android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar : ચોટીલા પ્રાંત અધિકારીની બદલીનો તખ્તો, માજી ધારાસભ્યનો ખનીજ માફિયાઓ અને નેતાઓ પર ગંભીર આક્ષેપ
calendar_today January 1, 2026

Surendranagar : ચોટીલા પ્રાંત અધિકારીની બદલીનો તખ્તો, માજી ધારાસભ્યનો ખનીજ માફિયાઓ અને નેતાઓ પર ગંભીર આક્ષેપ

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાં ખનીજ ચોરી અને રાજકીય દબાણને લઈને એક મોટો વિવાદ છેડાયો છે. ચોટીલાના માજી ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, સ્થાનિક ખનીજ માફિયાઓ અને કેટલાક રાજકીય પદાધિકારીઓ મળીને પ્રાંત અધિકારી હરેશ મકવાણાની બદલી કરાવવા માટેનો તખ્તો તૈયાર કરી રહ્યા છે. અધિકારીને હટાવવા ખનીજ માફિયાઓ લગાવી રહ્યા છે એડીચોટીનું જોર ખનીજ ચોરી પર લગામ લગાવતા માફિયાઓ ફફડ્યા આક્ષેપ મુજબ, પ્રાંત અધિકારી હરેશ મકવાણાએ પદ સંભાળ્યા બાદ ચોટીલા પંથકમાં ગેરકાયદેસર ચાલતી ખનીજ ચોરી પર કડક લગામ લગાવી છે. તેમની પ્રામાણિકતા અને કડક કાર્યવાહીને કારણે ખનીજ માફિયાઓના આર્થિક હિતો જોખમાયા છે, જેના કારણે તેઓ અધિકારીને માર્ગમાંથી હટાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. હપ્તાખોરીની પોલ ખોલી ઋત્વિક મકવાણાએ હપ્તાખોરીની પોલ ખોલતા જણાવ્યું કે, અગાઉ કાર્બોસેલની ચોરી કરનારા તત્વો દર મહિને એકથી દોઢ લાખ રૂપિયાનો હપ્તો આપતા હતા. પરંતુ હવે પ્રાંત અધિકારીની બદલી કરાવવાના આશયથી આ હપ્તાની રકમ વધારીને બે લાખ રૂપિયા સુધી બાંધવામાં આવશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. રાજકીય ઓથ હેઠળ ખનીજ ચોરો ફરીથી સક્રિય થવા માંગે છે. ભૂમાફિયાઓને ખુલ્લો દોર આપવાનો પ્રયાસ ભૂમાફિયાઓને ખુલ્લો દોર આપવાનો પ્રયાસ માજી ધારાસભ્યએ વધુમાં ઉમેર્યું કે, જો ઈમાનદાર અધિકારીની બદલી કરવામાં આવશે તો ભૂમાફિયાઓ અને ખનીજ ચોરોને ફરીથી મેદાન મોકળું મળી જશે. રાજકીય આગેવાનો અને તેમના મળતીયાઓ પોતાના અંગત સ્વાર્થ માટે વહીવટી તંત્ર પર દબાણ લાવી રહ્યા છે. આ પણ વાંચોઃ Bhavnagar: ભાવનગર મનાપાની નગરજનોને નવી ભેટ, હવે રસ્તાઓ પર દોડશે પ્રધાનમંત્રી ઇ બસ

Read Full Story arrow_forward
Bhavnagarના બગદાણામાં નવનીત બાલઘીયા પર જીવલેણ હુમલાનો મામલે 8 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન
calendar_today January 1, 2026

Bhavnagarના બગદાણામાં નવનીત બાલઘીયા પર જીવલેણ હુમલાનો મામલે 8 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન

ભાવનગર જિલ્લાના બગદાણામાં તાજેતરમાં બનેલી ચકચારી મારામારીની ઘટનામાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. ગત 29 ડિસેમ્બરના રોજ નવનીત બાલઘીયા નામના વ્યક્તિ પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં બગદાણા પોલીસે ઝડપાયેલા 8 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું. નવનીત બાલઘીયા પર થયેલા આ હુમલાના લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા, જેનાથી સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો હતો.ફરિયાદી નવનીત બાલઘીયા પર હુમલો કરાયો હતોભોગ બનનાર નવનીતે ગંભીર આક્ષેપ કર્યો છે કે, આ હુમલો લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના દીકરા જયરાજ આહીર દ્વારા કરાવવામાં આવ્યો છે. આ હાઈપ્રોફાઈલ આક્ષેપોને પગલે પોલીસ સતર્ક બની છે. બગદાણા પોલીસે આ ગુનામાં સામેલ મુખ્ય સૂત્રધાર નાજુ કામળીયા સહિત રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્રસિંહ પરમાર, સતીષ વનાળીયા, ભાવેશ શેલાણા, પંકજ મેર અને વીરુ સેરડાની ધરપકડ કરી છે. ફરિયાદીએ લગાવ્યો છે જયરાજ આહીર પર આરોપઆ આઠેય ઈસમોને ઘટનાસ્થળે લઈ જઈને ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેથી હુમલાની કડીઓ જોડી શકાય. હાલમાં ભોગ બનનાર નવનીત બાલઘીયા મહુવાની હનુમંત હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમની તબિયતની પૃચ્છા કરવા માટે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે ભોગ બનનાર પરિવારને સાંત્વના આપી હતી અને આ મામલે યોગ્ય ન્યાય અપાવવાની ખાતરી આપી હતી. પોલીસ હાલ જયરાજ આહીરની સંડોવણી અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad:શેરબજારમાં રોકાણના નામે ફ્રોડમાં EDની કાર્યવાહી, ગોલ્ડ અને સિલ્વર સહિત રોકડ જપ્ત કરાઈ
calendar_today January 1, 2026

Ahmedabad:શેરબજારમાં રોકાણના નામે ફ્રોડમાં EDની કાર્યવાહી, ગોલ્ડ અને સિલ્વર સહિત રોકડ જપ્ત કરાઈ

શેરબજારમાં રોકાણના નામે ઠગાઈના અનેક કેસો સામે આવી રહ્યાં છે. ત્યારે EDની અમદાવાદ ઝોનની ઓફિસે કરોડો રૂપિયાનું સોનું અને ચાંદી સહિત રોકડ રકમને જપ્ત કરવામાં સફળતા મળી છે. આ કેસના મુખ્ય સુત્રધાર હિંમાંશુ ભાવસાર અને તેના સાથીદારોએ ઉત્તર ગુજરાતમાં અનેક ઓફિસો ખોલી હતી. ત્યાં લોકોને શેરબજારમાં ઊંચું વળતર આપવાની લાલચે રોકાણ કરાવ્યું હતું. શેરબજારમાં રોકાણના નામે ફ્રોડમાં EDની કાર્યવાહી આ કૌભાંડમાં EDની અમદાવાદ ઓફિસે કાર્યવાહી હાથ ધરી છે. EDની ટીમે 110 કિલો ચાંદી, અને 1.296 કિલો સોનું જપ્ત કર્યું છે. આ ઉપરાંત 39.7 કિલો જ્વેલરી સહિત 4.5 કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કૌભાંડનો મુખ્ય સુત્રધાર હિંમાંશું ઉર્ફે પિન્ટુ ભાવસાર સામે PMLA હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી પર 6થી વધુ ફરિયાદ દાખલ કરાઈ છે. આ કેસમાં કૂલ ફ્રોડની કિંમત 10.87 કરોડ હોવાનું જાણવા મળ્યું છે. આરોપીએ SEBI નોંધણી વગર રોકાણ ફર્મ ખોલી રોકાણ કરાવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. આરોપી સામે ખેરાલુ પોલીસમાં પણ ફરિયાદ નોંધાઈ છે.  EDએ મની લોન્ડરિંગ હેઠળ ફરિયાદ નોંધી હતી EDની તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે, આરોપીએ લોકોને વિશ્વાસમાં લઈને રોકાણ કરાવ્યું હતું અને ઊંચા વળતરની લાલચ આપી હતી. તેની સામે ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ EDએ મની લોન્ડરિંગ હેઠળ ફરિયાદ નોંધી હતી. આ ઠગ ગેંગ સામે વિવિધ રાજ્યોમાં ફરિયાદો નોંધાઈ છે. EDએ હવે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચોઃ Surat News: ઉધનાના ભાઠેનામાં ભયાનક અકસ્માત, બાઈક સ્લીપ થતા યુવક ટેમ્પાના ટાયર નીચે કચડાયો

Read Full Story arrow_forward