android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Balochistan મામલે ભારતે Pakistanના આરોપો ફગાવ્યા,  MEA પાકિસ્તાનની આંતરિક નિષ્ફળતા ગણાવી
calendar_today February 1, 2026

Balochistan મામલે ભારતે Pakistanના આરોપો ફગાવ્યા, MEA પાકિસ્તાનની આંતરિક નિષ્ફળતા ગણાવી

ભારતે પાકિસ્તાનની આંતરિક નિષ્ફળતાઓ ગણાવી તેને જ અરીસો બતાવ્યો છે. અને સ્થાનિકોની માગ પૂર્ણ કરવા પાકિસ્તાનને સૂચન કર્યુ છે. ઇસ્લામાબાદની પોતાની આંતરિક નિષ્ફળતા ભારતે બલૂચિસ્તાનમાં શાંતિ ભંગ કરવાના પ્રયત્નમાં ભારતનો હાથ હોવાનો પાકિસ્તાનનો આરોપ ફગાવ્યો છે. ભારતે કહ્યુ કે, આ ઇસ્લામાબાદની પોતાની આંતરિક નિષ્ફળતામાંની ધ્યાન ભટકાવવા માટે જૂની ચાલ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ આરોપોને ફગાવ્યા છે. વિદેશ મંત્રાલયે કહ્યુ હતુ કે, તેઓ પાકિસ્તાનના તમામ આરોપો નકારે છે. જે પોતાની આંતરિક નિષ્ફળતાઓથી ધ્યાન ભંગ કરવા માટે આ કામ કરી રહ્યુ છે. આધાર વિનાના આરોપોના સ્થાને માગ કરો પૂર્ણ પાકિસ્તાન પાસે પોતાનો બચાવ કરવા માટે કોઇ વિકલ્પ નથી. તો રણધીર જયસ્વાલે વધુમાં કહ્યુ હતુ કે, પાકિસ્તાનની સેનાના આધાર વિનાના સવાલનો જવાબ આપવાનું તેઓ જરુરી સમજતા નથી. વિદેશ મંત્રાલયે કહ્યુ હતુ કે, જ્યારે પણ કોઇ હિંસક ઘટના થાય છે ત્યારે આધાર વિનાના દાવા વાગળવામાં આવે છે. પાકિસ્તાને આરોપો લગાવવાના સ્થાને જનતાની માગ પર્ણ કરવા બાબતે ધ્યાન આપવું જોઇએ. પાકિસ્તાન અને બલૂચિસ્તાનની લડાઇ પાકિસ્તાન સેનાએ કહ્યુ હતુ કે, બલૂચિસ્તાન પ્રાંતમાં પાકિસ્તાની સુરક્ષા દળો તરફથી કરવામાં આવેલા આતંકવાદ વિરોધી અભિયાનમાં 15 પાકિસ્તાની સૈનિકો અને 92 આંતકવાદીઓ માર્યા ગયા હતા. એક નિવેદનમાં કહેવાયુ છે કે, અભિયાન જાતીય બલૂચ સમૂહ સાથે જોડ઼ાયેલા આતંકવાદીઓ દ્વારા હુમલાઓ કર્યા બાદ શરુ કરવામાં આવ્યા હતા. ચાર સુરક્ષા અધિકારીઓ મુજબ બલૂચિસ્તાનના દક્ષિણ-પશ્ચિમી પ્રાંતના કેટલાક શહેરમાં પાકિસ્તાનની સુરક્ષા દળો સાથેની લડાઇમાં 67 આંતકીઓ માર્યા ગયા હતા. આ પણ વાંચોઃ World News: ડોનાલ્ડ ટ્રમ્પના શપથવિધિના 4 દિવસ પહેલા કરાયો હતો સીક્રેટ કરાર, સ્પાય શેખે આ કંપનીમાં ખરીદી હતી 49%ની હિસ્સેદારી

Read Full Story arrow_forward
Gandhinagar માં તંત્રની ઘોર બેદરકારી, સેક્ટર 12માં 7 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી 3 વર્ષની માસૂમ બાળકી
calendar_today February 1, 2026

Gandhinagar માં તંત્રની ઘોર બેદરકારી, સેક્ટર 12માં 7 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી 3 વર્ષની માસૂમ બાળકી

ગાંધીનગર મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે સેક્ટર 12માં એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ છે. સેક્ટર 12માં આવેલા વિશ્વકર્મા મંદિર નજીક રોડ પર ખુલ્લી રહેલી ગટરમાં એક 3 વર્ષની માસૂમ બાળકી અચાનક ખાબકી હતી. આ ગટર આશરે 7 ફૂટ જેટલી ઊંડી હોવાથી બાળકી અંદર પટકાતા જ ચીસાચીસ કરી મૂકી હતી. સદનસીબે, આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને સમય સૂચકતા વાપરીને ગટરમાં ઉતરી બાળકીને સહીસલામત બહાર કાઢી હતી. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં મનપા પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.તંત્ર જાગશે ક્યારે? સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે, વિસ્તારમાં અનેક જગ્યાએ ગટરના ઢાંકણા તૂટેલા છે અથવા ખુલ્લા છે, જે અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. જો નાગરિકો સમયસર ન પહોંચ્યા હોત તો બાળકીનો જીવ જઈ શક્યો હોત. પાટનગરના હાર્દ સમાન વિસ્તારમાં જ્યારે આવી બેદરકારી જોવા મળે ત્યારે 'સ્માર્ટ સિટી'ના દાવાઓ સામે અનેક પ્રશ્નાર્થો ઉભા થાય છે. તંત્ર હજુ કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યું છે કે શું, તેવો સવાલ ઉઠાવીને લોકો હવે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાંની માંગ કરી રહ્યા છે. આ પણ વાંચો : Union Budget 2026 : બાંગ્લાદેશના કાપડ સામ્રાજ્યના પાયા હચમચાવી દેશે ભારતનો માસ્ટર પ્લાન

Read Full Story arrow_forward
Union Budget 2026 :  ઉદ્યોગો માટે જાહેર કરાયેલા પ્રોત્સાહનો રાજ્યના મેન્યુફેક્ચરિંગ સેક્ટરને બુસ્ટ અપ કરશે: CM ભૂપેન્દ્ર પટેલ
calendar_today February 1, 2026

Union Budget 2026 : ઉદ્યોગો માટે જાહેર કરાયેલા પ્રોત્સાહનો રાજ્યના મેન્યુફેક્ચરિંગ સેક્ટરને બુસ્ટ અપ કરશે: CM ભૂપેન્દ્ર પટેલ

