android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: પૂર્વ અમદાવાદમાં ગંદકી ફેલાવતા એકમો સામે AMCનો સપાટો
calendar_today January 4, 2026

Ahmedabad: પૂર્વ અમદાવાદમાં ગંદકી ફેલાવતા એકમો સામે AMCનો સપાટો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ( AMC) ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા 04 જાન્યુઆરી, 2026 ના રોજ પૂર્વ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં સફાઈ અને પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.ખાસ કરીને પૂર્વ ઝોનમાં ગંદકી અને પ્લાસ્ટિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા એકમો સામે કડક કાર્યવાહી કરીને લાખોનો દંડ વસૂલવામાં આવ્યો હતો. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમોએ પૂર્વ ઝોનમાં કુલ 194 એકમોની મુલાકાત લીધી હતી. આ કામગીરી દરમિયાન ગંદકી ફેલાવવા બદલ 50 અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ બદલ 18 મળી કુલ 68 નોટિસ ફ્ટકારવામાં આવી હતી. તંત્ર દ્વારા આ વિસ્તારમાંથી કુલ 67,700 નો દંડ વસૂલવામાં આવ્યો હતો અને 3.3 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા *માય સિટી માય પ્રાઈડ* અભિયાન હેઠળ પૂર્વ પટ્ટામાં સઘન કામગીરી કરવામાં આવી છે. ગત 04 જાન્યુઆરી 2026ના રોજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે પૂર્વ ઝોનમાં કુલ 194 એકમોની આકસ્મિક તપાસ કરી હતી. ઓઢવ, નિકોલ અને વસ્ત્ર્રાલમાં 10 એકમો સીલ પૂર્વ ઝોનમાં સફાઈ અને સેનીટેશનના નિયમોનો ભંગ કરનારા 10 એકમોને સીલ કરી દેવામાં આવ્યા હતા. ભાઈપુરા, ખોખરા અને વટવા જેવા વિસ્તારોમાં પણ કાર્યવાહી પૂર્વ અમદાવાદના ભાઈપુરા, ખોખરા અને વટવા જેવા વિસ્તારોમાં પણ સમાંતર કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ભાઈપુરા વોર્ડમાં ભગવતી રોડ પરની હોટલ અને ખોખરામાં શનિદેવ મંદિર સામેની શુઝની દુકાન સીલ કરવામાં આવી હતી. વટવા ગામડી રોડ પર ન્યૂ રાજેશ કિરાણા સ્ટોર અને રજવાડી ટી સ્ટોલ જેવા એકમો સામે પણ કાર્યવાહી થઈ હતી. *મારું શહેર, મારો ગર્વ* અભિયાન હેઠળ પૂર્વ વિસ્તારના મુખ્ય રસ્તાઓની સફાઈ માટે મોટી સંખ્યામાં સફાઈ કામદારો તૈનાત કરવામાં આવ્યા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: ઓઢવમાં ટ્રકે ટુ-વ્હીલરને અડફેટે લેતાં યુવકનું મોત, ટ્રક મૂકીને ડ્રાઈવર ફરાર
calendar_today January 4, 2026

Ahmedabad: ઓઢવમાં ટ્રકે ટુ-વ્હીલરને અડફેટે લેતાં યુવકનું મોત, ટ્રક મૂકીને ડ્રાઈવર ફરાર

બનાવઃ1મુળ બિહારના અને હાલ ઓઢવમાં રહેતા 28 વર્ષીય સાગર યાદવ વેપારી મંડળ ખાતેની એક કંપનીમાં મજુરી કામ કરતા હતા. શનિવારે સાંજે સાગર ટુવ્હિલર લઈને વેપારી મહામંડળ કટ સામે આવેલ પેટ્રોલ પંપ પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે પુરઝડપે આવેલા ટ્રક ચાલકે ટુવ્હિલરને ટક્કર મારી હતી. જેના કારણે સાગરભાઈ રસ્તા પર પટકાઈ પડયા હતા. બીજી બાજુ ટ્રકનું ટાયર તેમના પરથી ફરી વળ્યું હોવાથી માથુ છુંદાઈ જતા ઘટના સ્થળે જ સાગરભાઈનું મોત નિપજ્યું હતુ. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો. આ અંગે આઇ ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે ફરાર ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે. બનાવઃ2 મુળ રાજસ્થાનના અને હાલ મહેમદાવાદમાં રહેતા ગોપાલસિંગ રાજપુરોહિત તેમના ભાભી પ્રવિણાબેનને ટુવ્હિલર પર લઈને તેમની બહેનના ઘરે જઈ રહ્યા હતા. બારેજા બ્રિજ પાસે આવેલ લક્ષ્મીનગર સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યા હતા, તે સમયે પુરઝડપે આવેલા ટ્રેક્ટર ટ્રોલીએ ટુવ્હિલરને ટક્કર મારી હતી. જેના કારણે ગોપાલસિંહ અને પ્રવિણાબેન રસ્તા પર પટકાઈ પડયા હતા. બીજી બાજુ ટ્રેક્ટરનું ટાયર પ્રવિણાબેન પર ફરી વળ્યું હતુ. જેથી ગંભીર ઈજાઓના કારણે પ્રવિણાબેનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. આ અંગે અસલાલી પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછ કરતા તે દસ્ક્રોઈન નવાપુરા ખાતે રહેતો અને પોતાનું નામ અજય ચુનારા હોવાનું જણાવ્યું હતુ. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: ભાઈપુરામાં 8 મહિનાથી પાણીની સમસ્યાનો નિકાલ ન આવતા મહિલાઓએ માટલા ફોડી છાજિયા લીધા
calendar_today January 4, 2026

Ahmedabad: ભાઈપુરામાં 8 મહિનાથી પાણીની સમસ્યાનો નિકાલ ન આવતા મહિલાઓએ માટલા ફોડી છાજિયા લીધા

ભાઈપુરા વોર્ડમાં છેલ્લા 8 મહિનાથી પીવાના પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહેલા સ્થાનિક રહીશોનો પ્રચંડ આક્રોશ આજે ફટી નીકળ્યો હતો.ભગવતીનગરની ચાલીના નાકે મોટી સંખ્યામાં એકત્ર થયેલી મહિલાઓએ માટલા ફેડી મ્યુનિસિપલ કોર્પોરેશનના બીનકાર્યક્ષમ વહીવટ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં સવારના સમયે પૂરતા પ્રેશરથી ચોખ્ખું પાણી આપવામાં નહીં આવે, તો સેંકડો નાગરિકો મ્યુનિસિપલ કમિશનરની કચેરીનો ઘેરાવો કરશે અને ઉગ્ર આંદોલન છેડશે. 15થી 20 સોસાયટીઓના લોકો પાણી માટે વલખાં મારે છેભાઈપુરા વોર્ડમાં આવેલ ભગવતીનગરની ચાલી, ભવાનીનગર, મહાવિમલ નગર, આનંદ નગર, કૈલાશ નગર, ગંગા નગર અને લખાભાઇની ચાલી સહિતના અંદાજે 15 થી 20 જેટલા વિસ્તારોમાં મુખ્યત્વે શ્રામજીવી અને મધ્યમ વર્ગના પરિવારો વસવાટ કરે છે. આ વિસ્તારોમાં છેલ્લા 8 માસથી પાણીની ભારે અછત પ્રવર્તી રહી છે. સ્થાનિકોની મુખ્ય માંગણીઓ સવારના સમયે પાણીઃ આ વિસ્તારમાં મોટાભાગના લોકો મજૂરીકામ સાથે સંકળાયેલા હોવાથી તેઓને સવારના સમયે પૂરતા પ્રેશરથી પાણી આપવામાં આવે જેથી તેઓ સમયસર કામ પર જઈ શકે. શુદ્ધ પાણીની સુવિધાઃ પ્રદૂષિત પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવે. બે ટાઈમ સપ્લાયઃ અન્ય વિસ્તારોની જેમ બે સમય પાણી આપવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિકોએ માગણી કરી હતી. નેતાઓની આગેવાનીમાં ઉગ્ર દેખાવો કોર્પોરેશનના અધિકારીઓ વિસ્તારના રાઉન્ડ પર હતા, ત્યારે માનવ અધિકાર ગ્રૂપના પ્રમુખ અને કાઉન્સિલર તથા સશક્ત નાગરિક સંગઠનના પ્રમુખ ની આગેવાનીમાં સ્થાનિક લોકોએ તેમને ઘેરી લીધા હતા. સ્થાનિકોમાં પાણીજન્ય રોગ વધવાની શક્યતા સ્થાનિક મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે, સાંજે જે પાણી આવે છે તે પણ અત્યંત ઓછું અને પ્રદૂષિત હોય છે. પ્રદૂષિત પાણીના કારણે નિર્દોષ બાળકો અને વૃદ્ધો ગંભીર બીમારીઓનો ભોગ બની રહ્યા છે. પંપીંગ સ્ટેશન નજીક હોવા છતાં તંત્રની ઘોર બેદરકારીને કારણે હજારો નાગરિકો પાણી માટે વલખા મારી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward