android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Baramati Plane Crash: અજીત પવારનું લિયરજેટ પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું, જાણો Learjet 45ની ખાસિયત
calendar_today January 28, 2026

Baramati Plane Crash: અજીત પવારનું લિયરજેટ પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું, જાણો Learjet 45ની ખાસિયત

મહારાષ્ટ્રના નાયબમુખ્યમંત્રી અજીત પવારનું બુધવારના દિવસે સવારે નિધન થયું. અજીત પવાર બારામતી ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. દરમિયાન તેમનું વિમાન દુર્ઘટનાગસ્ત થયું. વિમાન દુર્ઘટનામાં અજીત પવાર સહિત અન્ય 6 લોકોનું નિધન થયું. અજીત પવાર લીયરજેટ 45 વિમાનમાં સવાર હતા તે બોમ્બાર્ડિયર એરોસ્પેસ (Bombardier Aerospace) દ્વારા બનાવવામાં આવ્યું છે. આ બિઝનેસ જેટ શ્રેષ્ઠ સુવિધાયુક્ત છે. જાણો  જાણો Learjet 45ની ખાસિયત.

Read Full Story arrow_forward
Ajit Pawar Plane Crash : મહારાષ્ટ્રની રાજનીતિ, શરદ પવાર અને અજિત પવાર વચ્ચે પારિવારિક સંબંધથી લઈને સત્તાનું સમીકરણ
calendar_today January 28, 2026

Ajit Pawar Plane Crash : મહારાષ્ટ્રની રાજનીતિ, શરદ પવાર અને અજિત પવાર વચ્ચે પારિવારિક સંબંધથી લઈને સત્તાનું સમીકરણ

