android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gir Somnath News : તાલાલામાં ટ્રિપલ અકસ્માત, વાહનોના કુરચા બોલી ગયા, 3ના કમકમાટીભર્યા મોત
calendar_today January 6, 2026

Gir Somnath News : તાલાલામાં ટ્રિપલ અકસ્માત, વાહનોના કુરચા બોલી ગયા, 3ના કમકમાટીભર્યા મોત

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના સુરવા-માધુપુર રોડ પર આજે એક અત્યંત હૃદયદ્રાવક ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. આ ગમખ્વાર અકસ્માત એક છકડો રીક્ષા, આઇસર ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનોનો કુરચો બોલી ગયો હતો અને તેમાં સવાર ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. અકસ્માત થતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં મૃતદેહોને વાહનોમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.તાલાલા પંથકમાં ગમગીની ઘટનાની જાણ થતા જ તાલાલા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે અને અકસ્માતને પગલે હાઈવે પર જામ થયેલા ટ્રાફિકને ખુલ્લો કરાવ્યો હતો. પ્રાથમિક તપાસમાં પૂરપાટ ઝડપે આવી રહેલા વાહનોના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન છે. એક જ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના મોત થતા સ્થાનિક પંથકમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. પોલીસે આ મામલે ગુનો નોંધી અકસ્માત માટે જવાબદાર વાહન ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરી છે. આ પણ વાંચો : Palanpur News : શિક્ષક વિદાય લેતા આખું ગામ રડી પડ્યું, ગુરુ-શિષ્યના અતૂટ પ્રેમનો હૃદયસ્પર્શી વીડિયો વાયરલ

Read Full Story arrow_forward
Vadodara: પાવાગઢ પ્રવાસમાં કાળમુખી દુર્ઘટના, નર્મદા કેનાલમાં ડૂબેલા બે શિક્ષકો પૈકી એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ જારી
calendar_today January 6, 2026

Vadodara: પાવાગઢ પ્રવાસમાં કાળમુખી દુર્ઘટના, નર્મદા કેનાલમાં ડૂબેલા બે શિક્ષકો પૈકી એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ જારી

વડોદરાથી પાવાગઢ દર્શન અને પ્રવાસ માટે ગયેલા બે શિક્ષકોના નર્મદા કેનાલમાં ડૂબી જવાની ઘટનામાં ત્રીજા દિવસે એક શિક્ષકનો મૃતદેહ હાથ લાગ્યો છે. કાલોલ તાલુકાના ખંડીવાળા પાસે બનેલી આ ઘટનામાં શિક્ષક રાહુલ યાદવનો મૃતદેહ ઘટનાસ્થળથી આશરે 20 કિમી દૂર સમા ગામ પાસેથી મળી આવ્યો છે.બે શિક્ષકોના નર્મદા કેનાલમાં ડૂબી ગયામળતી વિગતો મુજબ, શિક્ષકોનો આ સમૂહ પાવાગઢ ફરવા માટે ગયો હતો. પરત ફરતી વખતે કાલોલ તાલુકાના ખંડીવાળા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પાસે તેઓ રોકાયા હતા. આ દરમિયાન શિક્ષક રાહુલ યાદવ કેનાલના કિનારે પગ ધોવા માટે નીચે ઉતર્યા હતા. કમનસીબે, કેનાલની પાળી પર પગ લપસતા તેઓ સીધા ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા. તેમને બચાવવા જતા અન્ય સાથી શિક્ષક પણ ડૂબ્યા હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું હતું.કેનાલમાં સઘન સર્ચ ઓપરેશનઘટનાને પગલે છેલ્લા ત્રણ દિવસથી ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા કેનાલમાં સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું. આજે શોધખોળ દરમિયાન, ખંડીવાળાથી 20 કિમી દૂર આવેલા કાલોલ તાલુકાના સમા ગામ પાસેથી રાહુલ યાદવનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે કાલોલના સરકારી દવાખાને ખસેડ્યો છે.આ પણ વાંચો:ઓડદર પાસે દીપડો પથ્થરની ખાણમાં ફસાયો, સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી

Read Full Story arrow_forward
Ahmedabad : સરકારી સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓની ઐતિહાસિક રાષ્ટ્રીય સિદ્ધિ, ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી સંસ્થાનું નામ ઉજાગર કર્યું
calendar_today January 6, 2026

Ahmedabad : સરકારી સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓની ઐતિહાસિક રાષ્ટ્રીય સિદ્ધિ, ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી સંસ્થાનું નામ ઉજાગર કર્યું

સરકારી સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટ અને ફિઝિયોથેરાપી કોલેજના વિદ્યાર્થીઓએ રાજ્યથી લઈને રાષ્ટ્રીય સ્તર સુધી નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. શિક્ષણ, સંશોધન તથા રાષ્ટ્રીય પ્રતિનિધિત્વના ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓએ કરેલી આ સિદ્ધિઓ સંસ્થાની શૈક્ષણિક ગુણવત્તા અને માર્ગદર્શનની મજબૂત પરંપરાનો પુરાવો છે.વિદ્યાર્થીનીઓએ ગોલ્ડ મેડલ મેળવી કોલેજનું ગૌરવ વધાર્યું ગુજરાત યુનિવર્સિટીમાં માસ્ટર ઓફ ફિઝિયોથેરાપી અભ્યાસક્રમમાં અભ્યાસ કરતી ડૉ. પ્રિયા કોકડિયાએ Cardio‑Respiratory Disorders વિષયમાં ગોલ્ડ મેડલ તેમજ માસ્ટર ઓફ ફિઝિયોથેરાપીમાં ઓવરઓલ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. તે જ રીતે, માસ્ટર ઓફ ફિઝિયોથેરાપીમાં અભ્યાસ કરતી ડૉ. દર્શિતા ઉચદડીયાએ Orthopedic Disorders વિષયમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. ફિઝિયોથેરાપી કોલેજના ફાઈનલ યર સ્નાતક અભ્યાસક્રમમાં અભ્યાસ કરતી જુહી પંચાલે સ્નાતક સ્તરે ગોલ્ડ મેડલ મેળવી કોલેજનું ગૌરવ વધાર્યું છે. આ સાથે જ ફિઝિયોથેરાપી સ્નાતક અભ્યાસક્રમના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી વૈષ્ણવી પરીખ ‘ફિટ ભારત – હિટ ભારત’ થીમ પર યોજાનારા ‘વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદ – રાષ્ટ્રીય યુવા મહોત્સવ 2026’માં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમનું આયોજન યુવા અને રમતગમત મંત્રાલય, ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગરિમામય ઉપસ્થિતિ વિશેષ ગૌરવપૂર્ણ બની રહેશે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર વિશેષ ભાર સરકારી સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટના નિયામક ડૉ. પીયુષ મિત્તલના અસરકારક નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સંસ્થામાં શિક્ષણ, સંશોધન અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેનાથી વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક ઉત્તમતા સાથે રાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરવાની ક્ષમતા વિકસી છે. તેના પરિણામે સંસ્થાના વિદ્યાર્થીઓ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સતત ઉત્તમ પ્રદર્શન કરી રહ્યા છે. સરકારી સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટ અને ફિઝિયોથેરાપી કોલેજ આ તમામ સિદ્ધિઓ બદલ વિદ્યાર્થીઓ તથા માર્ગદર્શક પ્રાધ્યાપકોના યોગદાનને હૃદયપૂર્વક સરાહના કરે છે અને ભવિષ્યમાં વધુ ઉજ્જવળ સિદ્ધિઓ માટે શુભેચ્છાઓ પાઠવે છે.આ પણ વાંચો: Gujarat News : મિશન ડેઇલી વોટર, ગુજરાતના શહેરોમાં હવે નળથી જળનો નવો સૂર્યોદય

Read Full Story arrow_forward