android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ankleshwar : 50 લાખ સામે રૂ. 1.26 કરોડ રુપિયાનું વ્યાજ ચૂકવ્યા છતાં વેપારીને ધમકી આપનારા ત્રણ વ્યાજખોર ઝડપાયા
calendar_today January 24, 2026

Ankleshwar : 50 લાખ સામે રૂ. 1.26 કરોડ રુપિયાનું વ્યાજ ચૂકવ્યા છતાં વેપારીને ધમકી આપનારા ત્રણ વ્યાજખોર ઝડપાયા

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં રહેતા કેમિકલ ટ્રેડિંગ કરતા વેપારીએ વ્યાજે લીધેલ રૂ.50 લાખ સામે રૂ. 1.26 કરોડ વ્યાજ ચૂકવ્યા છતાં તેમને ત્રાસ આપનારા ત્રણ વ્યાજખોરોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છેવ્યાજખોર અફઝલ ફઝલ રહેમાન પઠાણ પાસે 4 ટકા વ્યાજ ઉપર 50 લાખ લીધા હતા. અંકલેશ્વર જી.આઈ.ડી.સીની જલધારા ચોકડી પાસે આવેલ સહજાનંદ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રવિણાબેન મોદીના પતિ કેમિકલ ટ્રેડિંગનો ધંધો કરે છે.તેઓના પતિએ વ્યાજખોર અફઝલ ફઝલ રહેમાન પઠાણ પાસે 4 ટકા વ્યાજ ઉપર 50 લાખ રૂપિયા લીધા હતા.જે માટે સિક્યુરિટી પેટે 25-25 લાખના બે ચેક આપ્યા હતા.અને જ્યાં સુધી 50 લાખ પરત નહીં આપો ત્યાં સુધી દર મહિને 2.15 લાખ જમા કરવા માટે કહ્યું હતું.  કુલ 1.26 કરોડ ચૂકવ્યા હોવા છતાં વ્યાજખોરો દ્વારા 50 લાખ રૂપિયા મંગાયા જે બાદ 45 મહિના સુધીમાં 96.75 લાખ અને 30 લાખ ઓનલાઈન મળી કુલ 1.26 કરોડ ચૂકવ્યા હોવા છતાં વ્યાજખોરો દ્વારા 50 લાખ રૂપિયા માંગી ધાક ધામકીઓ આપી રહ્યા હતા. અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથક ખાતે વ્યાજખોર અફઝલ પઠાણ સહિત ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદ  આ અંગે યોગેશ મોદીના પત્ની પ્રવિણાબેને અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથક ખાતે વ્યાજખોર અફઝલ પઠાણ સહિત ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.  અફઝલ પઠાણ પઠાણી ઉઘરાણી કરતો પોલીસે વ્યાજખોરો સામે ગુનો નોંધી અફઝલ પઠાણ,તૌસિફ શેખ અને ઝુંબેર શેખને નામના શખ્સોને ઝડપી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ઝડપાયેલ આરોપી અફઝલ પઠાણ ગેરવ્યાજબી રીતે લોકોને ઊંચા વ્યાજે નાંણા આપી તેની પઠાણી ઉઘરાણી કરતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.સાથે જ આરોપી સામે અગાઉ આર્મ્સ એક્ટ સહિતના ગુના પણ નોંધાઇ ચુક્યા છે. આ પણ વાંચો-----     Ahmedabad : વસ્ત્રાપુર NRI ટાવર ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો, યશ ગોહિલ સામે પત્નીની હત્યાની ફરિયાદ, મારી નાખવાના ઇરાદે ગોળી માર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ

Read Full Story arrow_forward
Gir Somnath News: પાણી ભરેલા ખાડામાંથી મળ્યો આધેડનો મૃતદેહ
calendar_today January 24, 2026

