android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: રામોલમાંથી દેશી તમંચા અને ચાર કારતૂસ સાથે બે શખ્સોની ધરપકડ
calendar_today January 4, 2026

Ahmedabad: રામોલમાંથી દેશી તમંચા અને ચાર કારતૂસ સાથે બે શખ્સોની ધરપકડ

રામોલના વસ્ત્ર્રાલ વિસ્તારમાંથી દેશી તમંચો અને ચાર જીવતા કારતુસ તથા ધારદાર છરી સાથે બે શખ્સોની ઝોન-5 એલસીબી સ્કવોડે ધરપકડ કરી છે.બંને આરોપીઓને આજથી થોડાક મહિના અગાઉ એક યુવક સાથે બોલાચાલી થઇ હતી જેની અદાવત રાખીને તેની પર હુમલો કરવા બંને આરોપીઓ એકટીવા લઈને નીકળ્યા હતા અને એલસીબી સ્કવોડના હાથે ઝડપાઈ ગયા હતા. આ અંગે રામોલ પોલીસે બંને શખ્સો સામે ગુનો નોધીને ધરપકડ કરી છે. રામોલ વિસ્તારમાં ઝોન-5 એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે સુર્યમ ગ્રીન ફ્લેટની સામેથી બે શખ્સો એક્ટિવા પર હથિયાર લઇને નીકળે છે. તેના આધારે પોલીસે બંનેને રોકીને એક્ટિવાની તપાસ કરતા દેશી તમંચો અને ચાર જીવતા કારતૂસ અને છરી મળી આવ્યા હતા. જેથી પોલીસે છોટેસિંહ કુશ્વાહ અને આયુષ યાદવની ધરપકડ કરી છે. તેમજ પોલીસે તમંચા સાથે કુલ રૂ. 72 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીની પૂછપરછ કરતા છોટુસિંહને બે મહિના અગાઉ સામાન્ય બોલાચાલીમાં થયેલી માથાકૂટનો બદલો લેવા તેના વતન ઉત્તરપ્રદેશના ઇટાવા ગયો અને ત્યાંથી તમંચો લઈને આવ્યો હતો. આ અંગે ઝોન-5 એલસીબી સ્કવોડે બંને આરોપીની ધરપકડ કરીને આ અંગે રામોલ પોલીસ સ્ટેશનમાં બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: રખિયાલમાંથી નેચરોપેથીની ડિગ્રી મેળવીને એલોપેથીની દવાઓ આપતો ડોકટર ઝડપાયો
calendar_today January 4, 2026

Ahmedabad: રખિયાલમાંથી નેચરોપેથીની ડિગ્રી મેળવીને એલોપેથીની દવાઓ આપતો ડોકટર ઝડપાયો

રખિયાલમાં છેલ્લા ત્રણ વર્ષથી નેચરોપેથીની ડિગ્રી મેળવીને એલોપેથીની દવાઓ આપતો ઝોલા છાપ ડોક્ટરની રખિયાલ પોલીસે દવાઓના જથ્થા સાથે ધરપકડ કરી છે.જેમાં નેચરોપેથીના સર્ટિફીકેટના આધારે એલોપેથીની દવાઓ આપતો હોવાનુ સામે આવ્યું છે. આ અંગે પોલીસે બનાવટી ડોક્ટર સામે ગુનો નોધી તેની ધરપકડ કરીને એલોપેથીનો દવાઓનો જથ્થો ક્યાંથી આવ્યો તે દિશામાં તપાસ શરુ કરી છે. રખિયાલમાં આવેલી રંગવાળી ચાલીમાં રહેતા શ્રામિક પરિવારના લોકોનું નિદાન ડીગ્રી વિનાનો ડોક્ટર કરતો હોવાની અનેક રજુઆતો પોલીસને મળી હતી. જેના આધારે રખિયાલ પોલીસે દરોડા પાડયા હતા. ત્યારે એસ.એમ.શેખ સાર્વજનિક દવાખાનામાંથી શાહિદ શેખ મળી આવ્યો હતો. તેની પાસે ડોકટરની ડિગ્રીના સર્ટીફીકેટ માંગતા ન હતા. તેમજ આરોપીની પૂછપરછ કરતા શાહિદે વર્ષ 2023માં બાબા સાહેબ આંબેડકર યુનીવર્સીટીમાંથી મેળવેલ નેચરોપેથીની ડીગ્રી પોલીસને બતાવી હતી. સરકારી નિયમ અનુસાર નેચરોપેથીનો અભ્યાસ કર્યો હોય તેમણે સત્તવાર રીતે એલોપેથીની પ્રેક્ટીસ કરવી તે ગેરમાન્ય ગણાય છે. આથી રખિયાલ પોલીસે શાહિદ શેખની ધરપકડ કરી છે અને તેના કલીનીકમાંથી મળી આવેલી એલોપેથીની દવાઓ અને ઇન્જેક્શનનો કુલ રૂ. 29 હજારનો જથ્થો કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: કાંકરિયાની કૃષ્ણકુંજ સોસાયટી પાસે ગટર ઉભરાતા રહીશો બેહાલ
calendar_today January 4, 2026

Ahmedabad: કાંકરિયાની કૃષ્ણકુંજ સોસાયટી પાસે ગટર ઉભરાતા રહીશો બેહાલ

કાંકરિયા વિસ્તારમાં આવેલી કૃષ્ણકુંજ સોસાયટીના મેન રોડ પર ગટર લાઈન બેસી જવાની ઘટના સામે આવી છે.ગટરની મુખ્ય લાઈન જમીનમાં દબાઈ જવાથી ગટરનું ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી રસ્તા પર ફરી વળ્યું હતું, જેના કારણે આખા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે. સોસાયટીના મુખ્ય પ્રવેશદ્વાર અને મેન રોડ પર ગટરના પાણી ભરાઈ જવાને કારણે સ્થાનિક રહીશોનું ઘરમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. ગટરનું પાણી રોડ પર ફરી વળતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો ગંદા પાણીમાં લપસી પડવાના કિસ્સા પણ સામે આવ્યા છે. ગટર લાઈન બેસી જવાથી રસ્તા પર પાણી ભરાયા હોવાથી વાહનોની ગતિ ધીમી પડી ગઈ છે, જેના કારણે ટ્રાફ્કિ જામના દૃશ્યો સર્જાયા છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, જો આ ગંદા પાણીનો વહેલી તકે નિકાલ કરવામાં નહીં આવે તો રોગચાળો ફટી નીકળવાની પૂરેપૂરી શક્યતા છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે ગટર લાઈન બેસી જવાની જાણ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંબંધિત વિભાગને કરવા છતાં હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. લાઈન અંદરથી બેસી ગઈ હોવાથી ખાલી પંપીંગ કરવાથી સમસ્યા ઉકેલાય તેમ નથી, તેના માટે તાત્કાલિક ધોરણે ખોદકામ કરી નવી લાઈન નાખવી જરૂરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward