android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bhuj News : ખાદ્ય ચીજોમાં ભેળસેળ કરનારા વેપારીઓ સાવધાન, ભુજમાં મીઠાઈમાં ભેળસેળ કરનાર વેપારીને કોર્ટે છ માસની સજા ફટકારી
calendar_today January 2, 2026

Bhuj News : ખાદ્ય ચીજોમાં ભેળસેળ કરનારા વેપારીઓ સાવધાન, ભુજમાં મીઠાઈમાં ભેળસેળ કરનાર વેપારીને કોર્ટે છ માસની સજા ફટકારી

ભુજમાં મીઠાઈના વેપારીને સજા ઉપરાંત કોર્ટે એક લાખનો દંડ ફટકાર્યો છે અને સાડા ચાર વર્ષ જૂના કેસમાં કોર્ટે આપ્યો ચુકાદો અને સંચાલક દયારામ અને મહેશ દાવડાને છ માસની સજા ફટકારવામાં આવી છે, ભુજમાં વેપારી ખાવડા સ્વીટ અને ફરસાણની દુકાન ચલાવી રહ્યાં હોવાની વાત સામે આવી છે. ભુજ કોર્ટનો ભેળસેળ મુદ્દે મહત્વપૂર્ણ ચુકાદો લોકોને છેતરીને ભેળસેળ કરી વધુ નફો વેપારીઓ કરતા હોય છે અને નગરપાલિકા અને કોર્પોરેશન ઘણી વાર ઓંચિતું ચેકીંગ કરીને ફૂડના નમૂના પણ લેતા હોય છે અને નમૂના પ્રમાણે જે રીપોર્ટ આવે તેના આધારે દંડ અને સજા વેપારીઓને પડતી હોય છે, ત્યારે આવા લાલચું વેપારીઓ કે જે રૂપિયા કમાવવા માટે અન્યના જીવ જોખમમાં મૂકતા હોય છે તેવોજ એક વેપારી ભુજનો પણ નીકળ્યો છે અને સાડા ચાર વર્ષ પહેલા નોંધેલા કેસમાં કોર્ટે ચુકાદો આપીને બન્નેને જેલ હવાલે કર્યા છે. ફૂડ વ્યવસાય સાથે સંકળાયેલા વ્યકિતઓ સાથે અભિપ્રાય-સૂચનો મંગાવાયા હતા ગુજરાત સરકાર દ્વારા ફુડ સેફ્ટી અને સ્ટાન્‍ડર્ડસ એક્ટ, ૨૦૦૬ કેન્દ્રિય અધિનિયમ નં. ૩૪ ઓફ ૨૦૦૬ના અસરકારક અમલ માટે રાજ્યના પરિપેક્ષ્યમાં ખાસ જરૂરિયાતો અનુરૂપ રાજ્યકક્ષાએ તેમાંની કેટલીક દંડનીય જોગવાઇઓમાં સુધારા તેમજ વિચારણા કરવામાં આવી છે. જેના ભાગરૂપે જાહેર જનતાને સલામત અને ગુણવતા સભર ખોરાક મળી રહે તે હેતુથી નાગરિકો તથા ફૂડ વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓ-અસોસિયેશનના હોદ્દેદારો પાસેથી પોતાનો અભિપ્રાય-સૂચનો મંગાવવામાં આવ્યા હતા. આ પણ વાંચો : Gir Somnath News : સોમનાથ મંદિરમાં દર્શન દરમિયાન યાત્રિકને હાર્ટ એટેક આવતા પોલીસે CPR આપી બચાવ્યો જીવ

Read Full Story arrow_forward
Gandhinagar News : ખેડૂત આંદોલનનો વિજય, હર્ષ સંઘવી સાથેની બેઠક ફળી, સાવગઢ અને હડિયોલ સહિત 11 ગામોને બાકાત કર્યા
calendar_today January 2, 2026

Gandhinagar News : ખેડૂત આંદોલનનો વિજય, હર્ષ સંઘવી સાથેની બેઠક ફળી, સાવગઢ અને હડિયોલ સહિત 11 ગામોને બાકાત કર્યા

હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (HUDA) માં સામેલ કરવામાં આવેલા ગામોના વિરોધનો આખરે સુખદ અંત આવ્યો છે. રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ પત્ર જાહેર કરીને HUDA માંથી 11 ગામોને સત્તાવાર રીતે દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારના ખેડૂતો દ્વારા લાંબા સમયથી HUDA માં સમાવેશ કરવા સામે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો હતો. આ મામલે ખેડૂત પ્રતિનિધિઓ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વચ્ચે યોજાયેલી બેઠકમાં HUDA ની કામગીરી સ્થગિત કરવા અને ગામોને દૂર કરવા અંગે થયેલી ચર્ચા બાદ સરકારે આ મંજૂરીની મહોર મારી છે.ખેડૂતોના વિરોધ સામે નમ્યું વહીવટી તંત્ર નવા આદેશ મુજબ, હિંમતનગર આસપાસના મહત્વના 11 ગામો જેમાં પરબડા, ધાંધા, સાવગઢ, કટવાડ, બોરિયાખુરદ, પીપલોદી, હડિયોલ, કનકોલ, બેરના, નવા અને બલવંતપુરાનો સમાવેશ થાય છે, તેમને હવે ઓથોરિટીની હદમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. ખેડૂતોની માંગ હતી કે ગ્રામ્ય વિસ્તારોને ઓથોરિટીમાં લેવાથી તેમની ખેતીની જમીન અને જીવનશૈલી પર અસર પડશે. સરકારના આ નિર્ણયથી સ્થાનિક ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ પર વિરામ મુકાયો છે. આ પણ વાંચો : Ahmedabad News : સંદેશના અહેવાલની ધારદાર અસર, IKDRC કિડની હોસ્પિટલમાં બેકડોર એન્ટ્રી કરાવનાર સામે તંત્રની લાલ આંખ

Read Full Story arrow_forward
Ahmedabad News : સંદેશના અહેવાલની ધારદાર અસર, IKDRC કિડની હોસ્પિટલમાં બેકડોર એન્ટ્રી કરાવનાર સામે તંત્રની લાલ આંખ
calendar_today January 2, 2026

Ahmedabad News : સંદેશના અહેવાલની ધારદાર અસર, IKDRC કિડની હોસ્પિટલમાં બેકડોર એન્ટ્રી કરાવનાર સામે તંત્રની લાલ આંખ

અમદાવાદની સિવિલ મેડિસિટી કેમ્પસમાં આવેલી પ્રતિષ્ઠિત આઇકેડીઆરસી (IKDRC) એટલે કે કિડની હોસ્પિટલમાં બોગસ ભરતીનો મામલો ગરમાયો છે. 'સંદેશ' ન્યૂઝ દ્વારા આ કૌભાંડ અંગેના અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા બાદ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવ્યું છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, હોસ્પિટલના તત્કાલીન નિયામક દ્વારા નિયમોને નેવે મૂકીને ડાયાલિસીસ ટેકનિશિયન તરીકે ત્રણ કર્મચારીઓની અનિયમિત રીતે નિમણૂંક કરવામાં આવી હતી. આ અહેવાલોની ગંભીરતાને ધ્યાને લઈને તંત્રએ તાત્કાલિક અસરથી આ ત્રણેય કર્મચારીઓની સેવા સમાપ્ત કરવાનો કડક નિર્ણય લીધો છે.બોગસ ભરતીનો મામલો ભરતી પ્રક્રિયામાં પારદર્શિતાના અભાવે અને લાયકાતના ધોરણોનું પાલન કર્યા વગર કરવામાં આવેલી આ નિમણૂંકોએ હોસ્પિટલના વહીવટી તંત્ર પર અનેક સવાલો ઊભા કર્યા હતા. એવું પણ જાણવા મળ્યું છે કે આ ભરતીમાં યોગ્ય ભરતી સમિતિ કે જાહેરાત વગર જ મનસ્વી રીતે ઓર્ડર આપી દેવામાં આવ્યા હતા. હાલમાં આ ત્રણ કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે, પરંતુ આ કૌભાંડમાં અન્ય કયા મોટા અધિકારીઓની સંડોવણી છે અને ભૂતકાળમાં આવી રીતે કેટલા લોકોની ભરતી થઈ છે, તે અંગે તપાસનો વ્યાપ વધારવાની માંગ ઉઠી રહી છે. આ પણ વાંચો : Surendranagar Land Scam : નાયબ મામલતદાર જેલ હવાલે, કલેક્ટર કચેરીના મોટા માથાઓના નામ ખુલ્યા!

Read Full Story arrow_forward