android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Punjab : ગુરદાસપુરના આકાશમાં ઉડતી જોવા મળી શંકાસ્પદ વસ્તુ, સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ
calendar_today January 26, 2026

Punjab : ગુરદાસપુરના આકાશમાં ઉડતી જોવા મળી શંકાસ્પદ વસ્તુ, સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ

પંજાબના ગુરદાસપુર જિલ્લાના દીનાનગર વિધાનસભા ક્ષેત્રમાં આવેલા ગામ ઉમરપુર કલામાં મોડી રાત્રે આકાશમાં શંકાસ્પદ વસ્તુઓ દેખાયા બાદ સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ. ગામના લોકોએ દાવો કર્યા બાદ પોલીસ અને BSF હરકતમાં આવ્યું અને મોડી રાતથી લઈને સવાર સુધી વિસ્તારમાં સઘન તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું. જો કે અત્યાર સુધી કોઈ પણ શંકાસ્પદ વસ્તુની પુષ્ટી થઈ નથી.એક યુવકે ખેતરોની ઉપર આકાશમાં શંકાસ્પદ વસ્તુ જોઈ મળતી માહિતી મુજબ શનિવારે રાત્રે લગભગ 11 વાગ્યે ઉમરપુર કલાના પોટરલી ફાર્મ ક્ષેત્રમાં રહેતા એક યુવકે ખેતરોની ઉપર આકાશમાં શંકાસ્પદ વસ્તુ જોઈ. યુવકે તાત્કાલિક તેની સૂચના ગામના અન્ય લોકોને આપી. ત્યારબાદ ગામમાં ડરનો માહોલ બની ગયો અને લોકોએ આ જાણકારી દૌરાંગલા પોલીસને આપી. સૂચના મળતા જ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી અને ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું. અંધારૂ વધારે હોવાના કારણે તાત્કાલિક સર્ચ ઓપરેશન ના થઈ શક્યું. ત્યારબાદ રવિવારે સવારે પોલીસ અને BSFની સંયુક્ત ટીમે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન સરૂ કર્યું. ખેતરો, ખુલ્લા વિસ્તાર અને આસપાસના ક્ષેત્રમાં તપાસ કરવામાં આવી. સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું ગામના સરપંચે અને ખેતરના માલિકે જણાવ્યું કે ગ્રામીણ વિસ્તારમાં દરેક લોકો કોઈ અનિચ્છનીય બનાવ બનવાના ભયને કારણે ડરેલા હતા. તેમને કહ્યું કે તાજેત્તરના દિવસોમાં જ સરહદી વિસ્તારોમાં વધતી સતર્કતાને જોતા લોકોએ તાત્કાલિક તંત્રને સૂચના આપવી જરૂરી સમજી. આ મામલે ડીએસપીએ જણાવ્યું કે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસને લઈને પોલીસ પહેલા જ હાઈ એલર્ટ પર હતી. જેવી જ રાત્રે સૂચના મળી કે પોલીસની અલગ અલગ ટીમ ગામમાં મોકલવામાં આવી. રવિવારે સવારે મોટી સંખ્યામાં પોલીસના જવાનો અને બીએસએફની સાથે સંયુક્ત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું. તેની સાથે જ આસપાસમાં લાગેલા સીસીટીવી કેમેરાની પણ તપાસ કરવામાં આવી. ડીએસપીએ સ્પષ્ટ કર્યું કે હાલમાં કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ કે ગતિવિધિની પુષ્ટી કરવામાં આવી નથી. તેમને લોકોને અપીલ કરી કે અફવાઓ પર ધ્યાન ના આપે અને કોઈ પણ શંકાસ્પદ ગતિવિધની સૂચના તરત જ પોલીસને આપે. તેમને પણ કહ્યું કે પોલીસ 24 કલાક જનતાની સુરક્ષા અને સેવા માટે તૈનાત છે.    આ પણ વાંચો: Bijapur Naxal Attack: છત્તીસગઢના બીજાપુરમાં નક્સલ વિરોધી કાર્યવાહી દરમિયાન IED બ્લાસ્ટ, 11 જવાન થયા ઘાયલ

Read Full Story arrow_forward
Delhi Metro New Corridor : આ રૂટમાં હશે 9 નવા સ્ટેશન, 9.91 કિલોમીટર લાંબો છે કોરિડોર
calendar_today January 26, 2026

Delhi Metro New Corridor : આ રૂટમાં હશે 9 નવા સ્ટેશન, 9.91 કિલોમીટર લાંબો છે કોરિડોર

દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) રાજધાનીમાં મુસાફરોની સુવિધા વધારવા માટે મેજેન્ટા લાઈન (લાઈન 8)ના નોંધપાત્ર વિસ્તરણ પર ઝડપથી કામ કરી રહ્યું છે. રામકૃષ્ણ આશ્રમ માર્ગથી ઈન્દ્રપ્રસ્થ સુધી પ્રસ્તાવિત આ નવો કોરિડોર આશરે 9.913 કિલોમીટર લાંબો હશે અને સંપૂર્ણપણે ભૂગર્ભમાં બનાવવામાં આવશે. આ વિભાગમાં કુલ 9 નવા સ્ટેશન બનાવવામાં આવશે, જે દિલ્હીના ઘણા મુખ્ય વિસ્તારોને સીધા મેટ્રો નેટવર્ક સાથે જોડશે.ખાનગી વાહનોને કારણે ટ્રાફિક જામ અને પ્રદૂષણ વધે છે પ્રસ્તાવિત નવા સ્ટેશનોમાં રામકૃષ્ણ આશ્રમ માર્ગ, શિવાજી સ્ટેડિયમ, સેન્ટ્રલ સેક્રેટરીએટ, કર્તવ્ય ભવન, ઈન્ડિયા ગેટ, વોર મેમોરિયલ-હાઈકોર્ટ, બરોડા હાઉસ, ભારત મંડપમ અને ઈન્દ્રપ્રસ્થનો સમાવેશ થાય છે. આ બધા સ્થળો વહીવટી, ઐતિહાસિક અને વ્યાપારી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હાલમાં લોકોને આ વિસ્તારોમાં પહોંચવા માટે બસ, ઓટો, ટેક્સી અથવા ખાનગી વાહનો પર આધાર રાખવો પડે છે, જેના કારણે ટ્રાફિક જામ અને પ્રદૂષણ વધે છે. મેટ્રો સેવાઓની ઉપલબ્ધતા આ વિસ્તારોમાં પહોંચવાનું ઝડપી અને સરળ બનાવશે. મેજેન્ટા લાઈન, મુખ્ય કોરિડોરમાંથી એક દિલ્હી-એનસીઆરમાં મેજેન્ટા લાઈન પહેલાથી જ મુખ્ય કોરિડોર તરીકે પોતાને સ્થાપિત કરી ચૂકી છે. આ નવું વિસ્તરણ તેની ઉપયોગિતા અને પહોંચમાં વધારો કરશે. ખાસ કરીને ઈન્દ્રપ્રસ્થ વિસ્તાર, જે જૂની દિલ્હી અને નવી દિલ્હી વચ્ચેનો એક મહત્વપૂર્ણ કડી છે, તે આ પ્રોજેક્ટ દ્વારા વધુ સારી રીતે જોડાયેલો રહેશે. મુસાફરોને ઈન્ડિયા ગેટ, ભારત મંડપમ અને દિલ્હી હાઈકોર્ટ જેવા મુખ્ય સ્થળો સુધી સીધી મેટ્રો ઍક્સેસનો લાભ મળશે, જેનાથી મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઓછો થવાની અપેક્ષા છે. પર્યાવરણીય રીતે ફાયદાકારક ડીએમઆરસી માને છે કે આ વિસ્તરણ માત્ર સુવિધા જ નહીં પરંતુ પર્યાવરણીય દ્રષ્ટિકોણથી પણ ફાયદાકારક સાબિત થશે. જેમ જેમ વધુ લોકો ખાનગી વાહનોને બદલે મેટ્રોનો ઉપયોગ કરશે, તેમ તેમ બળતણનો વપરાશ ઘટશે અને વાયુ પ્રદૂષણ ઓછું થશે. વધુમાં લાખો લાંબા અંતરના મુસાફરોનો દૈનિક સમય બચશે, જે ઉત્પાદકતા પર સકારાત્મક અસર કરશે. ડીએમઆરસીનો ઉદ્દેશ્ય આ પ્રોજેક્ટને સમયસર પૂર્ણ કરવાનો છે, જેથી દિલ્હીનું મેટ્રો નેટવર્ક વધુ વ્યાપક અને અસરકારક બની શકે. રાજધાનીના વધતા શહેરી દબાણને સંતુલિત કરવા અને ભવિષ્યની પરિવહન જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ વિસ્તરણને એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.આ પણ વાંચો : Punjab : ગુરદાસપુરના આકાશમાં ઉડતી જોવા મળી શંકાસ્પદ વસ્તુ, સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ

Read Full Story arrow_forward
Dwarka : ઇલેક્ટ્રિક ટાવર પાસેની કેબિનમાં ભીષણ આગથી ફફડાટ, કોઇ જાનહાનિ નહીં
calendar_today January 26, 2026

Dwarka : ઇલેક્ટ્રિક ટાવર પાસેની કેબિનમાં ભીષણ આગથી ફફડાટ, કોઇ જાનહાનિ નહીં

પવિત્ર યાત્રાધામ દ્વારકામાં આજે અચાનક આગ લાગવાની ઘટના બનતા સ્થાનિકો અને પ્રવાસીઓમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. દ્વારકાના મુખ્ય બસ સ્ટેશનની બિલકુલ સામે આવેલા વાલ્મિકી આવાસ વિસ્તારમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. કેબિનમાં એકાએક આગ ભભૂકી ઉઠી મળતી માહિતી મુજબ, વાલ્મિકી આવાસ પાસે આવેલા એક ઇલેક્ટ્રિક ટાવરની નજીક રહેલી કેબિનમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને કેબિનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. આ વિસ્તાર બસ સ્ટેશનની નજીક હોવાથી ત્યાં સતત લોકોની અવરજવર રહેતી હોય છે, જેના કારણે આગ જોતા જ લોકોમાં અફડાતફડી મચી ગઈ હતી. અફડાતફડીનો માહોલ સર્જાયો આગ લાગવાના સ્થળની નજીક જ ઇલેક્ટ્રિક ટાવર હોવાથી મોટી દુર્ઘટના થવાનો ભય સેવાઈ રહ્યો હતો. લોકો પોતાનો જીવ બચાવવા માટે આમતેમ દોડવા લાગ્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા અને તંત્રને જાણ કરી હતી. સદનસીબે, આગ વધુ ફેલાય તે પહેલા તેના પર કાબૂ મેળવવાના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા હતા. આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટને કારણે આ ઘટના બની હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભીડભાડવાળા વિસ્તારમાં બનેલી આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા કર્યા છે. હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ આ ઘટનાને કારણે બસ સ્ટેશન વિસ્તારમાં કલાકો સુધી તણાવભર્યો માહોલ રહ્યો હતો. આ પણ વાંચોઃ Surat: ઘરકંકાસનો લોહીયાળ અંજામ, પત્નીએ કરી પતિની નિર્મમ હત્યા

Read Full Story arrow_forward