આજે નાણામંત્રી નિર્મલા સિતારામન દ્વારા યુનિયન બજેટ 2026 રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ હંમેશા સામાન્ય લોકોને પ્રાધાન્ય આપ્યું છે. તેમના નેતૃત્વમાં વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું બજેટ આજે નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. કર્તવ્ય ભવનમાં તૈયાર થયેલું આ બજેટ ત્રણ કર્તવ્યો પર ઝોંક આપતું બજેટ છે. ગુજરાતના મેન્યુફેક્ચરીંગ સેક્ટરને બૂસ્ટ અપ કરશે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ તથા દિવ્યાંગજનના પીલ્લર્સ મુજબ કામ થશે. આ ત્રણ કર્તવ્યોમાં સમાજના બધાં જ ક્ષેત્રોને અને દરેક વર્ગને “સૌના સાથ, સૌના વિકાસના” મંત્રથી આવરી લેવાનો ખૂબ જ સરાહનીય અભિગમ રાખવામાં આવ્યો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ડસ્ટ્રીઝ, કટીંગ એજ ટેકનોલોજી, સેમિકન્ડક્ટર, ડેટા સેન્ટર્સ જેવા ક્ષેત્રો પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે. એમ.એસ.એમ.ઇ. પર ભાર મૂકવામાં આવ્યો છે તેનાંથી લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગોને મોટો ફાયદો થશે. મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રોમાં ઉદ્યોગોને જે પ્રોત્સાહનો જાહેર કરવામાં આવ્યાં છે તે પણ ગુજરાતના મેન્યુફેક્ચરીંગ સેક્ટરને બૂસ્ટ અપ કરશે. યોજનાઓનો લાભ ગુજરાતના ટેક્સટાઇલ સેક્ટરને મળશે મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, પૂર્વ ભારતના દાનકુનીથી સુરત સુધીના ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોરથી રાજ્યના વ્યાપાર-ઉદ્યોગ અને ઉત્પાદન ક્ષેત્ર માટે ઝડપી લોજિસ્ટીક્સ સેવાઓ મળતી થશે. ટેક્સટાઇલ સેક્ટરને વધુ ઉત્તેજન આપવા જાહેર કરવામાં આવેલી 6 જેટલી યોજનાઓનો લાભ ગુજરાતના ટેક્સટાઇલ સેક્ટરને મળશે.ત્રણ કેમિકલ પાર્ક્સની જાહેરાત તથા બાયોફાર્મા ઇન્ડસ્ટ્રીઝ માટે 10 હજાર કરોડની જે જાહેરાત થઈ છે તેનો પણ લાભ ગુજરાતના આ ક્ષેત્રના ઉદ્યોગોને મળશે.ગુજરાત દેશમાં મ્યુનિસીપલ બોન્ડ ઇશ્યૂમાં અગ્રેસર રહ્યું છે.આ બજેટમાં મ્યુનિસીપલ બોન્ડ માટે જે પ્રોત્સાહન જાહેર થયાં છે તેનો લાભ ગુજરાતની મ્યુનિસીપાલીટીઝને પણ મળશે.  ટુરિસ્ટ પ્લેસીઝમાં સ્થાનિક રોજગારીની તકો વધશે 5 લાખથી વધુ વસ્તી વાળા ટીયર-ટુ અને ટીયર-થ્રી શહેરોને સિટી ઇકોનોમિક રિજીયોન બનાવવાની જાહેરાતથી રાજ્યના નાના શહેરોનો સુગ્રથિત વિકાસ વેગવંતો બનશે. જામનગરનાં ગ્લોબલ ટ્રેડીશનલ મેડિસીન સેન્ટરને અપગ્રેડ કરવાની જાહેરાતથી પરંપરાગત ઔષધિઓના સંશોધનનો વ્યાપ વિશ્વભરમાં થશે. લોથલ અને ધોળાવીરાનો દેશની 15 પુરાતત્વીય વિરાસત ક્લસ્ટર ટુરીઝમ ડેવલોપમેન્ટમાં સમાવેશ થયો છે તેનાંથી પ્રવાસન દ્વારા ગુજરાતમાં ‘વિરાસત ભી, વિકાસ ભી’નો અભિગમ સાકાર થશે.દેશમાં 20 આઇકોનિક પ્રવાસન સ્થળો માટે 10 હજાર ટુરીસ્ટ ગાઇડ તૈયાર કરવાની યોજનાથી ગુજરાતના આઇકોનિક ટુરિસ્ટ પ્લેસીઝમાં સ્થાનિક રોજગારીની તકો વધશે. વડાપ્રધાને હંમેશા કરદાતાઓનું સન્માન કર્યું છે કૃષિ, પશુપાલન-મત્સ્યોદ્યોગ, સ્વસહાય જૂથો, ગ્રામીણ અર્થતંત્ર, સૌના વિકાસને પ્રાધાન્ય અપાયું છે.વડાપ્રધાને હંમેશા કરદાતાઓનું સન્માન કર્યું છે અને તેમને દેશના વિકાસના ચાલક બળ ગણાવ્યાં છે.આ બજેટમાં પણ કરદાતાઓનાં સન્માનનો ખ્યાલ રાખીને પ્રામાણિકતાઅ વધે તે દિશામાં કરવેરા ભરવામાં રહેલી ક્ષતિને ગુનો નહીં પરંતુ ભૂલ ગણીને સજાના બદલે દંડની જોગવાઈ કરી છે. સમગ્રતયા આ બજેટ સર્વસમાવેશી, સર્વ સ્પર્શીય અને સામાન્યમાં સામાન્ય માનવી સહિત સૌના સર્વગ્રાહિ વિકાસ, કલ્યાણ તથા વિકસિત અને આત્મનિર્ભર ભારત માટેના તેમના યોગદાનને વધુ પ્રેરણા આપતું બજેટ છે.આ પણ વાંચોઃ Union Budget 2026 : આરોગ્ય ક્ષેત્રે 'માસ્ટરસ્ટ્રોક', કેન્સર-ડાયાબિટીસની દવાઓ સસ્તી અને 3 નવા AIIMS ની ભેટ

Read Full Story arrow_forward