android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
ચોટીલા હત્યા કેસના કેદીનું સુરેન્દ્રનગર શહેર ખાતેની સબ જેલમાં કુદરતી મોત
calendar_today September 1, 2026

ચોટીલા હત્યા કેસના કેદીનું સુરેન્દ્રનગર શહેર ખાતેની સબ જેલમાં કુદરતી મોત

સુરેન્દ્રનગર । (બ્યુરો)ચોટીલા તાલુકાના પીપરાળી ગામે વર્ષ 2025માં હત્યાનો બનાવ બન્યો હતો. જેનો આરોપી સુરેન્દ્રનગર સબ જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવતો હતો. ત્યારે છેલ્લા 20 દિવસથી બીમાર રહેતા આરોપીની મંગળવારે સવારે તબીયત લથડતા સારવાર માટે દવાખાને લઈ જવાતા કુદરતી મોત થયુ છે.ચોટીલા તાલુકાના પીપરાળી ગામે વર્ષ 2015 દુષ્કર્મનો બનાવ બન્યો હતો. જેનો આરોપી વિપુલ વિનાભાઈ સાકરીયા જેલવાસ ભોગવતો હતો. અને વર્ષ 2024ના અંતમાં તે જેલમાંથી પેરોલ પર છુટયો હતો. ત્યારે તા. 3-1-25ના રોજ આ બનાવનો ખાર રાખી ભાવા બીજલભાઈ સાકરીયા, સુરેશ ભાવાભાઈ સાકરીયા, શાંતુબેન ભાવાભાઈ સાકરીયા, થોભણ મેરાભાઈ સાકરીયા અને લાલા નારાયણભાઈએ ટ્રેકટર લઈને પસાર થતા વિપુલ સાકરીયા પર ધારીયા વડે હુમલો કર્યો હતો. જેમાં લોહી નીકળતી હાલતમાં વિપુલને ચોટીલા સરકારી દવાખાને લઈ જવાતા તેનું મોત થયુ હતુ.આ બનાવમાં 28 વર્ષીય સુરેશ ભાવાભાઈ સાકરીયા હાલ સુરેન્દ્રનગર સબ જેલમાં જેલવાસ ભોગવી રહ્યો હતો. સુરેશ સાકરીયા છેલ્લા 20 દિવસથી બીમાર રહેતો હતો. અવારનવાર તેને જાપ્તા સાથે સારવાર માટે લઈ જવાતો હતો. ત્યારે તા. 1ના રોજ સવારે પણ તેની તબીયત લથડતા આશરે 10-45 કલાકે તેને સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પીટલ સારવાર માટે લઈ જવાયો હતો. જેમાં સારવાર દરમીયાન તેનું મોત થયુ છે. બનાવની જાણ થતા એ ડીવીઝન પીઆઈ આર.એમ.સંગાડા, પીએસઆઈ એચ.એસ.જાડેજા સહિતનાઓ દોડી ગયા હતા. અને નાયબ કલેકટર એમ.જે.ભરવાડની હાજરીમાં ઈન્કવેસ્ટ પંચનામુ કરીને મૃતકની લાશને પીએમ માટે રાજકોટ લઈ જવાઈ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
થાન છેતરપિંડી કેસમાં ફરાર વાંકાનેરનો શખ્સ પકડાયો
calendar_today September 1, 2026

થાન છેતરપિંડી કેસમાં ફરાર વાંકાનેરનો શખ્સ પકડાયો

સુરેન્દ્રનગર : થાન નગરપાલીકામાં કામ કરતા 9 કર્મચારીઓએ રેલવેનો કોન્ટ્રાકટ મેળવવા વાંકાનેરના રૂષીત અરવિંદભાઈ વ્યાસને રૂપીયા 1,77,240 આપ્યા હતા. જેમાં આવો કોઈ કોન્ટ્રાકટ જ ન હોવાની જાણ થતા આરોપી સામે છેતરપિંડીની ફરિયાદ થાન પોલીસ મથકે ગત મે માસમાં નોંધાઈ હતી. ત્યારે આ બનાવના ફરાર આરોપી વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં રહેતા 29 વર્ષીય રૂષીત વ્યાસને થાન પોલીસની ટીમે ઝડપી પાડયો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
અમદાવાદ જિ. પં. શિક્ષણ સમિતિની સંકલન બેઠક યોજાઈ
calendar_today September 1, 2026

અમદાવાદ જિ. પં. શિક્ષણ સમિતિની સંકલન બેઠક યોજાઈ

ધંધૂકા । (સં.ન્યૂ.સ)અમદાવાદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સાગરભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને મહત્વની સંકલન બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, તમામ તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ બી.આર.સી. કો-ઓર્ડિનેટર્સ ઉપસ્થિત રહ્યા હતા.બેઠકમાં જિલ્લાના પ્રાથમિક શિક્ષણને વધુ અસરકારક બનાવવા માટે શાળાઓની શૈક્ષણિક કામગીરી તેમજ પાયાની ભૌતિક સુવિધાઓ અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. શાળાઓમાં પીવાના પાણી, શૌચાલય, વર્ગખંડોની મરામત, વીજળી અને રમત-ગમતના મેદાન સહિતની સુવિધાઓની સ્થિતિ અંગે ચર્ચા કરી ખૂટતી સુવિધાઓ ઝડપથી ઉપલબ્ધ કરાવવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.વિદ્યાર્થીઓના વાંચન, ગણન અને લેખન કૌશલ્યમાં સુધારો થાય તે માટે શૈક્ષણિક પ્રવૃત્તિઓના અસરકારક અમલીકરણ અને આગામી આયોજન અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલુકા કક્ષાએ કામગીરીનું નિયમિત મોનિટરિંગ કરી સમયસર જરૂરી પગલાં લેવા અધિકારીઓને સૂચના અપાઈ હતી.ચેરમેન સાગરભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક શાળાના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ સાથે સારું શૈક્ષણિક વાતાવરણ અને જરૂરી પાયાની સુવિધાઓ મળે તે સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આ હેતુને સાકાર કરવા તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ સંકલન સાથે નિષ્ઠાપૂર્વક કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward