android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Chotila News : જય ચામુંડાના નાદથી ગુંજી ઉઠ્યો ચોટીલાનો ડુંગર, પૂનમના પર્વે લાખો ભક્તો ઉમટ્યા
calendar_today January 3, 2026

Chotila News : જય ચામુંડાના નાદથી ગુંજી ઉઠ્યો ચોટીલાનો ડુંગર, પૂનમના પર્વે લાખો ભક્તો ઉમટ્યા

ચોટીલા ડુંગર પર બિરાજમાન માં ચામુંડાના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓમાં હંમેશા ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે, ત્યારે નવા વર્ષની પ્રથમ પૂનમના પવિત્ર અવસરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં માઈભક્તો ડુંગર પર ચઢવા માટે કતારબદ્ધ થયા હતા. "જય ચામુંડા" ના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. લોકોએ લાંબી લાઈનોમાં ઊભા રહીને માંના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું અને નવા વર્ષની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી.ભક્તિ અને આસ્થાનો સંગમ ભક્તોના ભારે ધસારાને કારણે ચોટીલા હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. શ્રદ્ધાળુઓની સંખ્યા એટલી મોટી હતી કે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા, જેને નિયંત્રિત કરવા માટે પોલીસ તંત્રએ પણ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. પદયાત્રીઓ અને ખાનગી વાહનો દ્વારા આવતા ભક્તોને કારણે મંદિર પરિસર તેમજ નીચેના તળેટી વિસ્તારમાં પણ પગ મૂકવાની જગ્યા નહોતી. સ્થાનિક વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુવિધા માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. આ પણ વાંચો : Ahmedabad માં ટ્રાફિક પોલીસ એક્શનમાં, ગુજરાત હાઇકોર્ટ બહાર હેલ્મેટ ડ્રાઇવ, સરકારી બાબુઓ પણ નિશાના પર...

Read Full Story arrow_forward
Valsad: નાનાપોઢા નજીક કોલક નદીના બ્રિજની જર્જરીત સ્થિતિ, પ્રતિબંધ હોવા છતાં ભારે વાહનોની અવર જવર ચાલુ રહેતા લોકોમાં ચિંતાની લાગણી
calendar_today January 3, 2026

Valsad: નાનાપોઢા નજીક કોલક નદીના બ્રિજની જર્જરીત સ્થિતિ, પ્રતિબંધ હોવા છતાં ભારે વાહનોની અવર જવર ચાલુ રહેતા લોકોમાં ચિંતાની લાગણી

વલસાડ જિલ્લાના નાનાપોઢા વિસ્તારમાં આવેલા કોલક નદીના બ્રિજ ની હાલત ખૂબ જ જર્જરીત થઈ ગઈ છે. આ બ્રિજ પર ભારે વાહનોના ઉપયોગને લઇ વહીવટી તંત્ર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, પરંતુ વાહનચાલકો દ્વારા આ નિયમોનું બિન્ધાસ્ત ઉલંઘન થઈ રહ્યું છે.સ્થાનિક લોકોમાં ભારે ચિંતા અને રોષ સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો દર્શાવે છે કે રાત્રિના સમય દરમિયાન ભારે વાહનોનું આવન-જાવન ચાલી રહ્યું છે, જે સ્થાનિક લોકોમાં ભારે ચિંતા અને રોષ ફેલાવી રહ્યો છે.  રાત્રે ભારે વાહનો પસાર થતા હોવાથી મોટી દુર્ઘટના થવાની શક્યતા દિવસે, બ્રિજના બંને બાજુ પોલીસ બેરેક અને બંદોબસ્તને કારણે વાહનો પસાર નથી થતા, પરંતુ રાત્રે ભારે વાહનો પસાર થતા હોવાથી મોટી દુર્ઘટના થવાની શક્યતા રહે છે.  જર્જરીત બ્રિજ પરથી કોઈ પણ સમયે ભારે વાહનોના પસાર થવાથી મોટી હોનારત થઈ શકે સ્થાનિકોના જણાવ્યા મુજબ, બ્રિજની હાલત એટલી ખતરનાક બની ગઈ છે કે, જર્જરીત બ્રિજ પરથી કોઈ પણ સમયે ભારે વાહનોના પસાર થવાથી મોટી હોનારત થઈ શકે છે. વહીવટી તંત્રને તાત્કાલિક પગલાં લેવા અને બ્રિજની મરામત શરૂ કરવા માટે જણાવ્યું છે. આ પણ વાંચો----    ACB ની કાર્યવાહી, 1 વર્ષમાં રાજ્યમાં 1.72 કરોડની રકમની લાંચ લેવાઇ, સૌથી વધુ ગૃહ વિભાગમાં 59, પંચાયતમાં 27 કેસ થયા

Read Full Story arrow_forward
પ્રયાગરાજમાં માઘ સ્નાન કરવા ભક્તો ઉમટ્યાં
calendar_today January 3, 2026

પ્રયાગરાજમાં માઘ સ્નાન કરવા ભક્તો ઉમટ્યાં

વહેલી સવારથી જ હજારો શ્રદ્ધાળુઓ પવિત્ર સરયુ નદીના કિનારે સ્નાન કરવા માટે ઉમટી પડ્યા. 

Read Full Story arrow_forward