android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bharuch: હાંસોટમાં બે ભાઈઓ ધારીયા અને પાઇપથી જીવલેણ હુમલો કર્યો, 5 આરોપીઓને દબોચી લીધા
calendar_today September 1, 2026

Bharuch: હાંસોટમાં બે ભાઈઓ ધારીયા અને પાઇપથી જીવલેણ હુમલો કર્યો, 5 આરોપીઓને દબોચી લીધા

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકા મથકે આવેલા ત્રણ રસ્તા વિસ્તારમાં જૂની અંગત અદાવતને લઈને માથાભારે તત્વોએ લોહિયાળ ખેલ ખેલ્યો હતો. હુમલાખોરોએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે બે સગા ભાઈઓને ઘેરી લઈ તેમના પર ધારીયા અને લોખંડની પાઇપ જેવા પ્રાણઘાતક હથિયારો વડે તૂટી પડ્યા હતા.હાંસોટમાં લુખ્ખા તત્વો પર પોલીસનો સપાટોઆ અચાનક થયેલા હુમલામાં બંને ભાઈઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફડાતફડી અને દહેશતનો માહોલ સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ભરૂચ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી હાંસોટ પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી તપાસ ધમધમાવી હતી. પોલીસે ટૂંક સમયમાં જ હુમલામાં સંકળાયેલા પાંચેય આરોપીઓ નિઝામ સમુદ્દીન કાનૂગા, અબ્દુલ કાદીર શબ્બીર કાનૂગા, ઈરફાન સલીમ શેખ, ઈંદ્રિશ ઇલ્યાસ ખ્વાજા અને ઇસતીયાક ઇલ્યાસ ખ્વાજાને ઝડપી પાડ્યા હતા.બે ભાઈઓ પર ધારીયા-પાઇપથી જીવલેણ હુમલોઝડપાયેલા તમામ આરોપીઓને હાંસોટ ત્રણ રસ્તા ખાતે ઘટનાસ્થળે લઈ જઈ હુમલાની આખી કડીઓનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. વિસ્તારમાં લુખ્ખાઓ અને ગુનેગારોનો ભય દૂર કરવા માટે પોલીસે તમામ આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. આ આકરી કાર્યવાહી દ્વારા પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શાંતિ ડહોળવાનો કે કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કરનાર કોઈ પણ તત્વને બક્ષવામાં આવશે નહીં.આ પણ વાંચો:Ahmedabad: એર ઇન્ડિયા પ્લેન ક્રેશ તપાસ અંગે કેન્દ્રીય મંત્રીનો ખુલાસો,આંતરરાષ્ટ્રીય એજન્સીઓ કરી રહી છે તપાસ

Read Full Story arrow_forward
Mehsana : ડોક્ટર પણ બન્યા ‘ઈમોશનલ સાયબર ફ્રોડ’નો શિકાર, QR કોડ સ્કેન કરાવતા 9,000 રૂપિયા ઠગાયા
calendar_today September 1, 2026

Mehsana : ડોક્ટર પણ બન્યા ‘ઈમોશનલ સાયબર ફ્રોડ’નો શિકાર, QR કોડ સ્કેન કરાવતા 9,000 રૂપિયા ઠગાયા

મહેસાણાના વડનગર સ્થિત GMERS મેડિકલ કોલેજમાં ‘ઈમોશનલ સાયબર ફ્રોડ’નો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અજાણ્યા શખ્સે ભાવનાત્મક વાતો કરીને એક મહિલા ડોક્ટરને વિશ્વાસમાં લીધી અને QR કોડ મારફતે 9,000 રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાથી મેડિકલ કોલેજમાં ચકચાર મચી છે. ચર્ચા એવી પણ છે કે અન્ય ફેકલ્ટી સભ્યો અને ડોક્ટરોને પણ અજાણ્યા શખ્સ દ્વારા સંપર્ક કરીને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.ભાવનાત્મક વાતો કરીને વિશ્વાસમાં લીધામહિલા ડોક્ટર સાથે અજાણ્યા વ્યક્તિએ ભાવનાત્મક વાતચીત કરીને વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ QR કોડ મારફતે નાણાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. સાયબર ઠગો હવે માત્ર ટેકનિકલ પદ્ધતિથી જ નહીં, પરંતુ લોકોની લાગણીઓ અને વિશ્વાસનો ઉપયોગ કરીને પણ છેતરપિંડી કરતા હોવાના આક્ષેપો વચ્ચે આ ઘટના ચર્ચામાં આવી છે.અન્ય ડોક્ટરોને પણ ટાર્ગેટ કરવાનો પ્રયાસ?મેડિકલ કોલેજના અન્ય ડોક્ટરો અને ફેકલ્ટી સભ્યોને પણ આવી જ રીતે ઈમોશનલ વાતચીત અથવા દબાણ દ્વારા ટાર્ગેટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે. જોકે કેટલાક સજાગ ડોક્ટરો શંકાસ્પદ વ્યવહાર ઓળખી લેતાં ઠગાઈથી બચી ગયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ કોલેજના ડોક્ટરો અને સ્ટાફમાં સાયબર સુરક્ષાને લઈને સતર્કતા વધારી છે.નાણાં પરત ન મળતાં મહિલા ડોક્ટરે કરી આપવીતી જાહેરઠગાઈ બાદ નાણાં પરત ન મળતાં મહિલા ડોક્ટરે અન્ય લોકો પણ આવી છેતરપિંડીનો શિકાર ન બને તે હેતુથી પોતાની આપવીતી જાહેર કરી છે. તેમણે ટ્રાન્ઝેક્શનના સ્ક્રીનશોટ સાથે સમગ્ર ઘટનાની વિગતો શેર કરીને લોકોને સાયબર ઠગાઈથી સાવચેત રહેવાની અપીલ કરી છે. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે સાયબર ઠગો હવે લોકોના વિશ્વાસ અને લાગણીઓને હથિયાર બનાવી નવી નવી રીતે છેતરપિંડી કરી રહ્યા છે.QR કોડ સ્કેન કરતાં પહેલાં સાવધાનસાયબર સજાગતા માટે નિષ્ણાતો વારંવાર અપીલ કરે છે કે અજાણી વ્યક્તિની ઓળખની ખાતરી કર્યા વિના કોઈપણ QR કોડ સ્કેન ન કરવો જોઈએ. ખાસ કરીને પૈસા મેળવવાના બહાને મોકલવામાં આવતા શંકાસ્પદ QR કોડ સ્કેન કરતી વખતે વધુ સતર્ક રહેવું જરૂરી છે. કોઈપણ શંકાસ્પદ વ્યવહાર જણાય તો તાત્કાલિક સાયબર ક્રાઇમમાં જાણ કરવી જોઈએ. હવે આ મામલે વધુ કોઈ ફરિયાદ અથવા તપાસ થાય છે કે નહીં તેના પર નજર રહેશે.  આ પણ વાંચો  :   Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ

Read Full Story arrow_forward
Patan: સાંતલપુરના વૌવા ગામે 15 લોકોને ઘાયલ કરનાર જંગલી જાનવર નહીં, હડકાયો શ્વાન નીકળ્યો
calendar_today September 1, 2026

Patan: સાંતલપુરના વૌવા ગામે 15 લોકોને ઘાયલ કરનાર જંગલી જાનવર નહીં, હડકાયો શ્વાન નીકળ્યો

પાટણ જિલ્લાના સરહદી સાંતલપુર તાલુકામાં આવેલા વૌવા ગામે તાજેતરમાં એક અજ્ઞાત પ્રાણીએ આતંક મચાવીને એકપછી એક 15 જેટલા ગ્રામજનો પર હિંસક હુમલો કરી લોહીલુહાણ કર્યા હતા. આ બનાવ બાદ સમગ્ર ગામ અને આસપાસના સીમ વિસ્તારમાં કોઈ જંગલી જાનવર કે શિયાળ ઘૂસી આવ્યું હોવાની ભારે દહેશત અને અફવાઓ ફેલાઈ ગઈ હતી.વૌવા ગામે જંગલી જાનવરના હુમલાની ઘટનાબનાવની ગંભીરતાને ધ્યાને લઈને પાટણ વન વિભાગની ટીમ તાબડતોબ વૌવા ગામે દોડી ગઈ હતી અને સમગ્ર વિસ્તારને ઘેરીને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. પાટણના ડીસીએફ (DCF) એન. જે. પરમારે આ મામલે સત્તાવાર વિગતો આપતાં જણાવ્યું હતું કે, વન વિભાગની ટીમે ગામ અને આસપાસની સીમમાં સઘન કોમ્બિંગ અને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી કોઈ વન્યપ્રાણી કે જંગલી જાનવરના પગમાર્ક્સ (પગલાં) કે અન્ય કોઈ પુરાવા મળ્યા ન હતા.વન વિભાગનો મોટો સત્તાવાર ખુલાસોગામમાં લગાવેલા સીસીટીવી કેમેરાની ચકાસણી કરતાં એક શ્વાન ઘરોની દીવાલો કૂદતો અને આક્રમક રીતે દોડતો સ્પષ્ટ નજરે પડ્યો હતો. જે શ્વાને ગ્રામજનો પર હુમલો કર્યો હતો, તે શ્વાન પણ ઘટના બાદ થોડા અંતરેથી મૃત હાલતમાં મળી આવ્યો હતો, જેથી તે હડકાયો થયો હોવાની પુષ્ટિ થઈ હતી.વન વિભાગે ગામના સરપંચ અને અગ્રણીઓને સાથે રાખીને વૌવા ગામમાં સઘન રાત્રિ પેટ્રોલિંગ કર્યું હતું. વિસ્તારમાં કોઈ વન્યજીવ ન હોવાથી ગ્રામજનોને કોઈપણ પ્રકારના ભય વગર શાંતિપૂર્ણ રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ પણ વાંચો: Bharuch: હાંસોટમાં બે ભાઈઓ ધારીયા અને પાઇપથી જીવલેણ હુમલો કર્યો, 5 આરોપીઓને દબોચી લીધા

Read Full Story arrow_forward