android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vedanta ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલના પુત્રનું નિધન
calendar_today January 7, 2026

Vedanta ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલના પુત્રનું નિધન

વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશ અગ્રવાલનું નિધન થયું છે. અનિલ અગ્રવાલે પોતે તેમના પુત્રના મૃત્યુના સમાચાર શેર કર્યા છે. એક પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, "આજે મારા જીવનનો સૌથી ખરાબ દિવસ છે. મારો પ્રિય પુત્ર અગ્નિવેશ આપણને ખૂબ જ વહેલો છોડીને ચાલ્યો ગયો. તે ફક્ત 49 વર્ષનો હતો, સ્વસ્થ, જીવન અને સપનાઓથી ભરેલો. યુનાઈટેડ સ્ટેટ્સમાં સ્કીઇંગ અકસ્માત બાદ તે ન્યૂ યોર્કની માઉન્ટ સિનાઈ હોસ્પિટલમાં સ્વસ્થ થઈ રહ્યો હતો. અમને લાગ્યું કે સૌથી ખરાબ સમય સમાપ્ત થઈ ગયો છે, પરંતુ ભાગ્યની યોજના કંઈક અલગ જ હતી. અચાનક હૃદયરોગના હુમલાએ અમારા પુત્રને અમારી પાસેથી છીનવી લીધો." 1976માં થયો હતો જન્મ અનિલ અગ્રવાલે કહ્યું "એક માતા-પિતાની પીડાનું કોઈ શબ્દોમાં વર્ણન કરી શકાતું નથી જેને પોતાના બાળકને વિદાય આપવી પડે છે. એક પુત્રએ પોતાના પિતાની સામે ન જવું જોઈએ. અગ્નિવેશના નિધનથી અમને ખૂબ જ દુઃખ થયું છે. મને હજુ પણ યાદ છે કે અગ્નિવેશનો જન્મ 3 જૂન, 1976ના રોજ પટનામાં થયો હતો. એક મધ્યમ વર્ગના બિહારી પરિવારમાંથી, તે એક મજબૂત, દયાળુ અને હેતુપૂર્ણ માણસ તરીકે મોટો થયો." વેદાંતામાં કામ કરતા હજારો યુવાનો પણ અમારા બાળકો "તે તેની માતાના જીવનનો પ્રકાશ, એક રક્ષક ભાઈ, એક વફાદાર મિત્ર અને એક ઉમદા માનવી હતો," તેમણે કહ્યું અગ્નિવેશ એક રમતવીર, સંગીતકાર અને એક લીડર હતો. તેણે અજમેરની માયો કોલેજમાં અભ્યાસ કર્યો, પછી શ્રેષ્ઠ કંપનીઓમાંની એક, ફુજૈરાહ ગોલ્ડની સ્થાપના કરી, હિન્દુસ્તાન ઝિંકના ચેરમેન બન્યા, અને તેમના સાથીદારો અને મિત્રોનો આદર મેળવ્યો. છતાં, તેમની સિદ્ધિઓ ઉપરાંત, તેઓ સરળ, મૈત્રીપૂર્ણ અને પ્રેમાળ માનવી રહ્યા. તેમણે એ જ પોસ્ટમાં આગળ લખ્યું, "મારા માટે, તે ફક્ત મારો પુત્ર જ નહોતો; તે મારો મિત્ર, મારું ગૌરવ અને મારી દુનિયા હતો. કિરણ અને હું ભાંગી પડ્યા છીએ. છતાં, અમારા દુઃખમાં, અમે પોતાને યાદ અપાવીએ છીએ કે વેદાંતામાં કામ કરતા હજારો યુવાનો પણ અમારા બાળકો છે. અગ્નિવેશ આત્મનિર્ભર ભારત બનાવવા માટે ઊંડો વિશ્વાસ રાખતા હતા. તેઓ કહેતા, 'પપ્પા, એક દેશ તરીકે, આપણી પાસે કોઈ કમી નથી. આપણે શા માટે પાછળ રહીએ?'" 75 ટકાથી વધુ કમાણી સમાજને આપશે અમારું સ્વપ્ન હતું કે કોઈ બાળક ભૂખ્યું ન સૂવે, કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહે, દરેક સ્ત્રી પોતાના પગ પર ઉભી રહે અને દેશના દરેક યુવાન પાસે અર્થપૂર્ણ કામ હોય. મેં વચન આપ્યું હતું કે આપણે જે કંઈ કમાઈએ છીએ તેના 75%થી વધુ ભાગ સમાજને આપીશું. આજે, હું તે વચનને પુનરાવર્તિત કરું છું અને વધુ સરળ જીવન જીવવાનો સંકલ્પ કરું છું. અનિલ અગ્રવાલે કહ્યું, "તેમની આગળ ઘણું જીવન હતું. હજુ ઘણા સપના પૂરા થવાના બાકી છે. તેમની ગેરહાજરી તેમના પરિવાર અને મિત્રો માટે એક ખાલી જગ્યા છોડી દે છે. અમે તેમના બધા મિત્રો, સહકાર્યકરો અને શુભેચ્છકોનો આભાર માનીએ છીએ જેઓ હંમેશા તેમની સાથે રહ્યા. દીકરા, તું અમારા હૃદયમાં, અમારા કાર્યમાં અને તારા સ્પર્શેલા દરેક જીવનમાં જીવતો રહેશે. મને ખબર નથી કે હું તારા વિના આ માર્ગ પર કેવી રીતે ચાલીશ, પરંતુ હું તારા પ્રકાશને આગળ વધારવાનો પ્રયાસ કરીશ."આ પણ વાંચો: TRAIએ ટેલીકોમ કંપનીઓ પર લગાવી 150 કરોડ રૂપિયાની પેનલ્ટી, જાણો કારણ

