android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kerala: મુસ્લિમ ધર્મગુરુ પર ભડક્યા કોંગ્રેસના CM, કહ્યું- ઇસ્લામિક ઇતિહાસમાં મહિલાઓ...
calendar_today September 2, 2026

Kerala: મુસ્લિમ ધર્મગુરુ પર ભડક્યા કોંગ્રેસના CM, કહ્યું- ઇસ્લામિક ઇતિહાસમાં મહિલાઓ...

Kerala: વી.ડી. સતીસને સુન્ની ઇસ્લામિક વિદ્વાન કંઠપુરમ એ.પી. અબુબકર મુસલિયાર દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સખત વિરોધ કર્યો હતો, જેમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે મહિલાઓએ તેમના ઘરની મર્યાદામાં રહેવું જોઈએ. સતીસને જણાવ્યું હતું કે આવી માનસિકતા કેરલમની પ્રગતિશીલ પરંપરા સાથે સુસંગત નથી.મજબૂત વિરોધરાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ એક પત્રકાર પરિષદમાં બોલતા, સતીસને કહ્યું, "અમે તે નિવેદન સાથે બિલકુલ સહમત નથી. તે પ્રગતિશીલ કેરલમ સાથે સુસંગત નથી. અમે આ સાથે કોઈપણ રીતે સહમત થઈ શકતા નથી. મહિલાઓ ફક્ત ઘરે રહેવા માટે નથી. તેમણે ઉમેર્યું, "તેઓએ જીવનના દરેક ક્ષેત્રમાં ભાગ લેવો જોઈએ અને સમાજમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવી જોઈએ. નિઃશંકપણે આ આપણો પ્રગતિશીલ દૃષ્ટિકોણ છે." રાણી બિલ્કીસનું ઉદાહરણ ટાંકીને, સતીસને જણાવ્યું કે તે ઇસ્લામિક ઇતિહાસમાં શાસક તરીકે નોંધાયેલી છે. તેમણે કહ્યું, "ઇસ્લામિક ઇતિહાસમાં એક મહિલાના ઉદાહરણો છે જે વેપારમાં રોકાયેલી હતી, એક મહિલા જેણે લશ્કરી નેતૃત્વની ભૂમિકા ભજવી હતી અને એક મહિલા જે રાણી હતી. આ બધા ઉદાહરણો ઇસ્લામિક ઇતિહાસમાં અસ્તિત્વમાં છે."નેતાએ ખલીફાઓના યુગની એક ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો, જ્યાં એક મહિલાએ *મેહર* (લગ્ન સમયે પતિ દ્વારા તેની પત્નીને આપવામાં આવતી રકમ) અંગેના ચુકાદા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે તે સમયના શાસકે સ્ત્રીની દલીલની માન્યતા સ્વીકારી હતી. સતીસને ટિપ્પણી કરી, "આ ઉદાહરણો દર્શાવે છે કે સ્ત્રીઓ શાહી દરબારમાં પણ સ્થાન ધરાવે છે. તેથી અમે આવી માનસિકતા સાથે કોઈપણ રીતે સહમત થઈ શકતા નથી."શું છે મામલો?ઉલ્લેખનય છે કે, સુન્ની ઇસ્લામિક વિદ્વાન કંઠપુરમ એ.પી. અબુબકર મુસલિયારે રવિવારે કોચીમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે સ્ત્રીઓએ તેમના ઘરની અંદર રહેવું જોઈએ. તેમણે દલીલ કરી હતી કે જાહેર પ્લેટફોર્મ પર ખુલ્લેઆમ દેખાવાથી સમાજને નુકસાન થાય છે, તેથી જ ઇસ્લામ *પર્દા* વ્યવસ્થા અને સ્ત્રીઓને ઘરે રહેવાની હિમાયત કરે છે. તેમણે દાવો કર્યો હતો કે સંગઠનના વિદ્વાનો છેલ્લા 100 વર્ષથી આ શીખવી રહ્યા છે અને આ પરંપરાને કારણે જ સ્ત્રીઓનું સન્માન કરવામાં આવે છે. કંથાપુરમે સ્પષ્ટતા કરી કે ગમે તે સંગઠન કે નેતા તેનો વિરોધ કરે, તેઓ ધાર્મિક સિદ્ધાંતો અનુસાર બોલતા રહેશે, અને તેમને કોઈ રોકી શકશે નહીં.આ પણ વાંચો: Delhi બસ ગેંગરેપમાં મોટો ખુલાસો... વિદ્યાર્થીની ગુસ્સામાં ઘરેથી નકળી! પોલીસને આરોપીઓને લઈ મળ્યો પુરાવા

