android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: લસકાણા રોડ પર ટ્રાફિકના નિયમોના ધજાગરા, BRTS રૂટમાં કારો ઘૂસી જતાં એમ્બ્યુલન્સ અટવાઈ
calendar_today January 1, 2026

Surat: લસકાણા રોડ પર ટ્રાફિકના નિયમોના ધજાગરા, BRTS રૂટમાં કારો ઘૂસી જતાં એમ્બ્યુલન્સ અટવાઈ

ડાયમંડ સિટી સુરતમાં ટ્રાફિકની સમસ્યા નવી નથી, પરંતુ કેટલાક બેજવાબદાર વાહનચાલકોની જીદ હવે લોકોના જીવ પર જોખમ ઉભું કરી રહી છે. સુરતના લસકાણા રોડ પર પ્રતિબંધિત BRTS રૂટમાં કાર ચાલકો ઘૂસી જતાં ગંભીર દર્દી સાથેની એમ્બ્યુલન્સ અને બસ અટવાઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.પ્રતિબંધિત રૂટમાં કાર ચાલકોનો ત્રાસલસકાણા રોડ પર આવેલા BRTS ટ્રેક માત્ર બસ અને ઈમરજન્સી સેવાઓ માટે ફાળવવામાં આવ્યા છે. તેમ છતાં, ટ્રાફિકથી બચવા માટે અનેક કાર ચાલકો રોંગ સાઈડમાં આ પ્રતિબંધિત રૂટમાં ઘૂસી જાય છે. આજે પણ આવી જ એક સ્થિતિ સર્જાઈ હતી, જેમાં એક પછી એક અનેક કારો રોંગ સાઈડમાં ઘૂસી આવતા BRTS રૂટ બ્લોક થઈ ગયો હતો.જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા દર્દીની એમ્બ્યુલન્સ ફસાઈઆ બેજવાબદારીને કારણે ત્યારે ગંભીર સ્થિતિ સર્જાઈ જ્યારે એક એમ્બ્યુલન્સ, જેમાં ગંભીર હાલતમાં દર્દી હતો, તે આ રૂટ પર ફસાઈ ગઈ હતી. સામેથી આવી રહેલી કારોને કારણે એમ્બ્યુલન્સ આગળ વધી શકી નહોતી. અંતે, એમ્બ્યુલન્સમાં સાયરન વાગતા અને સ્થિતિની ગંભીરતા જોતા, કાર ચાલકોને પોતપોતાની ગાડીઓ રિવર્સ લેવાની ફરજ પડી હતી. આ દરમિયાન કિંમતી સમયનો બગાડ થયો હતો, જે દર્દી માટે ઘાતક સાબિત થઈ શકતો હતો.આ પણ વાંચો:ગણેશ જાડેજાના જન્મદિવસે રાજુ સોલંકીની હાજરી, તોડબાજ ગેંગને આપ્યો જડબાતોડ જવાબ

Read Full Story arrow_forward
Junagadh: કેશોદ નજીક કારનો ભયાનક અકસ્માત, પલટી ગયેલી કારમાંથી દારૂની બોટલો મળી
calendar_today January 1, 2026

Junagadh: કેશોદ નજીક કારનો ભયાનક અકસ્માત, પલટી ગયેલી કારમાંથી દારૂની બોટલો મળી

જૂનાગઢ જિલ્લાના કેશોદ નજીક વેરાવળ હાઈવે પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દીવથી મોજમસ્તી કરીને પરત ફરી રહેલા પર્યટકોની કારને અકસ્માત નડ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે, અકસ્માત બાદ જ્યારે કારની તપાસ કરવામાં આવી ત્યારે તેમાંથી દારૂનો જથ્થો મળી આવતા ચકચાર મચી ગઈ છે.વેરાવળ હાઈવે પર ગમખ્વાર અકસ્માતમળતી માહિતી મુજબ, એક કાર દીવથી જૂનાગઢ તરફ આવી રહી હતી. વેરાવળ હાઈવે રોડ પર કેશોદ નજીક કાર ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો, જેના પરિણામે કાર રોડ પર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત સમયે કારમાં એક યુવક અને એક યુવતી સવાર હતા. અકસ્માત એટલો જોરદાર હતો કે કારને ભારે નુકસાન થયું હતું અને અંદર સવાર બંને વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.કારમાંથી દારૂ મળતા પોલીસ એક્શનમાંઅકસ્માત બાદ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. જોકે, તપાસ દરમિયાન કારની અંદરથી દારૂની બોટલો મળી આવી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાઈ રહ્યું છે કે કારમાં સવાર વ્યક્તિઓ દીવથી દારૂ લઈને જૂનાગઢ તરફ જઈ રહ્યા હતા. અકસ્માત દારૂના નશામાં સર્જાયો છે કે અન્ય કોઈ કારણસર, તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.હોસ્પિટલ અને કાયદેસરની કાર્યવાહીઘટનાની જાણ થતા જ કેશોદ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ૧૦૮ મારફતે બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે કારમાંથી મળેલા દારૂના જથ્થાને જપ્ત કરી લીધો છે અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.આ પણ વાંચો: લસકાણા રોડ પર ટ્રાફિકના નિયમોના ધજાગરા, BRTS રૂટમાં કારો ઘૂસી જતાં એમ્બ્યુલન્સ અટવાઈ

Read Full Story arrow_forward
Ahmedabad News: વર્ષ 2025માં  1107 શખ્સોને પાસા હેઠળ જેલ ભેગા કરાયા,  258 સામે તડિપાર કરવાની કાર્યવાહી
calendar_today January 1, 2026

Ahmedabad News: વર્ષ 2025માં 1107 શખ્સોને પાસા હેઠળ જેલ ભેગા કરાયા, 258 સામે તડિપાર કરવાની કાર્યવાહી

અમદાવાદમાં લોકોને રંજાડતા અને અસામાજિક પ્રવૃત્તિ કરતા લોકો સામે પોલીસ સક્રિય થઈ ગઈ છે. શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઈસમો સામે સખત અને અસરકારક કાર્યવાહી કરવામાં આવી છે. વર્ષ 2025માં આવા તત્વો સામે પાસા તેમજ હદપારી જેવા અટકાયતી પગલાઓનો અસરકારક અમલ કરવામાં આવ્યો છે. 1107 ઈસમોને પાસા હેઠળ જેલ ભેગા કરાયા અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકના સીધા માર્ગદર્શનમાં પીસીબી દ્વારા વર્ષ 2025માં અસામાજીક તત્વો વિરુદ્ધમાં પાસા તેમજ હદપારી જેવા અટકાયતી પગલાઓનો અસરકારક અમલ કરાવી, શહેરભરમાંથી શરીર સબંધી, મિલ્કત સબંધી, પ્રોહીબીશનની પ્રવૃતિ તથા અન્ય ગુનાહીત પ્રવૃતિ કરવા વાળા કૂલ 1107 ઈસમોને પાસા હેઠળ રાજ્યની અલગ અલગ જેલમાં ધકેલવામાં આવ્યા છે. આ ઉપરાંત 258 ઈસમો સામે તડિપાર અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે. પ્રોહિબિશનના કૂલ 400 કેસો કરીને 407 આરોપીઓની ધરપકડ આ ઉપરાંત પોલીસ કમિશનર જી.એસ. મલિકના સીધા માર્ગદર્શન હેઠળ પીસીબી દ્વારા પ્રોહિબિશન અને જુગાર સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પ્રોહિબિશનના કૂલ 400 કેસો કરીને 407 આરોપીઓની ધરપકડ કરવામા આવી છે. તેમજ કૂલ 5,74,17,052 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જુગાર ધારા હેઠળ કૂલ 70 કેસ કરીને 245 જુગારીઓને પકડી લઈને કૂલ 83,63,450નો મુદ્દામાલ કબજે કરાયો છે. પ્રોહિબિશન અને જુગારના કેસોમાં કુલ્લે રૂપિયા 6,57,80,502નો મુદ્દામાલ ઝડપી લેવાયો છે. આ પણ વાંચોઃ Morbi: મહેન્દ્રનગર ચોકડી પાસે ટ્રકે કારને 50 ફૂટ સુધી ઢસડી, અકસ્માતના હચમચાવી દેતા CCTV વાયરલ

Read Full Story arrow_forward