મહારાષ્ટ્ર માટે 28 જાન્યુઆરીનો દિવસ વધુ ગોઝારા સાબિત થયો. આજે બુધવારના દિવસે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું પ્લેન ક્રેશમાં નિધન થયું. અજીત પવાર બારામતી જઈ રહ્યા હતા, ત્યારે સવારે 8.30 વાગ્યાની આસપાસ તેમનું પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થતા સવાર તમામ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજયા. અજીત પવાર મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા ગણાતા શરદ પવારના ભત્રીજા છે. NCP નેતા અજીત પવારે કાકા શરદ પવારનો હાથ પકડી રાજકીય સફરની શરૂઆત કરી હતી. અજીત અને શરદ પવારના સંબંધો બદલાતા રહ્યા છે. બંને રાજનેતાના સંબંધો હંમેશા વિવાદાસ્પદ રહ્યા છે.અજીત પવાર શરદ પવારને ગુરુ માનતાબારામતી જયાં પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું તે અજીત પવારનો લોકપ્રિય મતવિસ્તાર છે. શરદ પવાર અને અજિત પવાર વચ્ચેનો રાજકીય જંગ હવે માત્ર સત્તાની લડાઈ નથી રહ્યો, પણ તે પવાર પરિવારના અસ્તિત્વ અને NCPના વારસાનો જંગ બની ગયો છે. 2024 થી 2026ના સમયગાળામાં બંને દિગ્ગજ નેતાઓ વચ્ચે પાર્ટીને લઈને વિખવાદ વધ્યો હતો. અજીત અને શરદ પવાર વચ્ચે આ મામલે રાજકીય જંગ જોવા મળ્યો. અજીત પવારને કાકા સાથે ગમે તેટલો મતભેદ હોય છતાં પણ તેઓ કાકાને પોતાના ગુરુ માનતા. જયારે મહત્વના પ્રસંગો હોય ત્યારે કાકાના આર્શીવાદ લેવા જરૂર જતા. બહેન સુપ્રિયા સુલે સાથે રાજકીય વિવાદ બાદ પણ સુમેળભર્યા સંબંધો હતા.અજીત પવાર અને શરદ પવાર વચ્ચે રાજકીય જંગ2024 ની વિધાનસભા ચૂંટણીમાં વિવાદનવેમ્બર 2024 માં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં અજિત પવારની આગેવાની હેઠળની 'મહાયુતિ' (ભાજપ-શિવસેના-NCP) ગઠબંધનને ભવ્ય વિજય મળ્યો. અજિત પવારે સાબિત કરી દીધું કે તેમની પાસે જમીની સ્તરે ધારાસભ્યોનું સંખ્યાબળ છે. જોકે, બીજી તરફ શરદ પવારની NCP (SP) એ નૈતિક લડાઈ ચાલુ રાખી છે.અજીત-શરદ પવાર વચ્ચે પક્ષને લઈને  વિવાદઅજિત પવારની રાજકીય સફરમાં સૌથી મહત્વપૂર્ણ વળાંક 2023 માં આવ્યો. જ્યારે NCPમાં ભાગલા પડ્યા. 2 જુલાઈ2023ના રોજ અજિત પવારે તેમના કાકા શરદ પવારથી અલગ થઈ નવી પાર્ટી બનાવી. ત્યારબાદ અજીત પવાર ભાજપ-શિવસેના (એકનાથ શિંદે) સાથે મહાયુતિ ગઠબંધનમાં જોડાયા હતા. શરદ પવાર સાથે પાર્ટીના નામ અને નિશાન લઈને વિવાદ થયો હતો. ચૂંટણી પંચે અજિત પવારના જૂથને 'અસલી NCP' જાહેર કરી અને 'ઘડિયાળ'નું નિશાન તેમને સોંપ્યું. શરદ પવાર માટે આ એક મોટો આંચકો હતો, કારણ કે તેમણે જે પક્ષ શૂન્યમાંથી ઊભો કર્યો હતો તે હવે તેમના ભત્રીજાના હાથમાં છે. ચૂંટણી પંચે અજીત પવારની તરફેણમાં નિર્ણય આપ્યા બાદ શરદ પવારે 'તુતારી વગાડતો માણસ' (Man blowing a Tutari) નિશાન રાખ્યું.કાકા અને ભત્રીજા વચ્ચે કૌટુંબિક લડાઈબારામતી બેઠક પવાર પરિવારનો ગઢ માનવામાં આવે છે. અહીં કાકા અને ભત્રીજા વચ્ચેની લડાઈ સૌથી વધુ વ્યક્તિગત બની છે. એવી મીડિયામાં ચર્ચા હતી કે અજિત પવાર 2004માં મુખ્યમંત્રી બની શક્યા હોત. પરંતુ શરદ પવારના કેટલાક રાજકીય દાવપેચને કારણે, NCP મુખ્યમંત્રી પદ મેળવી શક્યા નહીં. 2024 ની લોકસભા ચૂંટણીમાં શરદ પવારના પુત્રી સુપ્રિયા સુલે અને અજિત પવારના પત્ની સુનેત્રા પવાર આમને-સામને હતા, જેમાં સુપ્રિયા સુલેનો વિજય થયો હતો. આ હારે અજિત પવારને રાજકીય રીતે પરિવારમાં થોડા નબળા પાડ્યા હતા. પત્નીની હાર બાદ અજીત પવાર સુપ્રિયા સુલેની મળ્યા હતા. ત્યારપછી ઘણા લોકોમાં ચર્ચા હતી કે પવાર ફેમીલી એક થઈ રહ્યું છે.અજીત અને શરદનું પુનઃમિલનના સંકેતજાન્યુઆરી 2026માં પુણે અને પિંપરી-ચિંચવડની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે બંને જૂથો વચ્ચે અજીબ સ્થિતિ જોવા મળી હતી. આશ્ચર્યજનક રીતે, કેટલીક જગ્યાએ અજિત પવાર અને શરદ પવારના જૂથો સ્થાનિક સ્તરે સાથે મળીને ચૂંટણી લડવાની વાતો કરતા હોવાનું સામે આવ્યું હતું. તાજેતરમાં શિવસેના (UBT) ના નેતા સંજય રાઉતે પણ દાવો કર્યો હતો કે અજિત પવારનું મન હજુ પણ પરિવાર સાથે છે અને ટૂંક સમયમાં બંને NCP જૂથોનો વિલય થઈ શકે છે. આ ચૂંટણીમાં ભાજપની જીત થઈ હતી. જયારે ઠાકરે બ્રધર્સ ઉદ્ધવ અને રાજ ઠાકરે પણ હારનો સામનો કરવો પડયો હતો. કાકા અને અન્ય પાર્ટીના રાજકીય દાવપેચ બાદ પણ અજિત પવાર મહારાષ્ટ્રમાં 6 વખત નાયબ મુખ્યમંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે.આ પણ વાંચો :Baramati plane crash : અજિત પવાર અને બારામતી વચ્ચે ત્રણ દાયકા જૂનો સંબંધ, જાણો

Read Full Story arrow_forward
Baramati plane crash : સવારે 6 વાગ્યે એપોઇન્ટમેન્ટ શરૂ કરતા ‘દાદા’, તમાકુ-દારૂ સામે કડક અજિત પવાર
calendar_today January 28, 2026