Read Full Story arrow_forward
Surat News: બોર્ડની પરીક્ષામાં ઉત્તરવાહી મૂલ્યાંકનમાં બેદરકારી, 370 શિક્ષકોને રૂપિયા 5.72 લાખનો દંડ
calendar_today September 2, 2026

Surat News: બોર્ડની પરીક્ષામાં ઉત્તરવાહી મૂલ્યાંકનમાં બેદરકારી, 370 શિક્ષકોને રૂપિયા 5.72 લાખનો દંડ

બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીને મળેલા ગુણમાં નાની સરખી ભૂલ પણ તેના આગળના અભ્યાસ અને પ્રવેશ પ્રક્રિયા પર અસર કરી શકે છે.આથી ઉત્તરવહીનું મૂલ્યાંકન થયા બાદ તેની ગુણચકાસણી અને અવલોકન માટેની વ્યવસ્થા કેટલી મહત્ત્વની છે તે સુરતના આંકડાઓ પરથી સામે આવ્યું છે.ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાયેલી બોર્ડની પરીક્ષાની ઉત્તરવહી ચકાસણીમાં સુરતના 370 શિક્ષકોની કામગીરીમાં ભૂલો સામે આવી છે.મૂલ્યાંકનમાં થયેલી બેદરકારી બદલ બોર્ડ દ્વારા 370 શિક્ષકોને રૂપિયા 5.72 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ક્ષતિઓના આધારે દંડની કાર્યવાહી કરવામાં આવીશિક્ષકો સામે માત્ર દંડાત્મક પગલાં તરીકે જોવાને બદલે વિદ્યાર્થીના પરિણામમાં ચોકસાઈ જળવાય અને મૂલ્યાંકન પ્રક્રિયા વધુ જવાબદાર બને તે માટે બોર્ડ દ્વારા મૂલ્યાંકન દરમિયાન ગુણ આપવામાં અથવા ગુણના સરવાળામાં ભૂલ કરનાર શિક્ષકો માટે બોર્ડે દંડની જોગવાઈ રાખી છે.સુરતમાં ધોરણ-10ની ઉત્તરવહીનું મૂલ્યાંકન કરનારા 162 શિક્ષકો, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 104 શિક્ષકો અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 104 શિક્ષકો મળી કુલ 370 શિક્ષકોની કામગીરીમાં ભૂલો નોંધાઈ હતી.આ શિક્ષકોને બોર્ડની નિયમિત ચકાસણી પ્રક્રિયા દરમિયાન થયેલી ક્ષતિઓના આધારે દંડની કાર્યવાહી કરવામાં આવી છે.સુરતના શિક્ષકો દ્વારા 5726 માસની ભૂલ કરવામાં આવીમાર્ક્સની વાત કરીએ તો સુરતના શિક્ષકો દ્વારા 5726 માસની ભૂલ કરવામાં આવી છે.જે બદલ 572600 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.જેમાં ધોરણ 10માં સૌથી વધુ 2445 માર્ક્સની ભૂલ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 135 માર્ક્સની ભૂલો અને ધોરણ 12 સાયન્સમાં 1931 માર્ક્સની ભૂલો સામે આવી છે.જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ દંડિત શિક્ષકોને નોટિસ પાઠવી સાત દિવસમાં દંડની રકમ જમા કરાવવા માટે સૂચના આપવામાં આવી છે.ધોરણ 10માં 162 શિક્ષકોની મૂલ્યાંકન કામગીરીમાં ભૂલ સામે આવી છે.જે પૈકી એક શિક્ષક દ્વારા 132 માર્ક્સની ભૂલ કરાઈ હતી.જે બદલ 13200નો દંડ ફટકારવામાં આવ્યો છે.ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં મહત્તમ 3600નો દંડ જ્યારે ધોરણ 12 સાયન્સ પ્રવાહમાં મહત્તમ 2 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.ધોરણ 10ના 162 શિક્ષકોને 2.44લાખ, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 104 શિક્ષકોને 1.35 લાખ અને સાયન્સમાં 104 શિક્ષકોને 1.93 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.આ પણ વાંચોઃ Sandesh Indepth : તમે નાની હોટેલો અને ખાણીપીણી બજારમાં જે લાલ ચોળ દેખાતો ટોમેટો સોસ ખાઓ છો તે અસલી છે?

