Kheda: શ્રી સંતરામ મંદિરના મહાસુદ પૂનમના મેળાની તૈયારીઓનો ધમધમાટ
ચરોતરના સુપ્રસિધ્ધ શ્રી સંતરામ મંદિર, નડિયાદ ખાતે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના 195માં સમાધિ મહોત્સવ મહાસુદ પુનમ આગામી તા.1-02-26ને રવિવાર રોજ સાંજે દિવ્ય આરતી દર્શન અને સાકર વર્ષાનું આયોજન કરવામાં આવેલ છે. નડિયાદના સંતરામ મદિરે હાલ ગોવીંદ દેવગીરી મહારાજના મુખેથી શિવાજી કથાનો પ્રારંભ થયો છે. મહાસુદ પૂનમના પારંપરિક મેળાને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે અત્યારથી જ શહેરમાં મેળાની રોનક એવા વિવિધ ચકડોળ પણ લાગી ચૂક્યા છે. પૂનમના દિવસથી નડિયાદ શહેરમાં મેળાનો પ્રારંભ થતો હોય છે. મેળામાં ખેડા તેમજ આણંદ જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભાવિકો નડિયાદ શહેરના સંતરામ મંદિરમાં દર્શન તેમજ મેળો માણવા આવતા હોય છે. ત્યારે મેળામાં બાળકોથી લઈને મોટેરાઓનાં આનંદ - પ્રમોદ માટે અનેક રાઈડ્સ ગોઠવવામાં આવતી હોય છે. મેળા દરમિયાન ચકડોળની અલગ અલગ રાઈડ્સ લોકાર્ષણનું કેન્દ્ર બની રહેતી હોય છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward