android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Nitin Gadkari: જ્યારે હાઇવે માટે તોડાવ્યું હતું સસરાનું ઘર.. નીતિશ ગડકરીએ કર્યો ખુલાસો
calendar_today January 3, 2026

Nitin Gadkari: જ્યારે હાઇવે માટે તોડાવ્યું હતું સસરાનું ઘર.. નીતિશ ગડકરીએ કર્યો ખુલાસો

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી પણ દિલ્હીમાં તેમના સત્તાવાર નિવાસસ્થાનમાં નાના પાયે ખેતરમાં ખેતી કરે છે. તેઓ ત્યાં મરચાં અને અન્ય પાક ઉગાડે છે. તેમની પત્ની પણ મહારાષ્ટ્રમાં ઓર્ગેનિક ખેતી કરે છે. ગડકરીએ ફિલ્મ દિગ્દર્શક અને કોરિયોગ્રાફર ફરાહ ખાન સાથેના વિડીયો બ્લોગમાં આ પ્રવૃત્તિઓ વિશે વાત કરી હતી. પત્ની કરે છે આર્ગેનિક ખેતી ગડકરીએ સમજાવ્યું કે મહારાષ્ટ્રમાં તેમની પત્નીની ઓર્ગેનિક ખેતીથી એક કિલો રીંગણ અને એક કિલો ડુંગળીનું ઉત્પાદન થયું છે. તેઓ ઓર્ગેનિક શાકભાજી, તુવેર અને ચણા પણ ઉગાડે છે. ખેતીમાં AI નો ઉપયોગ થાય છે. ગૂગલ અને માઈક્રોસોફ્ટનો ઉપયોગ કરીને, ખેતરોની સેટેલાઇટ છબીઓ મેળવવામાં આવે છે અને તે મુજબ સિંચાઈ કરવામાં આવે છે. તેમણે સમજાવ્યું કે તેઓ તેમના સત્તાવાર બંગલાના પરિસરમાં પણ ખેતી કરે છે, મરચાં અને અન્ય પાક ઉગાડે છે. 15-17 મોર ખાવા માટે બંગલામાં આવે છે. સોનિયા ગાંધી તેમના પાડોશી છે. મનમોહન સિંહનો બંગલો બીજી બાજુ છે. કાર્યકરોને રાજકીય વારસો મેળવવાનો અધિકાર ગડકરીએ સમજાવ્યું કે તેમનું જીવન એક સામાન્ય મધ્યમ વર્ગના પરિવારનું છે. તેઓ માને છે કે ભગવાને તેમને જે આપ્યું છે તે તેમના ક્ષમતાની બહાર છે. તેઓ તેનાથી સંતુષ્ટ છે. એક જનપ્રતિનિધિ તરીકે, ક્યારેક પાંચ હજાર લોકો પણ નાગપુરમાં તેમને મળવા આવે છે. તેઓ છેલ્લા વ્યક્તિને પણ મળે છે, ભલે તે માત્ર અડધી મિનિટ માટે હોય. તેમણે ઉમેર્યું, "મેં મારા પુત્રને એમ પણ કહ્યું છે કે જે કાર્યકરોએ મને મહાન બનાવ્યો છે તેમનો મારા રાજકીય વારસા પર અધિકાર છે. મારી પાસે બાકીનું બધું તેમનું છે, પરંતુ મારો રાજકીય વારસો મારા કાર્યકરોનો છે." જ્યારે સસરાના ઘરને તોડી પાડવું પડ્યું પોડકાસ્ટમાં, ગડકરીની પત્નીએ ખુલાસો કર્યો કે એક વખત હાઇવે બનાવવા માટે તેમના માતૃઘરને તોડી પાડવામાં આવ્યું હતું. ગડકરીએ વધુમાં કહ્યું કે હા, તેમના પિતાનું ઘર તોડી પાડવું પડ્યું. એક ચૂનો દોરવામાં આવ્યો અને આખું ઘર તોડી પાડવું પડ્યું. બદલામાં થોડું વળતર આપવામાં આવ્યું. દિલ્હી-દહેરાદૂન ફ્લાઇટ્સ 15 દિવસમાં અર્થહીન બની જશે. ગડકરીએ જણાવ્યું કે દિલ્હીથી દહેરાદૂન સુધીની ફ્લાઇટ્સ આગામી 15 દિવસમાં બંધ થઈ જશે કારણ કે લોકો બે કલાકમાં રોડ દ્વારા અંતર મુસાફરી કરી શકશે. હાઇવે તૈયાર છે.

Read Full Story arrow_forward
Chhota Udepur : બે માળના નવનિર્માણ પામતા મકાન પરથી મજૂર નીચે પટકાતા ઘટના સ્થળે જ મોત
calendar_today January 3, 2026

Chhota Udepur : બે માળના નવનિર્માણ પામતા મકાન પરથી મજૂર નીચે પટકાતા ઘટના સ્થળે જ મોત

છોટાઉદેપુર શહેરની ગૃરૂકૃપા સોસાયટીમાં ચાલી રહેલા બે માળના નવનિર્માણ પામતા મકાનના કામ દરમિયાન એક મજૂર નીચે પટકાતા ઘટનાસ્થળે જ તેનુ મોત થયું છે. આ દુર્ઘટનાથી વિસ્તારમાં શોકનો માહોલ ફેલાયો છે. ધાબાનું સેંટિંગ બાંધવાની કામગીરી દરમિયાન અચાનક ટેકો હટી જતા મજૂર નીચે પટકાયો મળતી માહિતી મુજબ, મકાનના ધાબાનું સેંટિંગ બાંધવાની કામગીરી દરમિયાન અચાનક ટેકો હટી જતા મજૂર નીચે પટકાયો હતો. નીચે પડતાં તેના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. મૃતક મજૂરનું નામ અરવિંદભાઈ રાઠવા મૃતક મજૂરનું નામ અરવિંદભાઈ રાઠવા હોવાનું જાણવા મળ્યું છે. તેઓ છોટાઉદેપુર તાલુકાના મોટી કનાસ ગામના રહેવાસીહતા અને તેમની ઉંમર આશરે 35થી 40 વર્ષ વચ્ચે હોવાનું જણાવાય છે. પોલીસ તરત ઘટનાસ્થળે પહોંચી ઘટનાની જાણ થતાં છોટાઉદેપુર પોલીસ તરત ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી છે અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો----    Gandhinagar : 4 વર્ષીય બાળકી પર દુષ્કર્મ કેસમાં આરોપી સામે માત્ર 17 દિવસમાં ચાર્જશીટ દાખલ કરાઇ,આરોપી ભાગતા મહિલા પીઆઇએ ફાયરિંગ કરેલું

Read Full Story arrow_forward
Surat Crime news: લઘુશંકા કરવાની ના પાડતા હત્યા
calendar_today January 3, 2026

Surat Crime news: લઘુશંકા કરવાની ના પાડતા હત્યા

ડાયમંડ સિટી સુરત હવે ક્રાઇમ સિટી બની રહ્યું છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. માત્ર પાણીની ટાંકીમાં લઘુશંકા કરવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં એક યુવકે જીવ ગુમાવવો પડ્યો છે. આ હિંસક હુમલામાં ચાર કિશોરો અને એક યુવકે મળીને દંપતી અને તેના દિયર પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો, જેમાં ગંભીર ઈજાઓ થવાને કારણે દિયરનું મોત નીપજ્યું છે.શું હતી સમગ્ર ઘટના? ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલી એક રહેણાંક ઇમારતની અગાસી પર પાણીની ટાંકીમાં લઘુશંકા કરવા બાબતે વિવાદ થયો હતો. જ્યારે મહિલા અને તેના પરિવારે આ ગંદકી કરવા બદલ કિશોરોને ઠપકો આપ્યો, ત્યારે મામલો બિચક્યો હતો. ઠપકાથી ઉશ્કેરાયેલા ચાર કિશોરો અને સોહેબ ખાન નામના યુવકે એકસંપ થઈને હુમલો કરી દીધો હતો. પરિવાર પર ચપ્પુ વડે જીવલેણ હુમલો આરોપીઓએ ઉશ્કેરાટમાં આવીને તીક્ષ્ણ હથિયાર વડે મહિલા, તેના પતિ અને દિયર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં દિયરને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે મહિલાનો પતિ હાલ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેની હાલત ગંભીર છે.https://x.com/sandeshnews/status/2007386140333187186 પોલીસની ત્વરિત કાર્યવાહી ઘટનાની જાણ થતા જ ભેસ્તાન પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપી સોહેબ ખાનની ધરપકડ કરી છે. આ સાથે જ આ ગુનામાં સંડોવાયેલા ચાર કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોને પણ ડિટેઈન કરવામાં આવ્યા છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. આ પણ વાંચો - Surat Crime News: ઉનમાં બે સગા ભાઈ પર હુમલો, એકનું મોત

Read Full Story arrow_forward