Read Full Story arrow_forward
Ahmedabad News : PM આવાસ યોજનાના નામે મોટું કૌભાંડ, મહિલાઓને મકાનની લાલચ આપી રૂ.7.18 લાખની ઠગાઈ...
calendar_today September 2, 2026

Ahmedabad News : PM આવાસ યોજનાના નામે મોટું કૌભાંડ, મહિલાઓને મકાનની લાલચ આપી રૂ.7.18 લાખની ઠગાઈ...

અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં આવેલી 'સનાતન રેસીડેન્સી'માં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ મકાન અપાવવાની લાલચ આપી મહિલાઓ સાથે રૂ. 7.18 લાખની છેતરપિંડી આચરાઈ હોવાનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ કૌભાંડ આચરનાર મહેબુબ શેખ ઉર્ફે બાબુભાઈ નામના શખ્સ સામે વાસણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીએ ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓને ઘરનું ઘર મેળવવાની લાલચ આપીને વિશ્વાસમાં લીધી હતી અને તેમની પાસેથી રોકડા તેમજ ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા લાખો રૂપિયા પડાવી લીધા હતા.બોગસ દસ્તાવેજો અને AUDA ના લેટરપેડ બતાવી ત્રણ મહિલાઓને ઠગ્યાઆરોપી મહેબુબ શેખે ફરિયાદી રેખાબેન ડાભી પાસેથી કુલ રૂ. 2 લાખ, તેમની બહેન રવીનાબેન પાસેથી રૂ. 2.44 લાખ અને પરિચિત પ્રિયાબેન પાસેથી રૂ. 2.74 લાખ મળીને કુલ રૂ. 7.18 લાખ પડાવી લીધા હતા. આ ઠગાઈ આચરવા માટે તેણે અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA) ના બનાવટી લેટરપેડ, મકાનની ફેક ફાઈલો અને બોગસ પઝેશન લેટર તૈયાર કરી બતાવ્યા હતા. મકાન દસ્તાવેજ, લોન અને પઝેશનના નામે અલગ-અલગ તબક્કે રકમ લીધા બાદ, છેલ્લે મકાનની ચાવી અને પઝેશન લેટર સોંપવાના બાના હેઠળ પણ વધુ રૂ. 10 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા.લાંબા સમય બાદ પણ મકાન ન મળતાં કૌભાંડ ખુલ્લું પડ્યુંરૂપિયા ચૂકવ્યાના લાંબા સમય બાદ પણ મકાનનો કબજો કે સંતોષકારક જવાબ ન મળતાં ફરિયાદી મહિલાઓએ તપાસ શરૂ કરી હતી, જેમાં પોતાની સાથે મોટો વિશ્વાસઘાત થયો હોવાનો ખુલાસો થયો હતો. આરોપીએ તમામ દસ્તાવેજો ખોટા ઊભા કરીને રૂપિયા મેળવ્યા હોવાનું સ્પષ્ટ થતાં રેખાબેન ડાભીએ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે મહેબુબ શેખ ઉર્ફે બાબુભાઈ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આ કૌભાંડમાં અન્ય કોઈ સહઆરોપી કે Victims જોડાયેલા છે કે નહીં તે અંગેની તપાસ તેજ કરી છે.આ પણ વાંચો : Ahmedabadની EbixCash સાથે રૂ.40 લાખનો વિશ્વાસઘાત, પોતાના જ સેલ્સ મેનેજરે બોગસ KYCથી કંપનીને ફટકાર્યો મોટો ચૂનો!

Read Full Story arrow_forward