android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Chhota Udepur: ગઢ બોરિયાદ ગ્રૂપ પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઇ
calendar_today August 29, 2026

Chhota Udepur: ગઢ બોરિયાદ ગ્રૂપ પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઇ

નસવાડી : ગઢ બોરિયાદ ગ્રૂપ પ્રાથમિક શાળા ખાતે રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઇ હતી. જેની શરૂઆત સવારની વિશેષ પ્રાર્થના સભાથી કરાઇ હતી. જે પ્રસંગે શાળાના શિક્ષકે રક્ષાબંધન પર્વનું સાંસ્કૃતિક અને સામાજિક મહત્વ સમજાવ્યું હતું. ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ, વિશ્વાસ અને પરસ્પર રક્ષણની ભાવના વિશે બાળકોને માહિતગાર કરાયા હતા. ત્યારબાદ રાખડી બાંધવાનો કાર્યક્રમ યોજાયો હતો. શાળાની બાળાઓએ શાળાના ભાઈઓને કંકુ-તિલક કરી, મોં મીઠું કરાવી પ્રેમપૂર્વક રાખડી બાંધી હતી. કાર્યક્રમ શાળાના આચાર્ય તથા શિક્ષકગણના માર્ગદર્શન અને સહકારથી સંપન્ન થયો હતો. કાર્યક્રમના અંતે તમામ બાળકોને મિષ્ટાન્નનું વિતરણ કરાયું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Morbi: ગુડ મોર્નિંગ મોરબી...શહેર-જિલ્લામાં ટૂંક સમયમાં રેડિયો ગુંજતો થઈ જશે
calendar_today August 29, 2026

Morbi: ગુડ મોર્નિંગ મોરબી...શહેર-જિલ્લામાં ટૂંક સમયમાં રેડિયો ગુંજતો થઈ જશે

મોરબીમાં ટૂંક સમયમાં ઓલ ઈન્ડિયા રેડિયો (આકાશવાણી) સ્ટેશન શરૂ થવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટને સાકાર કરવાની દિશામાં દિલ્હી અને અમદાવાદના ઉચ્ચ અધિકારીઓની ટીમે મોરબી ખાતે રેડિયો સ્ટેશન માટેની રવાપર - ધુનડા રોડ પરની સૂચિત જગ્યાનું બારીકાઈથી સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન સ્ટેશન સ્થાપવા માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્થળની ભૌગોલિક યોગ્યતા અંગે પ્રાથમિક સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.મંત્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા કરવામાં આવેલી સતત રજૂઆતો અને સઘન પ્રયાસોના પરિણામે આ પ્રોજેક્ટને નવી ગતિ મળી છે. મોરબીની મુલાકાતમાં ન્યૂ દિલ્હી ઓલ ઈન્ડિયા રેડિયોના એડિશનલ ડિરેક્ટર જનરલ અભિષેક અગ્રવાલ, ડેપ્યુટી ડિરેક્ટર જનરલ રવિન્દ્ર ગોયલ અને અમદાવાદ-ગુજરાત ક્લસ્ટર આકાશવાણીના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ એન. એલ. ચૌહાણ, મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી સહિતના સ્થાનિક આગેવાનોએ રવાપર - ધુનડા રોડ પર ફાળવેલ સરકારી ખરાબાની જગ્યા પર બારીકાઈથી નિરીક્ષણ કરી પ્રોજેક્ટની રૂપરેખા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.મોરબીમાં આકાશવાણી કેન્દ્ર શરૂ થવાથી સ્થાનિક કલાકારો અને પ્રતિભાઓને પોતાની કલા રજૂ કરવા માટે એક નવું પ્લેટફોર્મ મળશે. આ રેડિયો સ્ટેશનના માધ્યમથી સ્થાનિક સમાચાર, શિક્ષણ, કૃષિ, ઉદ્યોગ, સંસ્કૃતિ, લોકકલા તેમજ સામાજિક જાગૃતિના વિવિધ કાર્યક્રમો લોકો સુધી સરળતાથી પહોંચશે. ઔદ્યોગિક નગરી મોરબીના વિકાસમાં આ સુવિધાનો ઉમેરો એક મહત્વપૂર્ણ કડી સાબિત થશે અને સ્થાનિક જનજીવનને વધુ માહિતીસભર બનાવશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Jamnagar: દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં સૌની યોજના મારફતે પાણી અપાશે
calendar_today August 29, 2026

Jamnagar: દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં સૌની યોજના મારફતે પાણી અપાશે

હાલારના દ્વારકા અને જામનગર જિલ્લામાં ચાલુ ચોમાસામાં તદ્દન ઓછો વરસાદ પડયો છે. દુષ્કાળની ભીતિ સર્જાઈ છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા સૌની યોજના મારફત બંને જિલ્લાને સૌની યોજનાનું પાણી આપવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે.સામાન્ય રીતે હાલારના બંને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિક ડેમો મારફતે સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવતું હોય છે, પરંતુ વર્તમાન સમયે ઓછો વરસાદ હોવાના કારણે નર્મદા બેસીનમાં પણ પાણી સામાન્ય સંગ્રહ કરતા ઓછું છે. આમ છતાં, દ્વારકા અને જામનગરની સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે સૌની યોજનાની પાઇપલાઇન દ્વારા મચ્છુ-2 જળાશયમાંથી પાણી ઉપાડીને આ જિલ્લાઓમાં આપવા ખાસ મંજૂરી આપી દીધી છે. રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં સૌની લીન્ક-1 મારફતે 600 ક્યુસેક પાણી ઉપાડવામાં આવી રહ્યું છે. આ ઉપાડવામાં આવેલા પાણીમાંથી સૌથી પહેલા પીવાના પાણીને પ્રાધાન્ય આપવામાં આવશે અને ત્યારબાદ બાકી રહેતું પાણી ખેતી તથા સિંચાઈ માટે પૂરું પાડવામાં આવશે. રાજ્ય સરકારના આ પ્રજાલક્ષી નિર્ણયથી દ્વારકા અને જામનગર જિલ્લાના વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા હળવી થશે તેમજ સિંચાઈ માટે પણ મોટી રાહત મળી રહેશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward