android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mandal: દાલોદમાં કોમ્યુનીટી હોલને જમીનદોસ્ત કરાતા વિવાદ
calendar_today January 23, 2026

Mandal: દાલોદમાં કોમ્યુનીટી હોલને જમીનદોસ્ત કરાતા વિવાદ

અમદાવાદ જિલ્લામાં માંડલ તાલુકાના દાલોદ ગામે પે સેન્ટર શાળાની પાછળ આવેલ કોમ્યુનિટી હોલને ગત તા.18/11/2025ના રોજ પાડી દેવામાં આવ્યો હતો. દાલોદ ગ્રામ પંચાયતના ઉપસરપંચ કિશનભાઈ સેંધવે કોમ્યુનિટી હોલને જમીનદોસ્ત કરવાના મુદ્દે વિરોધ નોંધાવી તાલુકા વિકાસ અધિકારીથી લઈને મુખ્યમંત્રીના ઓનલાઈન સ્વાગત કાર્યક્રમ સુધી પ્રશ્નની રજૂઆત કરીને સમગ્ર મામલે યોગ્ય તપાસની માંગ કરી છે.દાલોદ ગામના ઉપસરપંચે લેખિત રજુઆતોમાં જણાવેલ હતું કે, આ કોમ્યુનિટી હોલને પાડતાં પહેલાં સરકારની ગાઈડલાઈન અનુસાર જવાબદાર તંત્ર પાસેથી મંજુરી લેવાની હોય છે પરંતુ નિતી નિયમોના પાલન કર્યા વગર આ હોલને પાડી દેવામાં આવ્યો હતો. તા.18 નવેમ્બરના રોજ સવારે જે.સી.બી મશીનથી આ હોલને જમીનદોસ્ત કરાયો અને તાત્કાલિક ઉપસરપંચે તેની પ્રાથમિક રજુઆત તાલુકા વિકાસ અધિકારી ભુમિકા પટેલને કરી હતી અને રજુઆતમાં આ કોમ્યુનિટી હોલને પાડવા માટેની મંજુરીનો લેટર, જર્જરિત હોલ નહોતો તેમ છતાં પાડવાનું કારણ અને આ હોલને જમીનદોસ્ત કરવા પાછળ જવાબદાર તંત્ર કોણ છે ? તે તમામ મુદ્દાઓને લઈ તપાસની માંગ કરી હતી. જોકે આ રજુઆતને લઈને આવનાર અરજદાર દાલોદના ઉપસરપંચને થોડા સમય બાદ સંતોષકારક જવાબ નહીં મળતાં અને કાર્યવાહી યોગ્ય દિશામાં નહીં ચાલતાં અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારીને પણ 16 ડીસેમ્બરના રોજ ઉપરોક્ત વિષયને લઈને લેખિત રજુઆત કરાઈ અને મુખ્યમંત્રી ઓનલાઈન સ્વાગત કાર્યક્રમમાં પણ તા.6 જાન્યુઆરીના રોજ આ પ્રશ્નને મુકવામાં આવ્યો હતો. આ કોમ્યુનિટી હોલ જમીનદોસ્ત કરવાના વિષયને લઈ માહિતી અધિકારના નિયમો આધિન તલાટી કમ મંત્રીને આર.ટી.આઈ કરીને પણ મંજુરીની નકલો આપવી, મિલ્કતની હરાજી અને જે તે એજન્સીની નિયુક્તિ કરી હોય તેની વિગતો, આ મિલ્કતને પાડવાનો કરેલ નિયત ખર્ચની વિગતો, કાટમાળની આવક અને આવક-જાવકના રજીસ્ટરો સહિતની વિગતોની માંગ કરી હતી. દાલોદ ગામે બે માસ પુર્વે કોમ્યુનિટી હોલને પાડી દેવાયો હતો અને અરજદારે વહીવટી તંત્રમાં રજુઆતો કરેલી, આર.ટી.આઈથી પણ માહિતી માંગેલી પરંતુ આ બાબતે આજદિન સુધી યોગ્ય ન્યાયિક કાર્યવાહી નહીં થતાં દાલોદના ઉપસરપંચે ઝડપી ન્યાય આપવાની માંગ ઉભી કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: પાંચાળની પવિત્ર ધરાના મૂળી ધામમાં સામૈયાનો પ્રારંભ
calendar_today January 23, 2026

Surendranagar: પાંચાળની પવિત્ર ધરાના મૂળી ધામમાં સામૈયાનો પ્રારંભ

મૂળી સ્વામીનારાયણ મંદિરમાં બીરાજમાન શ્રી હરિના 203મા વાર્ષીક પાટોત્સવ અને શિક્ષાપત્રીની રચનાના 200 વર્ષ પુરા થતા મુળી સ્વામીનારાયણ મંદિર ત્રિ-દિવસીય સામૈયાનું આયોજન કરાયુ છે. જેમાં સંતોના હસ્તે પુજનથી બુધવારે કાર્યક્રમની શરૂઆત થઈ હતી. આજે તા. 23મીને શુક્રવારે પીઠાધીપતી કૌશલેન્દ્ર મહારાજ વસંતપંચમી મહોત્સવમાં ઉપસ્થિત રહેશે.પાંચાળની ઐતિહાસિક ધીંગી ધરામાં અનેક ધાર્મીક સ્થાનો આવેલા છે. જેમાં મૂળીધામમાં બિરાજમાન શ્રી રાધાકૃષ્ણ દવે હરીકૃષ્ણ મહારાજ આદિ દેવોને સ્વયં શ્રી હરિએ બાથમાં લઈને પધરાવ્યા હતા. આ મહાપ્રસંગના 203મા વાર્ષીક પાટોત્સવ અને સર્વજીવહીતવાહીની શિક્ષાપત્રીના 200મા રચના દિવસને અનુલક્ષીને મુળી સ્વામીનારાયણ મંદિર ખાતે ત્રિ-દિવસીય સામૈયાનું ગત તા. 21મીથી તા. 23મી જાન્યુઆરી દરમીયાન મૂળીધામના મહંત મુકતસ્વરૂપદાસજીની નીશ્રામાં કરાયુ છે. જેમાં બુધવારે ઠાકોરજીના મહાઅભીષેક, રાજપચાર પુજન, પોથીયાત્રા સાથે સામૈયાની શરૂઆત થઈ હતી. આ પ્રસંગે ત્રિદિનાત્મક મહાવિષ્ણુયાગ, અખંડ ધુન, પવીત્ર સંતો અને ભુદેવો દ્વારા સંહીતાના પાઠ, ઠાકોરજીની છાબ, પવિત્ર ભોગવતી ગંગાજીનું પૂજન, વ્યસનમુકિતના કાર્યક્રમો, રકતદાન કેમ્પ, વૃક્ષારોપણ, પર્યાવરણલક્ષી સેમીનાર, જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ, શાળામાં ચોપડા વિતરણ સહિતના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. ત્યારે આજે તા. 23મીને શુક્રવારે વસંત પંચમીના શુભ દિને પીઠાધિપતિ કૌશલેન્દ્ર મહારાજ અને વજેન્દ્રપ્રસાદજી મહારાજના હસ્તે પ્રભુની પ્રસાદીનો એંગ લેવાનો અવસર હરિભકતોને મળશે. ત્રિ-દિવસિય સામૈયામાં ઝાલાવાડ ઉપરાંત ગુજરાત અને દેશ-વિદેશના ભકતોની ઉપસ્થિતિ જોવા મળી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: ક્લેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
calendar_today January 23, 2026

Patan: ક્લેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન જિલ્લામાંથી કુલ 15 અરજીઓ નોંધાઈ હતી, જેમાંથી 10 અરજદારો ઉપસ્થિત રહી પોતાની સમસ્યાઓ તથા રજૂઆતો રજૂ કરી હતી. કાર્યક્રમમાં અરજદારો દ્વારા વિવિધ મુદ્દાઓ અંગે રજૂઆતો કરવામાં આવી હતી, જેમા અગાઉની ફરિયાદનો નિકાલ ન થતાં ફરી રજૂઆત, ગેરકાયદેસર રેતી ખનન, પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થતું હોવાની ફરિયાદ, ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજનાની સહાય મેળવવામાં પડતી મુશ્કેલીઓ, 7/12 ના ક્ષેત્રફ્ળમાં ભૂલ સુધારણા, વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ મળવામાં વિલંબ, નર્મદા કેનાલ માટે કપાત થયેલી જમીનની વળતર રકમ, સરકારી માપણીમાં વિસંગતતા, ખેતરમાં દબાણ દૂર કરવા બાબત, બંધ થયેલ એસ.ટી. બસ સેવા પુનઃ શરૂ કરવા બાબત, પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાય, ગેરકાયદેસર દબાણ દૂર કરાવવા તથા નિરાધાર કુટુંબને આર્થિક સહાય અપાવવા જેવા મુદ્દાઓનો સમાવેશ થતો હતો. તદુપરાંત, સાંતલપુર તાલુકાના દાત્રાણા ગામમાંથી પસાર થતી માઇનર કેનાલમાં નબળા કામના કારણે થયેલ નુકશાનની ભરપાઈ, હારીજ ખાતે ગટર ઉભરાવાની સમસ્યા તથા ગટરના તૂટેલા ઢાંકણાં બદલવાની માંગ તેમજ રહેણાંક સનદો અને હુકમો આપવાની રજૂઆતો પણ કરવામાં આવી હતી. કલેક્ટરે તમામ અરજીઓનો હકારાત્મક અભિગમથી વિચાર કરી સંબંધિત અધિકારીઓને તાત્કાલિક અને અસરકારક રીતે નિકાલ કરવા સૂચના આપી હતી. સાથે અરજદારોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવે તે માટે ગંભીરતા અને સંવેદનશીલતા સાથે કાર્યવાહી કરવા તાકીદ કરી હતી. કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા વી.કે. નાયી, નિવાસી અધિક કલેક્ટર હિરેન ચૌહાણ તેમજ જિલ્લાના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward