Gandhinagarમાં રોગચાળાનો હાહાકાર: પાણીની લાઇન લીકેજ હોવાની આરોગ્ય સમિતિ ચેરમેનની કબૂલાત
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી ફેલાયેલા રોગચાળા મામલે મોટો ખુલાસો થયો છે. ગાંધીનગર મનપાની આરોગ્ય સમિતિના ચેરમેન શૈલેષ પટેલે સંદેશ ન્યૂઝ સમક્ષ કબૂલાત કરી છે કે શહેરના અમુક વિસ્તારોમાં ફેલાયેલો રોગચાળો દૂષિત પાણીના કારણે થયો છે.દૂષિત પાણીએ લોકોની તબિયત બગાડી શૈલેષ પટેલે જણાવ્યું હતું કે, અંદાજે 4 થી 5 દિવસ પહેલા પાણીની પાઇપલાઇનમાં લીકેજ થયું હતું. આ લીકેજના કારણે પીવાના પાણીમાં ગટરનું પાણી ભળવાથી લોકોની તબિયત બગડી હતી. હાલમાં આ તમામ લીકેજ બંધ કરી દેવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ચેરમેન અનુસાર, અત્યાર સુધી 8 થી 10 ગંભીર કેસ સામે આવ્યા છે, જ્યારે અન્ય સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને દવા આપી રજા આપવામાં આવી છે. જનતા બીમાર અને નેતાઓ મેદાનમાં ચોંકાવનારી વાત એ છે કે જ્યારે ગાંધીનગરની જનતા રોગચાળાથી પીડાઈ રહી છે, ત્યારે જવાબદાર નગરસેવકો અને આરોગ્ય કમિટીના ચેરમેન પોતે ભાવનગર ખાતે ક્રિકેટ મેચ રમવા પહોંચી ગયા છે. લોકોમાં રોષ છે કે સંવેદનશીલ હોવાને બદલે નેતાઓ રમતગમતમાં વ્યસ્ત છે. જોકે, શૈલેષ પટેલે ઉમેર્યું હતું કે આવતીકાલે મેચ રમીને તેઓ પરત ગાંધીનગર રવાના થઈ જશે. આ ખુલાસા બાદ ગાંધીનગર મનપાની પ્રી-મોન્સૂન અને મેન્ટેનન્સ કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward