Gandhinagar : રાજ્યના ત્રણ IAS અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપાયો, જાણો કોને કયા વિભાગમાં મુક્યા
ગુજરાત સરકારે થર્ટી ફર્સ્ટની મોડી રાત્રે જ 27 IAS અને 49 IPSને પ્રમોશન આપતા આદેશો પ્રસિદ્ધ કર્યા હતાં. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજ્ય સરકારે કેટલાક IAS અધિકારીઓની બદલી કરવાની તૈયારીઓ શરૂ કરી છે. તેવામાં રાજયમાં ત્રણ IAS અધિકારીઓને વધારાનો સાર્જ સોંપવામાં આવ્યો છે. વધુ આદેશ ના થાય ત્યાં સુધી આ ત્રણ અધિકારીઓએ વધારાનો હવાલો સંભાળવો પડશે. 3 IAS અધિકારીને વધારાનો ચાર્જ સોંપાયો રાજ્ય સરકારે ટ્રાન્સપોર્ટ વિભાગના કમિશનર ડો. રાજેન્દ્ર કુમારને GPSCનો વધારાનો હવાલો સોંપી GPSCના ઈન્ચાર્જ MD બનાવ્યા છે. આ ઉપરાંત GNVFCના મેનેજિંગ ડાયરેક્ટર રાજકુમાર બેનીવાલને શહેરી વિકાસ વિભાગના ઈન્ચાર્જ સચિવનો વધારાનો ભાર સોંપવામાં આવ્યો છે. જ્યારે કમિશનર ઓફ ઈન્ફર્મેશન ગાંધીનગર કે.એલ. બચાણીને સિવિલ એવિએશનના ઈન્ચાર્જ કમિશનર તરીકે વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. આ પણ વાંચોઃ Ahmedabad ના દિલ્હી દરવાજા વિસ્તારમાં દબાણો હટાવવાની કાર્યવાહી
Read Full Story arrow_forward