Lucknow Rain News: બે કલાકના વરસાદમાં જ લખનૌ થયુ જળમગ્ન, સ્થાનિકોને ભારે હાલાકી
રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા અને નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાયા છે. વરસાદી પાણી ઘરોમાં ભરાયા ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં મંગળવારે લગભગ બે કલાક પડેલા મુશળધાર વરસાદે શહેરના અપૂરતા માળખાને ઉજાગર કર્યું છે. ભારે વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં રસ્તાઓ તળાવમાં ફેરવાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાયા છે, જ્યારે કેટલીક જગ્યાએ વરસાદી પાણી લોકોના ઘરોમાં પણ ઘૂસી ગયા. પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહાર પર ભારે અસર પડી અને અનેક રસ્તાઓ પર લાંબા ટ્રાફિક જામ સર્જાયો હતો. ગટર ઓવરફ્લો થતા ગંદકીનું સામ્રાજ્ય ભારે વરસાદના થોડા સમય પછી, ફૈઝુલ્લાહગંજના અઝીઝ નગર વિસ્તારમાં એક વરસાદી ગટર ઓવરફ્લો થઈ ગઈ. ગટરનું ગંદુ પાણી નજીકના ઘરોમાં ઘૂસી ગયું. સ્થાનિકોનો આરોપ છે કે યોગ્ય ડ્રેનેજ સિસ્ટમના અભાવે અને મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીને કારણે, તેમને દર વખતે વરસાદ પડે ત્યારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. રહેવાસીઓએ માંગ કરી છે કે વહીવટીતંત્ર ડ્રેનેજ સાફ કરે અને ડ્રેનેજ સિસ્ટમમાં સુધારો કરે છે. ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા ભારે વરસાદ દરમિયાન દિવસ દરમિયાન અંધારું છવાઈ ગયું. કાળા વાદળો અને જોરથી ગાજવીજથી લોકો ગભરાઈ ગયા. ઓછી દૃશ્યતાને કારણે, વાહનચાલકોને હેડલાઇટ અને ડિપર ચાલુ રાખીને વાહન ચલાવવું પડ્યું. શહીદ પથ, કામતા તિરાહા, પોલિટેકનિક અને બુધેશ્વર સ્ક્વેર સહિત અનેક મુખ્ય રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ થયો હતો. ચિન્હટમાં રોલેક્સ એપાર્ટમેન્ટની સામે ગટરના મેનહોલ પાસે લગભગ 8 ફૂટ રસ્તો ખાડામાં પડ્યો, જેના કારણે અકસ્માતોનું જોખમ વધ્યું. દરમિયાન, ચિન્હટ સહિત અનેક વિસ્તારોમાં કલાકો સુધી વીજળી ગુલ રહી. સતત ધોધમાર વરસાદને કારણે લોકોને ઘર છોડવું પણ મુશ્કેલ બન્યું હતુ. 5 સપ્ટેમ્બર સુધી વરસાદની ચેતવણીમંગળવારે શહેરના અનેક ભાગોમાં અલગ અલગ સમયે ભારે વરસાદ પડ્યો. મલીહાબાદમાં સવારે વરસાદ પડ્યો, ત્યારબાદ જાનકીપુરમ એક્સટેન્શન અને હઝરતગંજમાં પણ વરસાદ પડ્યો. બપોરે ગોમતીનગર, ચિન્હટ અને મોહનલાલગંજમાં પણ ભારે વરસાદ નોંધાયો. હવામાન વિભાગે લખનૌ સહિત આસપાસના અનેક જિલ્લાઓમાં વાવાઝોડા અને ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. 5 સપ્ટેમ્બર સુધી વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. માહિતી અનુસાર, 1 સપ્ટેમ્બર સુધીમાં લખનૌમાં સરેરાશ 523.9મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે અત્યાર સુધીમાં 525.5 મીમી વરસાદ નોંધાયો છે. આ પણ વાંચોઃ વારાણસી અને પ્રયાગરાજમાં ગંગા-યમુના નદીઓ બન્ને કાંઠે છલકાઇ, સ્થાનિકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા
Read Full Story arrow_forward