Gir Somnath News: પાણી ભરેલા ખાડામાંથી મળ્યો આધેડનો મૃતદેહ

ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર પંથકમાં એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. ગોહિલની ખાણ-મૂળ દ્વારકા રોડ પર પાણી ભરેલા ખાડામાંથી એક 55 વર્ષીય આધેડનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.જેસીબીની મદદથી મૃતદેહ બહાર કઢાયો પાણી ભરેલો ખાડો ઊંડો હોવાથી મૃતદેહને બહાર કાઢવા માટે જેસીબી મશીનની મદદ લેવી પડી હતી. મૃતકની ઓળખ ધામળેજ ગામના વતની 55 વર્ષીય લખમણભાઈ ખીમાભાઈ ચાવડા તરીકે થઈ છે. પોલીસે મૃતદેહનો કબ્જે કરીને પોસ્ટ મોર્ટમ માટે કોડિનાર સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે. અકસ્માત કે કંઈક બીજું? પ્રાથમિક તપાસ અને આસપાસની સ્થિતિ જોતા એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, લખમણભાઈ રાત્રિના સમયે પુલ પરથી પસાર થઈ રહ્યા હશે, ત્યારે અકસ્માતે પુલ પરથી નીચે ખાડામાં ખાબક્યા હોઈ શકે છે. જોકે, સ્થાનિકોમાં આ ઘટના અકસ્માત છે, આત્મહત્યા કે પછી હત્યા? તે અંગે વિવિધ ચર્ચાઓએ જોર પકડ્યું છે. પોલીસ તપાસ તેજ કોડિનાર પોલીસ દ્વારા આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું સાચું અને સચોટ કારણ જાણી શકાશે. આ અકાળે અવસાનથી ધામળેજ ગામ અને મૃતકના પરિવારમાં ઘેરા શોકનો માહોલ છવાઈ ગયો છે. આ પણ વાંચો - Gir Somnath: રોણાજ ગામે શોર્ટ સર્કિટથી ૩ વીઘા શેરડીનો પાક બળીને ખાખ, લાખોનું નુકસાન

Read Full Story arrow_forward
Dahod News: આખલા સાથે અમાનવીય કૃત્ય, મોત બાદ પણ...
calendar_today January 24, 2026

Dahod News: આખલા સાથે અમાનવીય કૃત્ય, મોત બાદ પણ...

દાહોદમાં માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. દાહોદ શહેરના બી કેબિન વિસ્તારમાં રેલ્વે વિભાગની ગંભીર બેદરકારી અને પશુના મૃતદેહ પ્રત્યેના અમાનવીય અભિગમે સ્થાનિકોમાં ભારે રોષ જગાડ્યો છે. બે આખલાઓ વચ્ચેના યુદ્ધમાં એક આખલાનું ખાડામાં પડવાથી મોત નીપજ્યું હતું, પરંતુ ત્યારબાદ તેના મૃતદેહના નિકાલ માટે જે પદ્ધતિ અપનાવાઈ તે જોઈને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા છે.આખલાઓના યુદ્ધમાં કરૂણ અંત ઘટનાની મળતી માહિતી અનુસાર, દાહોદ બી કેબિન પાસે બે આખલાઓ પરસ્પર લડી રહ્યા હતા. આ દરમિયાન એક આખલો નજીકના ઉંડા ખાડામાં ખાબક્યો હતો, જ્યાં ગંભીર ઈજાઓ થવાના કારણે તેનું કરૂણ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા જ દાહોદ નગરપાલિકા દ્વારા જેસીબી (JCB) મશીનની મદદથી આખલાના મૃતદેહને ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. રેલ્વે વિભાગની ક્રૂરતા કેમેરામાં કેદ આખલાના મૃતદેહને અંતિમ નિકાલ માટે લઈ જવાની જવાબદારી રેલ્વે વિભાગની હતી, પરંતુ રેલ્વેના કર્મચારીઓએ માનવીય અભિગમ નેવે મૂકીને મૃત આખલાને ટ્રેક્ટરની પાછળ દોરડાથી બાંધી દીધો હતો. આ રીતે જાહેર માર્ગો પર મૃતદેહને ઢસડીને લઈ જવામાં આવ્યો હતો. આ સમગ્ર અમાનવીય દ્રશ્યો કોઈએ કેમેરામાં કેદ કરી લીધા હતા, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. લોકોમાં આક્રોશ અને ફીટકાર મૃત પશુ સાથેના આવા ગેરવર્તનને જોઈને ગૌપ્રેમીઓ અને સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, ભલે તે પશુ હોય, પણ તેના મૃતદેહની એક ગરિમા હોય છે. જાહેર માર્ગો પર આ રીતે ઢસડીને લઈ જવું એ દાહોદ રેલ્વે વિભાગની સંવેદનહીનતા દર્શાવે છે. લોકો હવે આ જવાબદાર કર્મચારીઓ સામે કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે. આ પણ વાંચો - Dahod News : લીમખેડામાં 56 વર્ષીય શિક્ષકે અગમ્ય કારણોસર ટૂંકાવ્યું જીવન, ગળેફાંસો ખાઈ કાયો આપઘાત

Read Full Story arrow_forward