android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: શેરચેટ અને ઈન્સ્ટાગ્રામ પર ટાસ્ક ઈન્વેસ્ટના નામે આચરી હતી ઠગાઈ, આરોપીને પોલીસે સેલવાસથી ઝડપ્યો
calendar_today September 2, 2026

Surat News: શેરચેટ અને ઈન્સ્ટાગ્રામ પર ટાસ્ક ઈન્વેસ્ટના નામે આચરી હતી ઠગાઈ, આરોપીને પોલીસે સેલવાસથી ઝડપ્યો

ગુજરાતમાં વધી રહેલા સાયબર ક્રાઈમને રોકવા માટે સાયબર સેન્ટર ફોર એક્સેલન્સની રચના કરવામાં આવી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને ઠગનારા તત્વો સામે પોલીસે સક્રિયતા દાખવી છે. તેવામાં સુરત સાયબર સેલ પોલીસની સાયબર ક્રાઈમને લઈને મોટી કાર્યવાહી સામે આવી છે. પોલીસે ઓનલાઈન કમાણી અને ઈન્વેસ્ટમેન્ટના નામે લોકોને લાખો રૂપિયાનો ચૂનો લગાવનાર આરોપીને સેલવાસથી પકડી પાડ્યો છે. સોશિયલ મીડિયા અને ટાસ્ક ઇન્વેસ્ટમેન્ટના નામે ઠગાઈપોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે શેરચેટ, ઇન્સ્ટાગ્રામ અને ટાસ્ક આધારિત ઇન્વેસ્ટમેન્ટ સ્કીમના નામે લોકોને જાળમાં ફસાવતો હતો.ઘરબેઠા સરળતાથી કમાણી કરવાની લાલચ આપીને તે લોકો પાસે મોટા પ્રમાણમાં રોકાણ કરાવતો હતો.આ પ્રકારે આરોપીએ અનેક નિર્દોષ નાગરિકોને કુલ મળીને રૂ. 26.12 લાખનો ચૂનો લગાવ્યો હતો.આરોપીની ધરપકડ બાદ તેના બેન્ક ખાતાઓની ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવતા સાયબર સેલ પણ ચોંકી ઉઠ્યું હતું.આરોપીના બેન્ક ખાતામાંથી આશરે રૂ.3.51 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મળી આવ્યા હતાં. આરોપી સાથે દેશના અન્ય ભાગોમાં પણ ફરિયાદરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર પણ આ આરોપી અને તેની મોડસ ઓપરેન્ડી વિરુદ્ધ દેશના વિવિધ ભાગોમાંથી ફરિયાદો નોંધાયેલી હોવાનું તપાસમાં ખુલ્યું છે.સેલવાસથી આદિત્ય પાંડેને ઝડપી પાડ્યા બાદ સાયબર પોલીસે તેને સુરત લાવીને વધુ પૂછપરછ હાથ ધરી છે.પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ રેકેટમાં તેની સાથે અન્ય કેટલા સાગરીતો જોડાયેલા છે. આટલા મોટા પ્રમાણમાં આવેલા નાણાં ક્યાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને આ ફ્રોડ નેટવર્કના તાર ક્યાં સુધી ફેલાયેલા છે.આ પણ વાંચોઃ Mehsanaમાં SMCનો મોટો ધડાકો, સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર 5 સ્થળે દરોડા, 13 આરોપીઓ દબોચાયા...

Read Full Story arrow_forward
Faridabad School Suicide: વર્ગખંડમાં બિરયાની અંગેના વિવાદમાં તડકામાં 4 કલાક ઉભા રહેવાની સજા, વિદ્યાર્થિનીએ શાળાના ત્રીજા માળેથી કૂદીને જીવન ટૂંકાવ્યુ
calendar_today September 2, 2026

Faridabad School Suicide: વર્ગખંડમાં બિરયાની અંગેના વિવાદમાં તડકામાં 4 કલાક ઉભા રહેવાની સજા, વિદ્યાર્થિનીએ શાળાના ત્રીજા માળેથી કૂદીને જીવન ટૂંકાવ્યુ

બી.કે.હોસ્પિટલના ડોક્ટરોએ તપાસ બાદ તેને મૃત જાહેર કરી હતી. મૃતકની ઓળખ ડબુઆની રહેવાસી જાન્વી તરીકે થઈ છે.પિતાએ શાળા પ્રશાસન પર લગાવ્યો આરોપ જાન્વીના પિતા પ્રમોદ કુમારે શાળાના શિક્ષક પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમનો દાવો છે કે વર્ગખંડમાં વિદ્યાર્થીઓ વચ્ચે બિરયાની ખાવા અંગે વિવાદ થયો હતો. આ વિવાદમાં તેમની પુત્રીનો કોઈ વાંક ન હોવા છતાં, તેને સજા આપવામાં આવી હતી. પિતાના જણાવ્યા મુજબ, શાળાની કેટલીક વિદ્યાર્થીનીઓએ તેમને આ અંગે જાણ કરી હતી. પ્રમોદ કુમારનો આરોપ છે કે શિક્ષકે જાન્વીને 4 કલાક સુધી તડકામાં ઉભી રાખી હતી. મૃતકના પિતાએ કહ્યુ હતુ કે, તેમની પુત્રી આ ઘટનાથી દુઃખી હતી. માનસિક તકલીફને કારણે જાન્વી ત્રીજા માળેથી કૂદી હતી. સજાના આરોપોને આચાર્યે ગણાવ્યા ખોટા શાળાના આચાર્ય આર.કે. શર્માએ સજાના આરોપોને નકાર્યા છે. તેઓએ કહ્યુ હતુ કે, જાન્વીને કોઈ સજા કરાઇ નથી. પરિવાર દ્વારા આક્ષેપ કરાયેલી રીતે તેની સાથે વર્તન થયુ નથી. આચાર્યના જણાવ્યા મુજબ, જાન્વી બાથરૂમ જવાનું કહીને વર્ગખંડ છોડીને નીકળી હતી. ત્યારબાદ, તે શાળાના ત્રીજા માળે પહોંચી અને ત્યાંથી કૂદી હતી. શાળા મેનેજમેન્ટના જણાવ્યા મુજબ, ઘટના પાછળનું વાસ્તવિક કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસે તપાસ શરૂ ઘટનાની જાણ થતાં જ ડબુઆ પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમણે શાળા પરિસરનું નિરીક્ષણ કર્યું છે અને ઘટના સંબંધિત માહિતી એકઠી કરવાનું શરૂ કરી દીધું છે. પોલીસ શાળા મેનેજમેન્ટ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મૃતકના પરિવાર પાસેથી માહિતી એકઠી કરી રહી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે વિદ્યાર્થી ત્રીજા માળે કેવી રીતે પહોંચી અને ઘટના પહેલા તેની સાથે શું થયું. વિદ્યાર્થીને કથિત રીતે સજા આપવામાં આવી હોવાના આરોપોની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ પણ વાંચોઃ રશિયન એરસ્પેસ વાપરતી એરલાઇન્સને Zelenskyyની ચેતવણી, Putin કહ્યું, 'આ સ્ટેટ ટેરરિઝમ'

Read Full Story arrow_forward
Rahul Gandhi: મુસલમાનોના વિરોધી....સાવરકરના પ્રપૌત્ર રાહુલગાંધીના નિવેદનથી લાલઘૂમ, જાણો કોર્ટમાં શું કહ્યું ?
calendar_today September 2, 2026

Rahul Gandhi: મુસલમાનોના વિરોધી....સાવરકરના પ્રપૌત્ર રાહુલગાંધીના નિવેદનથી લાલઘૂમ, જાણો કોર્ટમાં શું કહ્યું ?

પુણેની એક ખાસ કોર્ટમાં કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ કરાયેલા ફોજદારી માનહાનિના કેસની સુનાવણી દરમિયાન એક મહત્વપૂર્ણ મુદ્દો સામે આવ્યો.રાહુલ ગાંધી સામે ફોજદારી માનહાનિનો કેસ દાખલસત્યકી સાવરકરે રાહુલ ગાંધી સામે ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો છે. તેમનો આરોપ છે કે રાહુલ ગાંધીએ લંડનમાં આપેલા ભાષણ દ્વારા સાવરકરને બદનામ કર્યા હતા. હાલમાં, રાહુલ ગાંધીના વકીલ, મિલિંદ પવાર, આ મામલે સાત્યકી સાવરકરની ઉલટતપાસ કરી રહ્યા છે. આ કેસની સુનાવણી સ્પેશિયલ જજ અમોલ શિંદેની કોર્ટમાં ચાલી રહી છે.'ભાષણનો કયો ભાગ બદનક્ષીભર્યો હોવાનું જણાયું?'મંગળવારે સુનાવણી દરમિયાન, રાહુલ ગાંધીના વકીલે સત્યકિ સાવરકરને પૂછ્યું કે રાહુલ ગાંધીના ભાષણનો કયો ભાગ તેમને બદનક્ષીભર્યો લાગ્યો. જવાબમાં, સત્યકિએ કોર્ટનું ધ્યાન ભાષણના તે ભાગ તરફ દોર્યું જ્યાં રાહુલ ગાંધીએ કથિત રીતે સાવરકર દ્વારા લખાયેલા પુસ્તકમાંથી એક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. સાત્યકિના મતે, તે ફકરો એક ઘટનાનું વર્ણન કરે છે જેમાં સાવરકર અને તેમના કેટલાક સાથીઓએ કથિત રીતે એક મુસ્લિમ વ્યક્તિ પર હુમલો કર્યો હતો; ઘટના પછી, એવું કહેવામાં આવ્યું હતું કે સાવરકરને સંતોષની લાગણી થઈ હતી.સ્વાતંત્ર્ય સેનાની અને હિન્દુત્વ વિચારક વિનાયક દામોદર સાવરકરના પૌત્ર સત્યકી સાવરકરે ઉલટતપાસ દરમિયાન જણાવ્યું હતું કે તેમના દાદાએ ક્યારેય મુસ્લિમો પ્રત્યે દ્વેષ રાખ્યો ન હતો.  તેના બદલે, તેમણે તેમના લખાણો દ્વારા તેમની પ્રગતિના માર્ગો પણ સૂચવ્યા હતા.‘સાવરકરને મુસ્લિમોને નફરત કરનારા વ્યક્તિ તરીકે દર્શાવવામાં આવ્યા’સત્યકી સાવરકરે કોર્ટમાં દાવો કર્યો હતો કે રાહુલ ગાંધીના ભાષણમાં આ ઘટનાનો ઉલ્લેખ સાવરકરને મુસ્લિમો પ્રત્યે તીવ્ર નફરત રાખનાર અને ટોળાની હિંસાના ગુનેગાર તરીકે દર્શાવવામાં આવ્યો હતો. તેમણે કહ્યું, “આ શબ્દો દ્વારા, સાવરકરને એવા વ્યક્તિ તરીકે દર્શાવવામાં આવ્યા હતા જે મુસ્લિમોને ખૂબ જ નફરત કરતા હતા અને ટોળાની હત્યાઓને ઉશ્કેરતા હતા. સાવરકરે ક્યારેય મુસ્લિમોને નફરત કરી ન હતી; તેનાથી વિપરીત, તેમણે તેમના લખાણોમાં તેમની પ્રગતિ માટેના માર્ગો અને પગલાં દર્શાવ્યા હતા.”એવુ તો શું બોલ્યા હતા રાહુલ ગાંધી ? 2023માં લંડનમાં આપેલા ભાષણમાં રાહુલ ગાંધીએ દાવો કર્યો હતોકે વીર સાવરકરે પોતાના એક પુસ્તકમાં લખ્યુ હતું કે તેમણે પોતાના 5-6 મિત્રો સાથે મળીને એક મુસ્લિમ યુવકને માર્યો હતો. તેનાથી તેમને ખુશી મળી હતી.  આ પણ વાંચો-  નેપાળમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે સોનુ સૂદ, જાણો શું કહ્યું ?

Read Full Story arrow_forward