android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Aravalli: યાત્રાધામ શામળાજી ખાતે પોષી પૂનમની ભક્તિમય ઉજવણી, ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી
calendar_today January 3, 2026

Aravalli: યાત્રાધામ શામળાજી ખાતે પોષી પૂનમની ભક્તિમય ઉજવણી, ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી

પવિત્ર યાત્રાધામ શામળાજી ખાતે આજે પોષી પૂનમના પાવન અવસરે ભક્તિમય ઉજવણી કરવામાં આવી છે. ભગવાન શામળીયાના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે જેને કારણે મંદિર પરિસરમાં ભક્તિ અને શ્રદ્ધાનો અભૂતપૂર્વ માહોલ સર્જાયો. ભગવાનને આભૂષણોથી વિશેષ શણગાર કરવામાં આવ્યોમંદિરમાં ભગવાનને આભૂષણોથી વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. ભક્તોએ ભગવાનના દર્શન કર્યા અને આ પવિત્ર દિવસે ધન્યતા અને આનંદ  ભક્તોની સુવિધા માટે શ્રદ્ધાપૂર્વક આયોજન કરવામાં આવ્યું મંદિર પ્રશાસન દ્વારા ભક્તોની સુવિધા માટે શ્રદ્ધાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દર્શન વ્યવસ્થા, સ્વચ્છતા અને સુરક્ષા વ્યવસ્થા માટે ખાસ પગલાં લીધા હતા. આ પણ વાંચો-----  ACB ની કાર્યવાહી, 1 વર્ષમાં રાજ્યમાં 1.72 કરોડની રકમની લાંચ લેવાઇ, સૌથી વધુ ગૃહ વિભાગમાં 59, પંચાયતમાં 27 કેસ થયા

Read Full Story arrow_forward
Gandhinagar માં ટાઈફોડનો કહેર, સેક્ટર 24 થી 26માં 67 થી વધુ કેસ નોંધાતા ફફડાટ
calendar_today January 3, 2026

Gandhinagar માં ટાઈફોડનો કહેર, સેક્ટર 24 થી 26માં 67 થી વધુ કેસ નોંધાતા ફફડાટ

ગાંધીનગર શહેરમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે, જેમાં ખાસ કરીને સેક્ટર 24, 25, 26 અને આદિવાડા વિસ્તારમાં ટાઈફોડના કેસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. અત્યાર સુધીમાં ટાઈફોડના 67થી વધુ કેસો નોંધાતા પાટનગરમાં ઇન્દોર જેવી ગંભીર સ્થિતિનું નિર્માણ થયું હોય તેવું લાગી રહ્યું છે. આ મામલે સ્થાનિક કોર્પોરેટર ભરત ગોહિલે જણાવ્યું હતું કે, તેમના વોર્ડમાં ટાઈફોડના અનેક શંકાસ્પદ કેસો સામે આવ્યા છે, જેનું મુખ્ય કારણ દૂષિત પાણી હોવાનું અનુમાન છે. પાણીજન્ય રોગોના ફેલાવાને પગલે સ્થાનિક રહીશોમાં પણ ભારે ફફડાટ અને ચિંતા જોવા મળી રહી છે.દૂષિત પાણીએ નોતર્યો રોગચાળો? ટાઈફોડના કેસોની વધતી સંખ્યાને જોતા ગાંધીનગર મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં 'હાઉસ ટુ હાઉસ' સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જેથી નવા દર્દીઓને શોધી વહેલી તકે સારવાર આપી શકાય. કોર્પોરેટરના જણાવ્યા મુજબ, હાલ આરોગ્ય ટીમો દ્વારા સર્વે અને ક્લોરિનેશનની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. દૂષિત પાણીના જોખમને ટાળવા માટે તંત્ર દ્વારા રહીશોને ઉકાળેલું પાણી પીવાની અને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. આ પણ વાંચો : કલેક્ટર બાદ હવે RACનો વારો? જમીન કૌભાંડમાં 25 ટકા લાંચનો હિસ્સો આર.કે. ઓઝાને મળતો હોવાનો ખુલાસો

Read Full Story arrow_forward
Dahod : સંજેલીમાં 13 વર્ષીય દીકરી પર દુષ્કર્મ, કુટુંબી ભાઈએ જ દુષ્કર્મ આચરતા ખળભળાટ
calendar_today January 3, 2026

Dahod : સંજેલીમાં 13 વર્ષીય દીકરી પર દુષ્કર્મ, કુટુંબી ભાઈએ જ દુષ્કર્મ આચરતા ખળભળાટ

દાહોદ જિલ્લાના સંજેલીમાં એક 13 વર્ષીય બાળકી પર દુષ્કર્મનો કેસ સામે આવ્યો છે. આરોપી સુભાષ રમેશ સંગાડા, જે બાળકીના મામાના કુટુંબનો ભાઈ છે, તેણે જ દુષ્કર્મ આચરતા હાહાકાર મચી ગયો છે.રસ્તામાં દુષ્કર્મ આચર્યું મળેલી માહિતી મુજબ, બાળકીને મામાના ઘરે મૂકી આવું તેમ કહીને નરાધમ સગીરાને લઇને ગયો હતો અને તે સમયે તેણે રસ્તામાં દુષ્કર્મ આચર્યું હતું. સગીરાએ બુમાબુમ કરતા આસપાસ રહેલા લોકો તત્કાળ ધસી ગયા જો કે સગીરાએ બુમાબુમ કરતા આસપાસ રહેલા લોકો તત્કાળ ધસી ગયા હતા. અને બાળકીની પૂછપરછ કરી હતી લોકોએ તત્કાળ આ મામલે પોલીસને જાણ કરી હતી. સંજેલી પોલીસ તરત ઘટનાસ્થળે પહોંચી ઘટનાની જાણ થતાં સંજેલી પોલીસ તરત ઘટનાસ્થળે પહોંચી અને આરોપીને ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. અધિકારીઓએ જણાવ્યું છે કે, બાળકીની સુરક્ષા માટે કડક પગલાં લેવામાં આવ્યા છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ પણ વાંચો----    ACB ની કાર્યવાહી, 1 વર્ષમાં રાજ્યમાં 1.72 કરોડની રકમની લાંચ લેવાઇ, સૌથી વધુ ગૃહ વિભાગમાં 59, પંચાયતમાં 27 કેસ થયા

Read Full Story arrow_forward