android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabadમાં ચોમાસામાં રોગચાળાનો વિસ્ફોટ, સોલા સિવિલમાં માત્ર 7 જ દિવસમાં 15,000થી વધુ દર્દીઓ ઉમટ્યા!
calendar_today September 1, 2026

Ahmedabadમાં ચોમાસામાં રોગચાળાનો વિસ્ફોટ, સોલા સિવિલમાં માત્ર 7 જ દિવસમાં 15,000થી વધુ દર્દીઓ ઉમટ્યા!

અમદાવાદ શહેરમાં ચોમાસાની ઋતુ જામતાની સાથે જ રોગચાળો ભારે વકર્યો છે. ભેજવાળા વાતાવરણ અને પાણીના ભરાવાને કારણે શહેરમાં વાયરલ, મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના દર્દીઓની સંખ્યામાં કુદકે ને ભૂસકે વધારો થઈ રહ્યો છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડી (OPD) કેસોમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. હોસ્પિટલના આંકડા અનુસાર, માત્ર 17 ઓગસ્ટથી 23 ઓગસ્ટ સુધીના 7 દિવસના ટૂંકા ગાળામાં જ 15,439 દર્દીઓએ સારવાર અર્થે સોલા સિવિલની મુલાકાત લીધી હતી, જેના કારણે હોસ્પિટલ પરિસર દર્દીઓથી ઊભરાઈ ગયું છે.મચ્છરજન્ય અને વાયરલ રોગોનો આતંકસોલા સિવિલ હોસ્પિટલમાં નોંધાયેલા કેસોમાં સૌથી વધુ પ્રમાણ મચ્છરજન્ય રોગોનું જોવા મળી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં જ સોલા સિવિલમાં ડેન્ગ્યુના આશ્ચર્યજનક રીતે 140 કેસો નોંધાયા છે, જ્યારે મેલેરિયાના 14 દર્દીઓ સામે આવ્યા છે. આ ઉપરાંત વાયરલ ઇન્ફેક્શનમાં સ્વાઈન ફ્લૂના કેસોમાં પણ ચિંતાજનક વધારો નોંધાયો છે. હોસ્પિટલમાં માત્ર એક જ અઠવાડિયા દરમિયાન સ્વાઈન ફ્લૂના 9 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે, જેથી તબીબો અને આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.પાણીજન્ય રોગોમાં પણ ઉછાળોમચ્છરજન્ય અને વાયરલ રોગોની સાથોસાથ દૂષિત પાણી અને ખોરાકને કારણે થતા પાણીજન્ય રોગોના દર્દીઓ પણ મોટી સંખ્યામાં હોસ્પિટલ પહોંચી રહ્યા છે. સાત દિવસના આંકડા મુજબ ઝાડા-ઉલટીના 52 કેસ, ટાઈફોઈડના 4 કેસ તેમજ કમળાના લક્ષણો ધરાવતા હેપેટાઈટિસ A ના 2 અને હેપેટાઈટિસ E નો 1 કેસ નોંધાયો છે. રોગચાળાના વધતા વ્યાપને ધ્યાનમાં રાખીને સોલા સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીઓની સારવાર માટે વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે અને લોકોને ઉકાળેલું પાણી પીવા તથા મચ્છરોથી બચાવ કરવા અપીલ કરવામાં આવી છે.આ પણ વાંચો : Jamnagar News : તહેવારો ટાણે ફૂડ વિભાગનો સપાટો, 152 સ્થળોએ તપાસ, 353 કિલો વાસી ખોરાકનો કરાયો નાશ...

Read Full Story arrow_forward
IndiGo: ગોવાથી દિલ્હી આવતી IndiGoની ફ્લાઇટનું એન્જિન ફેલ, કરાયુ ઇમરજન્સી લેન્ડિંગ
calendar_today September 1, 2026

IndiGo: ગોવાથી દિલ્હી આવતી IndiGoની ફ્લાઇટનું એન્જિન ફેલ, કરાયુ ઇમરજન્સી લેન્ડિંગ

ગોવાથી દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં એન્જિનમાં ખામીના અહેવાલો બાદ ગોવા પરત ફરવું પડ્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇન્ડિગોની ફ્લાઇટ 6E 2102 મંગળવારે સવારે ગોવાથી દિલ્હી માટે ઉડાન ભરી હતી, પરંતુ તેના થોડા સમય પછી વિમાનના એક એન્જિનમાં ખામી સર્જાઈ હતી. પરિણામે, વિમાનનું ગોવાના મોપા એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું.ઇન્ડિગોની ફ્લાઇટ 6E 2102 માં એન્જિનમાં ખામી ટેકઓફના થોડા સમય પછી, ગોવાથી દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટ 6E 2102 માં એન્જિનમાં ખામી સર્જાઈ, જેના કારણે વિમાનને મોપા એરપોર્ટ પર કટોકટી ઉતરાણ કરવાની ફરજ પડી.  અહેવાલો અનુસાર, ફ્લાઇટ 6E 2102 એ ગોવાથી દિલ્હી માટે સવારે લગભગ 9:16 વાગ્યે ઉડાન ભરી હતી. ટેકઓફ કર્યાના થોડી મિનિટો પછી, વિમાનના એક એન્જિનમાં ખામી સર્જાઈ હોવાની જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ, એર ટ્રાફિક કંટ્રોલ (ATC) એ સવારે લગભગ 9:30 વાગ્યે સંપૂર્ણ કટોકટી જાહેર કરી હતી.સવારે 9.16 કલાકે દિલ્હી જતી હતી ફ્લાઇટ એવું જાણવા મળ્યું છે કે ઇન્ડિગો ફ્લાઇટ 6E 2102 (GOX-DEL) મંગળવારે સવારે 9:16 વાગ્યે દિલ્હી માટે રવાના થઈ હતી. એન્જિનમાં ખામી સર્જાયાના અહેવાલો બાદ, એર ટ્રાફિક કંટ્રોલ (ATC) એ લગભગ 9:30 વાગ્યે સંપૂર્ણ કટોકટી જાહેર કરી હતી. ત્યારબાદ, વિમાનને ગોવાના મોપા એરપોર્ટ પર પાછું વાળવામાં આવ્યું. ફ્લાઇટ સવારે 9:51 વાગ્યે રનવે 28 પર સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું. બાદમાં વિમાનને સ્ટેન્ડ નંબર 6 પર સંપૂર્ણપણે પાર્ક કરવામાં આવ્યું.તમામ મુસાફરો સુરક્ષિત વિમાન સુરક્ષિત રીતે પાર્ક થયા પછી, ATC એ સવારે 10:03 વાગ્યે સંપૂર્ણ કટોકટી રદ કરી. સદનસીબે, વિમાનમાં રહેલા બધા મુસાફરો સુરક્ષિત છે. ઉતરાણ પછી, બધા મુસાફરોને સુરક્ષિત રીતે ઉતારી દેવામાં આવ્યા અને એરપોર્ટના બોર્ડિંગ વિસ્તારમાં રાખવામાં આવ્યા. દિલ્હી જતી ફ્લાઇટ માટે સુધારેલ પ્રસ્થાન સમય હવે બપોરે 3:30 વાગ્યે નક્કી કરવામાં આવ્યો છે. જો કે, આ સમય વિમાનને જરૂરી મંજૂરીઓ અને સંચાલન આવશ્યકતાઓ પ્રાપ્ત થવાને આધીન છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, એન્જિનમાં ખામીના અહેવાલ પછી વિમાનને ગોવા તરફ પાછું ફેરવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વિમાનને સુરક્ષિત ઉતરાણ માટે મોપા એરપોર્ટ પર પાછું લાવવામાં આવ્યું હતું. વિમાનમાં મુસાફરોની ચોક્કસ સંખ્યા અને એન્જિનમાં ટેકનિકલ ખામીના પ્રકાર અંગે વિગતવાર માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. આ ઘટના અંગે ઇન્ડિગો તરફથી વિગતવાર સત્તાવાર નિવેદનની પણ રાહ જોવાઈ રહી છે.આ પણ વાંચો-  Petrol Diesel Price Today: 1 સપ્ટેમ્બરે વધ્યા LPG, CNG અને PNGના ભાવ.. તો શું પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ થયો ફેરફાર ? 

Read Full Story arrow_forward
PM Modi On Rahul Gandhi: કેટલાક લોકો નિરાશાના અંધકારમાં...GDP આંકડા મુદ્દે PM મોદીએ રાહુલ ગાંધીને કર્યો કટાક્ષ
calendar_today September 1, 2026

PM Modi On Rahul Gandhi: કેટલાક લોકો નિરાશાના અંધકારમાં...GDP આંકડા મુદ્દે PM મોદીએ રાહુલ ગાંધીને કર્યો કટાક્ષ

ભારતને પ્રથમ ત્રિમાસિક જીડીપી વૃદ્ધિ દર  7.8 ટકા રહ્યો. આ આંકડા સામે આવતા પીએમ મોદીએ આજે સોશિયલ મીડિયામાં પોતાનું નિવેદન આપતો વીડિયો શેર કર્યો હતો. જેમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે 7.8 ટકાના વિકાસ દરને પ્રાપ્ત કરવામાં તમામ 140 કરોડ નાગરિકોએ ભૂમિકા ભજવી હતી. તેમણે અવલોકન કર્યું કે જ્યારે વિશ્વ યુદ્ધો અને કટોકટીઓથી ઘેરાયેલું છે, ત્યારે ભારત પ્રગતિ કરી રહ્યું છે અને આવા તમામ અવરોધોને દૂર કરી રહ્યું છે.કેટલાક વ્યક્તિઓ નિરાશાના અંધકારમાં ફસાયેલા તો બીજી તરફ જુઠ્ઠાણા ફેલાવા અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે વિશ્વ સંકટોથી ઘેરાયો છે. કોવિડ કાળથી લઇને અત્યાર સુધી સ્થિરતા નથી જોવા મળી. તેમ છતાં ભારત તેજ ગતિએ આગળ વધી રહ્યો છે. તેમણે કહ્યું કે કેટલાક લોકો સતત નકારાત્મકતા અને જૂઠાણા ફેલાવવાનો પ્રયાસ કરે છે. જ્યારે ભારત આગળ વધી રહ્યું છે, ત્યારે દેશમાં કેટલાક વ્યક્તિઓ નિરાશાના અંધકારમાં ફસાયેલા રહે છે, જૂઠાણાને વધારે છે અને નિરાશાના વાતાવરણને પ્રોત્સાહન આપે છે. આ બધીજ બાબતોને પાર કરીને દેશે 7.8 ટકા ગ્રોથ હાંસલ કર્યો છે. આ ગતિને જાળવી રાખવાની છે ==ઉલ્લેખનીય છે કે  રાહુલ ગાંધી તાજેતરમાં 'સ્ટુડન્ટ્સ વોઇસ' કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે. થોડા સમય પહેલા પુણેમાં આવા જ એક કાર્યક્રમ દરમિયાન ABVP અને NSUI ના વિદ્યાર્થીઓ વચ્ચે અથડામણ થઈ હતી. રાહુલ ગાંધી હવે ઇન્દોરમાં એક કાર્યક્રમ યોજવાના છે પરંતુ સ્થળ અંગે કંઇ નક્કી થયુ નથી. કારણ કે મધ્ય પ્રદેશમાં મુખ્ય વિપક્ષ કોંગ્રેસ પાર્ટીએ આ કાર્યક્રમ માટે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ (મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત) નો ઉપયોગ કરવાની પરવાનગી માંગી છે, જ્યારે નાગરિક સંસ્થાએ મધ્યપ્રદેશ હાઇકોર્ટના જૂના આદેશને ટાંકીને મંજૂરી આપવામાં અસમર્થતા વ્યક્ત કરી છે.સોનું ખરીદવા અને વિદેશમાં મુસાફરી કરવાથી દૂર રહેવાની અપીલપીએમ મોદીએ લોકોને 'વોકલ ફોર લોકલ' પહેલને અપનાવવા, સ્વદેશી ઉત્પાદનોમાં વિશ્વાસ રાખવા અને આત્મનિર્ભરતા માટે પ્રયત્નશીલ રહેવા વિનંતી કરી. તેમણે જરૂરી ન હોય ત્યાં સુધી વિદેશ પ્રવાસ ન કરવા, વિદેશમાં ડેસ્ટિનેશન વેડિંગ ન કરવા અથવા સોનું ન ખરીદવા માટેની અપીલ કરી હતી.  નોંધનીય છે કે, પ્રધાનમંત્રીએ અગાઉ ઈરાન-યુએસ સંઘર્ષ દરમિયાન જનતાને સોનું ખરીદવાનું ટાળવાની અપીલ કરી હતી.વિકસિત ભારત યુવા પેઢીને સોંપશે પ્રધાનમંત્રીએ દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે દેશ આઝાદીના 100 વર્ષ પૂર્ણ કરે ત્યાં સુધીમાં, 'વિકસિત ભારત' (વિકસિત ભારત) યુવા પેઢીને સોંપવામાં આવશે. તેથી, તેમણે ભાર મૂક્યો કે, આ લક્ષ્ય તરફ કામ કરવામાં કોઈ કસર છોડવી જોઈએ નહીં. તેમણે ઉમેર્યું કે વર્તમાન સરકારની નીતિ અને ઉદ્દેશ બંને પારદર્શક અને સ્પષ્ટ છે. આવી સ્થિતિમાં, દેશને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે બધાએ સાથે આવવું પડશે.

Read Full Story arrow_forward