Read Full Story arrow_forward
Kachchh News : જિલ્લા પોલીસ વડાએ એક ઝાટકે 12 PI અને 19 PSIની આંતરિક બદલી કરી
calendar_today January 7, 2026

Kachchh News : જિલ્લા પોલીસ વડાએ એક ઝાટકે 12 PI અને 19 PSIની આંતરિક બદલી કરી

કચ્છ જિલ્લામાં પોલીસ બેડામાં હાહાકાર મચી જવા પામ્યો છે. જિલ્લા પોલીસ વડાએ પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગમાં મોટા પાયે ફેરફાર કર્યો છે. જિલ્લા પોલીસ વડાએ એક ઝાટકે 12 પીઆઈની આંતરિક બદલી કરી હતી. જ્યારે 19 પીએસઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે. 12 PI અને 19 PSIની આંતરિક બદલી કરી કચ્છ જિલ્લા પોલીસવડાએ એક ઝાટકે 12 પીઆઈ અને 19 પીએસઆઈની બદલી કરી નાંખી છે. બે પીઆઈને એસઓજી શાખામાં મુકવામાં આવ્યા છે. જ્યારે ટ્રાફિક પીઆઈ જે ડી સરવૈયાને નખત્રાણા મુકવામાં આવ્યા છે.એસઓજી પીઆઈ કે.એમ.ગઢવી ની બદલી કરી માનકુવા પોલીસમાં મુકવામાં આવ્યા છે.એ.એમ.મકવાણા એસલીબી પીઆઈ તરીકે મુકયા છે. પશ્ચિમ કચ્છ એસઓજી શાખામાં બે પીઆઈને મુકવામાં આવ્યા છે.

Read Full Story arrow_forward
Gandhinagar : ગ્રામ કલ્યાણ કાર્યક્રમ માટે રાજ્યપાલ એસ.ટી.બસમાં બેસીને સોલૈયા પહોંચ્યા
calendar_today January 7, 2026

Gandhinagar : ગ્રામ કલ્યાણ કાર્યક્રમ માટે રાજ્યપાલ એસ.ટી.બસમાં બેસીને સોલૈયા પહોંચ્યા

માણસા તાલુકાના સોલૈયા ખાતે આયોજિત ગ્રામ કલ્યાણ કાર્યક્રમમાં પહોંચવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી.)ની બસ દ્વારા ગાંધીનગરથી સોલૈયા સુધી મુસાફરી કરી હતી. મુસાફરો સાથે આત્મીય સંવાદ કર્યો મુસાફરી દરમિયાન રાજ્યપાલએ એસ.ટી. બસની સુવિધાઓ, સ્વચ્છતા, સમયપાલન તેમજ મુસાફરોને મળતી સેવાઓ અંગે માહિતી મેળવી અને મુસાફરો સાથે આત્મીય સંવાદ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, એસ.ટી. સેવા રાજ્યના લાખો નાગરિકો માટે જાહેર પરિવહનનું સરળ માધ્યમ છે અને તે ગુજરાતની સર્વાંગી વિકાસ યાત્રાનો મહત્વપૂર્ણ ભાગ છે.રાજ્યપાલની આ મુસાફરી તેમના સાદગીપૂર્ણ જીવનમૂલ્યો, જનસંપર્ક અને જાહેર સેવાઓ પ્રત્યેની આત્મીય ભાવનાને પ્રતિબિંબિત કરે છે.આ પણ વાંચોઃ Kachchh News : જિલ્લા પોલીસ વડાએ એક ઝાટકે 12 PI અને 19 PSIની આંતરિક બદલી કરી

Read Full Story arrow_forward