Baramati plane crash : સવારે 6 વાગ્યે એપોઇન્ટમેન્ટ શરૂ કરતા ‘દાદા’, તમાકુ-દારૂ સામે કડક અજિત પવાર

મહારાષ્ટ્રના રાજકારણમાં “દાદા” તરીકે ઓળખાતા અજિત પવાર તેમની કડક શિસ્ત, સમયપાલન અને સ્પષ્ટ વિચારધારા માટે પ્રસિદ્ધ રહ્યા છે. બહુ ઓછા રાજકારણીઓ એવા હોય છે જે દિવસની શરૂઆત વહેલી સવારથી કામ સાથે કરે, પરંતુ અજિત પવાર માટે સવારે 6 વાગ્યે કામ શરૂ કરવું સામાન્ય બાબત હતી. સવારમાં જ વિકાસ કાર્યનું નિરીક્ષણ અજિત પવાર જ્યારે પણ બારામતીમાં હાજર રહેતા, ત્યારે તેઓ સવારમાં જ વિકાસ કાર્યનું નિરીક્ષણ કરવા નીકળી પડતા. બારામતીના મેયર સચિન સાતવ મુજબ, દાદા વહેલી સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સ જોવા પહોંચતા. આ કારણે અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અને કર્મચારીઓ પણ સમયસર હાજર રહેતા અને કામમાં કોઈ ઢીલાશ ન રહેતી. નિવાસસ્થાન પર પણ આવી જ કાર્યશૈલી મુંબઈમાં આવેલા તેમના સત્તાવાર નિવાસસ્થાન પર પણ આવી જ કાર્યશૈલી જોવા મળતી. અજિત પવાર સવારે 6 વાગ્યે સંપૂર્ણ રીતે તૈયાર થઈ જતા અને તેમના વિભાગના અધિકારીઓ પણ વહેલી સવારથી તેમના ફોન અથવા બંગલા પર હાજરી આપવા તૈયાર રહેતા. તેમની આ શિસ્તબદ્ધ જીવનશૈલીને કારણે પ્રશાસનમાં કામ કરવાની ગતિ વધુ તેજ બની હતી.  6 વખત નાયબ મુખ્યમંત્રી અજિત પવાર 6 વખત નાયબ મુખ્યમંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓ માત્ર રાજકોષીય નીતિના નિષ્ણાત જ નહોતા, પરંતુ ગ્રામિણ વિકાસ અંગે પણ ઊંડી સમજ ધરાવતા હતા. અનેક સરકારોમાં નાણામંત્રી તરીકે કામ કર્યાને કારણે તેમને વિકાસ માટે કેટલો ખર્ચ યોગ્ય છે તેની સ્પષ્ટ સમજ હતી. તેમણે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત 1982માં સહકારી ખાંડ મિલના બોર્ડ સભ્ય તરીકે કરી હતી. આ કારણે સહકારી ક્ષેત્ર અને બેંકિંગ સિસ્ટમ પર તેમની મજબૂત પકડ બની. આ જ બાબતને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે પણ જાહેરમાં સ્વીકારી છે.  નશીલા પદાર્થોના સખત વિરોધી અજિત પવાર તમાકુ, ગુટખા, પાન અને દારૂ જેવા નશીલા પદાર્થોના સખત વિરોધી હતા. તેઓ પોતે આ વસ્તુઓથી સંપૂર્ણ દૂર રહેતા અને તેનો ઉપયોગ કરનારાઓને જાહેરમાં ઠપકો આપવા પણ સંકોચતા નહોતા. તેમના કાકા શરદ પવારને મોઢાના કેન્સરથી પીડાતા જોઈને તેમનું નશા વિરોધી વલણ વધુ મજબૂત બન્યું. પૂર્વ ગૃહમંત્રી R.R પાટીલને પણ કેન્સર મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી R.R પાટીલને પણ કેન્સર થયું હતું. પાટીલ અજિત પવારથી નાના હોવા છતાં, દાદા તેમને તેમના તમાકુના વ્યસન બાબતે જાહેરમાં ટોકતા હતા. તેમના માટે આરોગ્ય અને શિસ્ત માત્ર વ્યક્તિગત બાબત નહીં, પરંતુ સામાજિક જવાબદારી હતી. આ પણ વાંચો : Baramati plane crash : અજિત પવાર અને બારામતી વચ્ચે ત્રણ દાયકા જૂનો સંબંધ, જાણો

Read Full Story arrow_forward