android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gir Somnath: વહેલી સવારે યુવતીના અપહરણનો પ્રયાસ, હિંમતભર્યા પ્રતિકારથી અજાણ્યો શખ્સ ભાગ્યો
calendar_today January 24, 2026

Gir Somnath: વહેલી સવારે યુવતીના અપહરણનો પ્રયાસ, હિંમતભર્યા પ્રતિકારથી અજાણ્યો શખ્સ ભાગ્યો

ઉના શહેરના હાર્દ સમાન લાયબ્રેરી ચોક વિસ્તારમાં વહેલી સવારે આશરે 7 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. જ્યારે શહેર ધીમે ધીમે જાગી રહ્યું હતું, ત્યારે એક અજાણ્યા શખ્સે એકલતાનો લાભ લઈ રસ્તે જતી એક યુવતીને પકડી પાડી તેને બળજબરીપૂર્વક પોતાની સાથે ખેંચવાનો પ્રયાસ કર્યો હતો.યુવતીની હિંમત અને CCTV ફૂટેજઆ અણધાર્યા હુમલાથી ગભરાવાના બદલે યુવતીએ અદભૂત હિંમત દાખવી હતી. તેણે જોરજોરથી બૂમાબૂમ કરી પ્રતિકાર કરવાનું શરૂ કરતાં, પકડાઈ જવાની બીકે શખ્સ ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં નરાધમની કરતૂત સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ વીડિયો સામે આવતા જ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.ઉના પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી ઘટનાની ગંભીરતાને જોતા ઉના પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ છે. વીડિયો ફૂટેજને આધારે આરોપીને ઝડપી પાડવા માટે જુદી-જુદી ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે આટલી મોટી ઘટના બની હોવા છતાં અને કલાકો વીતી ગયા હોવા છતાં યુવતીના પરિવારજનો હજુ સુધી ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યા નથી. આમ છતાં, પોલીસે સ્વયંભૂ તપાસ હાથ ધરી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલવાની તૈયારી કરી છે.આ પણ વાંચો:વસ્ત્રાપુર ફાયરિંગ કેસ, અકસ્માત નહીં પણ હત્યા અને આત્મહત્યાનો મામલો

Read Full Story arrow_forward
Ahmedabad: વસ્ત્રાપુર ફાયરિંગ કેસ, અકસ્માત નહીં પણ હત્યા અને આત્મહત્યાનો મામલો
calendar_today January 24, 2026

Ahmedabad: વસ્ત્રાપુર ફાયરિંગ કેસ, અકસ્માત નહીં પણ હત્યા અને આત્મહત્યાનો મામલો

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા NRI એપાર્ટમેન્ટમાં થયેલા ફાયરિંગમાં પતિ-પત્નીના મોત મામલે પોલીસે મોટો ખુલાસો કર્યો છે. શરૂઆતમાં અકસ્માતે મોતનો ગુનો નોંધ્યા બાદ, ઊંડી તપાસ અને ફોરેન્સિક પુરાવાઓના આધારે હવે યશ ગોહિલ સામે પત્ની રાજેશ્વરીની હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં એ ડિવિઝન ACP જયેશ બ્રહ્મભટ્ટ પોતે ફરિયાદી બન્યા છે.DCP હર્ષદ પટેલનું મહત્વનું નિવેદનDCP ઝોન-1 હર્ષદ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "ઘટનાની ગંભીરતા જોતા ફોરેન્સિક પીએમ (Post-Mortem) કરાવવામાં આવ્યું હતું. તપાસમાં સામે આવ્યું છે કે જો અકસ્માતે ગોળી છૂટી હોત, તો તે રાજેશ્વરીબેનના માથામાં વાગે તેવી શક્યતા નહિવત છે. રિવોલ્વરમાં કુલ બે બુલેટ હતા અને બંને ફાયર કરવામાં આવ્યા હતા. આ પુરાવાઓ સાબિત કરે છે કે યશ ગોહિલે પહેલા પત્ની રાજેશ્વરીની હત્યા કરી અને ત્યારબાદ પોતે આત્મહત્યા કરી લીધી હતી."પ્રાથમિક તપાસ બાદ હત્યાની ફરિયાદ નોંધી પોલીસે પ્રાથમિક તપાસ બાદ હવે કાયદેસરની હત્યાની ફરિયાદ નોંધી છે.મૃતદેહોના ફોરેન્સિક પીએમ રિપોર્ટ અને બેલેસ્ટિક રિપોર્ટ પરથી ગોળી વાગવાનું એંગલ સ્પષ્ટ થયું છે. રિવોલ્વરમાં રહેલી બંને ગોળીઓનો વપરાશ કરી દેવામાં આવ્યો હતો.મૃતકોના મોબાઈલ ફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ કબજે કરી વધુ ડેટા રિકવર કરવાની પ્રક્રિયા શરૂ છે.આગળની કાર્યવાહીહાલ આ સમગ્ર મામલાની વધુ તપાસ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ (PI) ચલાવી રહ્યા છે. મોબાઈલ કોલ ડિટેલ્સ અને ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ આ હત્યા પાછળનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. ઉચ્ચ પોલીસ અધિકારીઓના મતે, જે રીતે માથામાં ગોળી વાગી છે તે જોતા આ સુનિયોજિત હત્યા હોવાની પ્રબળ શંકા છે.આ પણ વાંચો:મુંબઈ જઈ રહેલું કન્ટેનર ઉમરગામ માર્ગ પર પલટી ગયું, ચાલકનો આબાદ બચાવ

Read Full Story arrow_forward
Ahmedabad માં હૃદયદ્રાવક ઘટના, સાબરમતી નદીમાં ઝંપલાવી માતા-પુત્રનો સામુહિક આપઘાત
calendar_today January 24, 2026

Ahmedabad માં હૃદયદ્રાવક ઘટના, સાબરમતી નદીમાં ઝંપલાવી માતા-પુત્રનો સામુહિક આપઘાત

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર એક અત્યંત કરુણ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં મણિનગર વિસ્તારમાં રહેતા 75 વર્ષીય વૃદ્ધ માતા પ્રવિણાબેન પંડ્યા અને તેમના 42 વર્ષીય પુત્ર જગદીશ પંડ્યાએ સાબરમતી નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી છે. પ્રાથમિક માહિતી અનુસાર, પુત્ર જગદીશ લાંબા સમયથી માનસિક બીમારીથી પીડાતો હતો. બીમાર પુત્રની સ્થિતિ અને પારિવારિક સંજોગોથી કંટાળી ગયેલી માતાએ અંતે પુત્ર સાથે મોતને વહાલું કરવાનો આઘાતજનક નિર્ણય લીધો હતો. આ ઘટનાને પગલે રિવરફ્રન્ટ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને વાતાવરણ ગમગીન બની ગયું હતું.હૃદયદ્રાવક ઘટના ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ અને રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. નદીમાંથી બંનેના મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, માતા-પુત્ર બંને મણિનગરના રહેવાસી હતા અને પુત્રની સારવાર અને તેની કથળતી જતી માનસિક હાલત આ આત્મહત્યા પાછળનું મુખ્ય કારણ હોઈ શકે છે. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એક સાથે ઘરના બે સભ્યોના મોતથી પંડ્યા પરિવાર અને મણિનગર પંથકમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ પણ વાંચો : Bagdana Case માં નવો વળાંક, જયરાજ આહીર ભાવનગર IG કચેરીએ થયા હાજર, કહ્યું- તપાસમાં પૂરો સહયોગ આપીશ

Read Full Story arrow_forward