android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: ઉત્તરાયણ પૂર્વે AMC ની તવાઈ, નિકોલના ‘દાસ ખમણ’ ને કરાયું સીલ
calendar_today January 13, 2026

Ahmedabad: ઉત્તરાયણ પૂર્વે AMC ની તવાઈ, નિકોલના ‘દાસ ખમણ’ ને કરાયું સીલ

આગામી ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે આજે સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય એકમો પર ચેકિંગ હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન નિકોલ વિસ્તારમાં આવેલી જાણીતી ફૂડ ચેઈન ‘દાસ ખમણ’ ના એકમને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છે.ગંદકી અને અખાદ્ય પદાર્થો મળતા કાર્યવાહીઆરોગ્ય વિભાગની ટીમે જ્યારે નિકોલ સ્થિત દાસ ખમણના એકમ પર દરોડો પાડ્યો, ત્યારે ત્યાં ભારે ગંદકી જોવા મળી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે,ખાદ્ય પદાર્થો બનાવવાની જગ્યાએ પૂરતી સાફ-સફાઈનો અભાવ હતો.એકમમાંથી માનવ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે તેવા અખાદ્ય પદાર્થો મળી આવ્યા હતા.હાઇજેનિક ધોરણોનું પાલન ન થતું હોવાથી તંત્રએ તાત્કાલિક અસરથી આ એકમને સીલ કરી દીધું છે.તહેવારોને લઈ ચેકિંગ તેજઉત્તરાયણ દરમિયાન ચિક્કી, ઊંધિયું અને જલેબી જેવા ખાદ્ય પદાર્થોની માંગ ખૂબ વધી જતી હોય છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે હેતુથી AMC એ શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને ઝોનમાં મીઠાઈ અને ફરસાણની દુકાનો પર નમૂના લેવાની અને સ્વચ્છતા ચકાસવાની કામગીરી તેજ કરી છે.આ પણ વાંચો: ભેસ્તાનની કુખ્યાત દાલ ચાવલ ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ, 5 ઝડપાયા

Read Full Story arrow_forward
Gandhinagar News : શહેરમાં છેલ્લા 24 કલાકમાં ટાઈફોઈડના નવા 6 કેસ નોંધાયા, 41 દર્દીઓ હજી સારવાર હેઠળ
calendar_today January 13, 2026

Gandhinagar News : શહેરમાં છેલ્લા 24 કલાકમાં ટાઈફોઈડના નવા 6 કેસ નોંધાયા, 41 દર્દીઓ હજી સારવાર હેઠળ

ગાંધીનગરમાં દૂષિત પાણીને કારણે ટાઈફોઈડના કેસ સામે આવ્યાં છે. શહેરમાં ટાઈફોઈડનો હાહાકાર મચી જવા પામ્યો છે. અનેક વિસ્તારોમાં બિમારીના ખાટલા જોવા મળ્યા છે. શહેરમાં ટાઈફોઈડના કુલ 218 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં નવા 6 કેસ સામે આવ્યા છે. સારવાર હેઠળ રહેલા 22 દર્દીઓ સાજા થયા છે અે 41 દર્દીઓ હજી સારવાર હેઠળ છે. મહાનગરપાલિકાને પાણીના 58 લીકેજ મળ્યા ગાંધીનગર મહાનગર પાલિકાને પાણીના 58 લિકેજ મળ્યા છે. મહાનગર પાલિકા દ્વારા લેવામાં આવેલા 6066 સેમ્પલ પૈકી 136 સેમ્પલ ફેઈલ નીકળ્યા છે. જ્યારે પાણીના 5930 સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. શહેરમાં ટાઈફોઈડનો કહેર સામે આવતા જ 10થી વધુ ડોક્ટરો અને 100થી વધુ નર્સિંગ સ્ટાફ કામગીરીમાં લાગી ગયો છે. નવા કેસો સામે આવવાનું ચાલુ રહેતા હોસ્પિટલોમાં બેડની વ્યવસ્થા અને દવાનો જથ્થો પૂરતો રાખવા સૂચના આપવામાં આવી છે. સઘન સર્વેલન્સની કામગીરી યથાવત્ રોગચાળાને કાબૂમાં લેવા માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સઘન સર્વેલન્સની કામગીરી યથાવત્ રાખવામાં આવી છે. આરોગ્ય ટીમો દ્વારા ઘરે-ઘરે જઈને પાણીના સેમ્પલ લેવા, ક્લોરીનેશનની તપાસ કરવી અને બીમાર લોકોની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. ખાસ કરીને દૂષિત પાણી અને ખોરાકને કારણે ટાઈફોઈડ ફેલાતો હોવાથી તંત્ર દ્વારા લોકોને ઉકાળેલું પાણી પીવા અને બહારનો ખુલ્લો ખોરાક ન ખાવા અપીલ કરવામાં આવી છે. આ પણ વાંચોઃ Valsad: ઉદ્યોગપતિ સાથે 2.52 કરોડની છેતરપિંડી, તપાસમાં કુલ 7.74 કરોડનું કૌભાંડ ખુલ્યું

Read Full Story arrow_forward
Dahod: લીમડીમાં ગોઝારો અકસ્માત, પતંગ લેવા નીકળેલા બે સગા ભાઈઓને કાળમુખી બસે કચડ્યા
calendar_today January 13, 2026

Dahod: લીમડીમાં ગોઝારો અકસ્માત, પતંગ લેવા નીકળેલા બે સગા ભાઈઓને કાળમુખી બસે કચડ્યા

દાહોદ જિલ્લાના લીમડી વિસ્તારમાં આવેલા કાળીમહુડી ગામ પાસે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. ઉત્તરાયણના તહેવારની ખુશીમાં પતંગ ખરીદવા નીકળેલા બે ભાઈઓને એક ખાનગી લક્ઝરી ટ્રાવેલ્સની બસે અડફેટે લેતા બંનેના કરુણ મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.પતંગ લેવા જવું જીવનની છેલ્લી સફર બનીમળતી માહિતી મુજબ, કાળીમહુડી ગામના બે સગા ભાઈઓ પોતાના બાઈક પર પતંગ અને ઉત્તરાયણની અન્ય સામગ્રી લેવા માટે ઘરેથી નીકળ્યા હતા. આ દરમિયાન માર્ગ પર પૂરપાટ ઝડપે આવી રહેલી એક ખાનગી ટ્રાવેલ્સના ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક સવાર યુવક અને તેની સાથે બેઠેલા બાળક (ભાઈ) બંનેનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓ થવાના કારણે કરુણ મોત નીપજ્યું હતું.પરિવારમાં માતમ છવાયોઉત્તરાયણનો તહેવાર હોવાથી ઘરમાં ખુશીનો માહોલ હતો, જે પળવારમાં માતમને ફેરવાઈ ગયો છે. બે દીકરાઓના એકસાથે મોત થતા પરિવાર પર આભ ફાટ્યું છે. અકસ્માત બાદ સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને વાતાવરણ ગમગીન બની ગયું હતું. ઘટનાની જાણ થતા જ લીમડી પોલીસ સ્થળ પર પહોંચી હતી અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે અકસ્માત સર્જીને નાસી છૂટેલા ખાનગી ટ્રાવેલ્સના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.આ પણ વાંચો: ઉત્તરાયણ પૂર્વે AMC ની તવાઈ, નિકોલના ‘દાસ ખમણ’ ને કરાયું સીલ

Read Full Story arrow_forward