android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News: 16મી જાન્યુઆરીથી સચિવાલયથી મહાત્મા મંદિર સુધી મેટ્રો ટ્રેન શરૂ થશે
calendar_today January 13, 2026

Gandhinagar News: 16મી જાન્યુઆરીથી સચિવાલયથી મહાત્મા મંદિર સુધી મેટ્રો ટ્રેન શરૂ થશે

વડાપ્રધાન મોદીએ ગત 11 જાન્યુઆરીએ ગાંધીનગર મેટ્રો રેલ ફેઝ-2નું ઉદ્ઘાટન કર્યું હતું. હવે આ રૂટ પરની મેટ્રો સેવા 16મી જાન્યુઆરીના રોજ શરૂ થશે. જે અંગેની વધુ વિગતો મેટ્રો રેલ કોર્પોરેશનની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશ દ્વારા 16મી જાન્યુઆરીથી ટ્રેનનું કોમર્શિયલ ઓપરેશન શરૂ કરવામાં આવશે તેવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. મહાત્મા મંદિર રૂટની લંબાઈ 7.8 કિ.મી છે. મેટ્રો ટ્રેનના રૂટને ઓળખવા માટે હવે અલગ અલગ કલર કોડ અપાયા છે. નવા શેડ્યુલ્ડ મુજબ વસ્ત્રાલથી થલતેજ સુધીના કોરિડોરને બ્લુ કલર, જ્યારે એપીએમસીથી મોટેરા સુધીના કોરિડોરને રેડ કલરથી દર્શાવાયો છે. આ ઉપરાંત મોટેરાથી સચિવાલય સુધીના રૂટને યલો લાઈન અને જીએનએલયુથી ગિફ્ટ સિટીના રૂટને વાયોલેટ કલર કોડ ફાળવાયો છે. મેટ્રો ફેઝ-2ના સચિવાલય–મહાત્મા મંદિર રૂટની લંબાઈ 7.8 કિ.મી છે. આ રૂટમાં સાત સ્ટેશન સામેલ કરાયા છે. જેમાં અક્ષરધામ, જૂનું સચિવાલય, સેક્ટર-16, સેક્ટર-24, મહાત્મા મંદિર, સેક્ટર-10 અને સચિવાલયનો સમાવેશ થાય છે.મેટ્રો ફેઝ-2 અંતર્ગત કુલ 28.2 કિમીનો રૂટ અને 22 સ્ટેશન તૈયાર કરાયા છે. આ સમગ્ર પ્રોજેક્ટ અંદાજે પાંચ હજાર કરોડથી વધુના ખર્ચે પૂર્ણ થયો છે. આ પણ વાંચોઃ Rajkot: SBI બેંકમાં ગ્રાહક અને કર્મચારી વચ્ચે હાઈવોલ્ટેજ ડ્રામા, જાહેરમાં છૂટાહાથની મારામારી

Read Full Story arrow_forward
Rajkot : મારવાડી યુનિવર્સિટી ખાતે ગુજરાત પ્રવાસન વિભાગનું થીમ પેવેલિયન 'સૌરાષ્ટ્ર–કચ્છની ધરોહર' બન્યું આકર્ષણનું કેન્દ્ર
calendar_today January 13, 2026

Rajkot : મારવાડી યુનિવર્સિટી ખાતે ગુજરાત પ્રવાસન વિભાગનું થીમ પેવેલિયન 'સૌરાષ્ટ્ર–કચ્છની ધરોહર' બન્યું આકર્ષણનું કેન્દ્ર

રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)’ અંતર્ગત ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા હોલ નં. 1 ખાતે 10થી 15 જાન્યુઆરી 2025 દરમિયાન ‘સૌરાષ્ટ્ર–કચ્છની ધરોહર’ થીમ આધારિત વિશેષ પેવેલિયનનું આયોજન કરવામાં આવ્યું છે. આ થીમ પેવેલિયન સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર, ઐતિહાસિક વારસા, કુદરતી સૌંદર્ય અને પ્રવાસન વૈવિધ્યને રજૂ કરી મુલાકાતીઓમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.હસ્તકલાઓનું કારીગરો દ્વારા સ્થળ પર જીવંત પ્રદર્શન આ પેવેલિયનમાં ગીર નૅશનલ પાર્ક, સોમનાથ મંદિર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ધોળાવીરા, કચ્છનું રણ, સહિત સૌરાષ્ટ્ર–કચ્છનાં પ્રખ્યાત પ્રવાસન સ્થળોની પ્રતિકૃતિઓ અને દૃશ્ય રજૂઆતો દ્વારા પ્રદેશના પ્રવાસન વૈવિધ્યને જીવંત રીતે રજૂ કરવામાં આવ્યું છે. પ્રદર્શનની વિશેષ ઓળખ તરીકે કચ્છી અને સૌરાષ્ટ્ર આધારિત હસ્તકલા તથા કલાનાં જીવંત પ્રદર્શન (Live Demonstrations) યોજાઈ રહ્યા છે. આ જીવંત પ્રદર્શન સરકારની ‘હર ઘર સ્વદેશી – ઘર ઘર સ્વદેશી’ અભિયાનની દૃષ્ટિ સાથે સુસંગત છે, જેના માધ્યમથી પરંપરાગત કળાઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. કચ્છી ભરતકામ, રોગન આર્ટ, અજરખ કલા, બાંધણી, ધાતુકલા, માટીકામ જેવી હસ્તકલાઓનું કારીગરો દ્વારા સ્થળ પર જીવંત પ્રદર્શન થવાથી કલાકારોને ઉત્સાહ મળે છે તેમજ તેમને રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે ઓળખ અને મંચ પ્રાપ્ત થઈ રહ્યો છે. પ્રવાસનને આકર્ષવા થીમ પેવેલિયનનું આયોજન આ સાથે ગુજરાત તેમજ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશની GI ટૅગ પ્રાપ્ત હસ્તકલા વસ્તુઓનું વિશેષ પ્રદર્શન પણ થીમ પેવેલિયનનું મુખ્ય આકર્ષણ બન્યું છે. -આ પ્રદર્શન દ્વારા પ્રદેશની અનોખી કળાત્મક ઓળખને ઉજાગર કરી હસ્તકલા ક્ષેત્રને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. પેવેલિયનમાં માહિતી ડેસ્ક દ્વારા પ્રવાસન બ્રોશર, બુકલેટ્સ, ડેસ્ટિનેશન મેપ્સ તેમજ થીમ આધારિત પ્રવાસન માર્ગદર્શિકાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેના માધ્યમથી રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળોની વિસ્તૃત માહિતી મુલાકાતીઓને પ્રાપ્ત થઈ રહી છે. ગુજરાતભરમાંથી પ્રવાસનને આકર્ષવા તેમજ વિવિધ ઉદ્યોગક્ષેત્રો સાથે પ્રવાસન ક્ષેત્રનો વ્યાપ વિસ્તરે તે હેતુસર આ થીમ પેવેલિયનનું આયોજન કરવામાં આવ્યું છે. હસ્તકલા ક્ષેત્રને નવી દિશા અને નવી ઊંચાઈ આપવાનું કાર્ય રાજ્યના પ્રવાસન પ્રચાર અને પ્રસારને વ્યાપક સ્તરે તથા દરેક ક્ષેત્ર સુધી પહોંચાડવા માટે ગુજરાત પ્રવાસન વિભાગ સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે અને આ દિશામાં સતત પ્રયાસો કરી રહ્યું છે. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ‘Explore & Experience Gujarat’ના સંદેશને વધુ વ્યાપક બનાવવા માટે પરંપરાગત વારસો, જીવંત કલા અને આધુનિક રજૂઆતનું સંયોજન આ પેવેલિયનમાં સફળતાપૂર્વક રજૂ કરવામાં આવ્યું છે, જે સૌરાષ્ટ્ર–કચ્છના પ્રવાસન સાથે સાથે સ્થાનિક કારીગરો અને હસ્તકલા ક્ષેત્રને નવી દિશા અને નવી ઊંચાઈ આપવાનું કાર્ય કરી રહ્યું છે.આ પણ વાંચો : Gandhinagar News: 16મી જાન્યુઆરીથી સચિવાલયથી મહાત્મા મંદિર સુધી મેટ્રો ટ્રેન શરૂ થશે

Read Full Story arrow_forward
Ahmedabad : પતંગ રસિકો માટે સારા સમાચાર, ઉત્તરાયણ પર પવનની ગતિ રહેશે શાનદાર
calendar_today January 13, 2026

Ahmedabad : પતંગ રસિકો માટે સારા સમાચાર, ઉત્તરાયણ પર પવનની ગતિ રહેશે શાનદાર

ઉત્તરાયણના પવિત્ર પર્વને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે પતંગરસિયાઓ માટે હવામાન વિભાગે પવનની ગતિ અંગે રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તરાયણના દિવસે પવનની ગતિ પ્રતિ કલાક 5 થી 15 કિલોમીટર રહેવાની શક્યતા છે. પવનની દિશા મુખ્યત્વે ઉત્તર-પશ્ચિમથી ઉત્તર-પૂર્વ તરફની રહેશે, જે પતંગ ચગાવવા માટે સાનુકૂળ માનવામાં આવે છે. સવારના સમયે પવનની ગતિ મધ્યમ રહેશે, જે બપોર બાદ પતંગબાજોને પેચ લડાવવામાં પૂરતો સાથ આપશે. રાજ્યભરમાં વાતાવરણ સંપૂર્ણપણે શુષ્ક રહેશે હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી સાત દિવસ સુધી રાજ્યભરમાં વાતાવરણ સંપૂર્ણપણે શુષ્ક રહેશે અને વરસાદની કોઈ જ શક્યતા નથી. આકાશ મોટે ભાગે સાફ રહેશે, જેથી પતંગબાજો આખો દિવસ કોઈ પણ અવરોધ વગર પર્વનો આનંદ માણી શકશે. લઘુત્તમ તાપમાનમાં થોડો ઘટાડો થવાથી વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ થશે, પરંતુ પતંગરસિયાઓ માટે આ હવામાન ઉત્તમ સાબિત થશે. રાજ્યના મોટાભાગના શહેરોમાં વાતાવરણ પતંગબાજી માટે એકદમ અનુકૂળ રહેવાની ધારણા છે.

Read Full Story arrow_forward