રવિ સિઝન (ઘઉં, ચણા) ને ટેકો મળશે. પરંતુ જો સપ્ટેમ્બરમાં પણ વરસાદ ખેંચાશે, તો આ ચોમાસુ સત્તાવાર રીતે 'ડિફિશિયન્ટ' (સામાન્યથી 10 ટકાથી વધુ ઓછો વરસાદ) ઘોષિત થશે, જે આવનારા વર્ષ માટે દેશ સામે બહુમોટું મોંઘવારી અને જળ સંકટ ઊભું કરશે.આ પણ વાંચો - Sandesh Digital Explainer: ઘડિયાળ નહીં બદલાય, પણ બદલાશે સમયની સિસ્ટમ! જાણો 'વન નેશન, વન ટાઈમ'નું સત્ય

Read Full Story arrow_forward