android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Padma Awards 2026: ગૌસેવા અને સુરનો સંગમ: કચ્છના ગૌરવ 'હાજી રમકડું' ને પદ્મશ્રી સન્માન
calendar_today January 25, 2026

Padma Awards 2026: ગૌસેવા અને સુરનો સંગમ: કચ્છના ગૌરવ 'હાજી રમકડું' ને પદ્મશ્રી સન્માન

કહેવાય છે કે કલાને કોઈ સીમાડા હોતા નથી અને જ્યારે કલા સાથે લોકસેવા ભળે ત્યારે તે 'પદ્મશ્રી' જેવું સર્વોચ્ચ શિખર સર કરે છે. જૂનાગઢના વતની અને સમગ્ર વિશ્વમાં 'હાજી રમકડું' તરીકે જાણીતા મીર હાજીભાઈ કાસમભાઈને વર્ષ 2026ના પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. 9 વર્ષની ઉંમરે શરૂ થયેલી એક બાળકની સફર આજે 80 વર્ષની વયે દેશના સર્વોચ્ચ સન્માન સુધી પહોંચી છે. ભારત સરકાર દ્વારા વર્ષ 2026ના પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગુજરાતના અણમોલ રત્ન અને જાણીતા ઢોલક વાદક મીર હાજીભાઈ કાસમભાઈ જેમનું લોકપ્રિય નામ: 'હાજી રમકડું' છે, તેમને કલા ક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાન બદલ પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવશે. વારસાગત કલા અને 20,000 કાર્યક્રમોની સફર પોતાની આ સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરતા હાજીભાઈએ જણાવ્યું હતું કે, આ સફર મારા પિતાથી શરૂ થઈ હતી. મેં મારું આખું જીવન કલા અને સેવા માટે સમર્પિત કર્યું છે. અત્યાર સુધીમાં મેં 20,000 થી વધુ કાર્યક્રમો આપ્યા છે અને મંદિરોમાં પણ સેવા આપી છે. પદ્મશ્રી મળવાથી આજે મને અહેસાસ થાય છે કે, મારી જીવનની સફર સફળ થઈ ગઈ છે. કોમી એકતા અને ગૌસેવાના પ્રતીક હાજીભાઈ માત્ર એક કલાકાર નથી, પણ માનવતાના મશાલચી છે. હાજી રમકડું મુસ્લિમ હોવા છતાં હિન્દુ ધર્મની ભક્તિ પરંપરા અને ભજનો સાથે અભિન્ન રીતે જોડાયેલા છે. તેમણે છેલ્લા 4 દાયકાથી ગૌશાળાઓ અને ગૌસેવા માટે 3,000 થી વધુ કાર્યક્રમો કરી દાન એકઠું કર્યું છે. મંદિરોમાં સેવા આપતા હાજીભાઈ સાચા અર્થમાં સદ્દભાવ અને કોમી એકતાનું જીવંત ઉદાહરણ છે. ભજન, સંતવાણી અને કવ્વાલીમાં તેમની ઢોલકની થાપ ધર્મની સીમાઓ ઓળંગીને એકતાનો સંદેશ આપે છે. વારસાગત કલા અને સંઘર્ષની વાત હાજીભાઈને ઢોલક વગાડવાની કલા વારસામાં મળી છે. તેમના પિતા કાસમભાઈ પણ જાણીતા વાદક હતા. શરૂઆતના દિવસોમાં નાટક કંપનીઓ અને બેન્ડ પાર્ટીઓમાં ઢોલ વગાડનાર હાજીભાઈએ ક્યારેય વિચાર્યું નહોતું કે તેમની થાપ એક દિવસ વિદેશોના સ્ટેજ ગજવશે. તેમણે લગ્ન પ્રસંગો અને ફૂલેકાઓમાં ઢોલ વગાડીને પોતાની કલાને કંડારી છે. પ્રાણલાલ વ્યાસ સાથેની 25 વર્ષની અતૂટ સંગત ગુજરાતના પ્રખ્યાત ભજનિક પ્રાણલાલ વ્યાસ (પ્રાણબાપા) સાથે હાજીભાઈએ અઢી દાયકા સુધી સંગત કરી. ‘નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં’ જેવા અજરામર લોકગીતોમાં જ્યારે હાજી રમકડુંનું ઢોલક વાગતું, ત્યારે શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ જતા. હાજીભાઈ કહે છે, "પ્રાણબાપાએ મને કલાકાર તરીકે ઓળખ આપી. મેં ક્યારેય પૈસાની અપેક્ષા રાખી નથી, માત્ર તેમની ગાયકીને મારા ઢોલકથી જીવંત કરવાનો પ્રયાસ કર્યો છે." સમગ્ર વિશ્વમાં ગૂંજ્યો ગુજરાતનો ઢોલક રસધાર સંસ્થા સાથે જોડાઈને હાજીભાઈએ ડાયરાની સંસ્કૃતિને લોકપ્રિય બનાવી. દિવાળીબેન ભીલ અને લાખાભાઈ ગઢવી જેવા દિગ્ગજો સાથે કામ કરનાર હાજીભાઈએ અનેક ગુજરાતી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું છે. આજે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની કલાની કદર કરી છે, ત્યારે જૂનાગઢના ભીખાભાઈ જોષી સહિત સમગ્ર ગુજરાતના કલાપ્રેમીઓમાં ખુશીની લહેર દોડી ગઈ છે.https://x.com/ANI/status/2015386162786079037 વડાપ્રધાન મોદી સાથેનો અતૂટ નાતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારથી જ હાજીભાઈ પર તેમના આશીર્વાદ રહ્યા છે. હાજીભાઈએ ગદગદિત થઈને કહ્યું કે, નરેન્દ્રભાઈએ મારું જીવન સફળ બનાવી દીધું છે. તેઓ જ્યારે પણ મને મળતા ત્યારે હંમેશા આશીર્વાદ આપતા. આ પણ વાંચો - Padma Awards 2026 : આ ત્રણ ગુજરાતીઓને મળશે પદ્મશ્રી પુરસ્કાર, 45 લોકોની યાદી સામે આવી

Read Full Story arrow_forward
Bharuch: પોલીસને 2 વર્ષથી હાથતાળી આપતો વોન્ટેડ આરોપી મુકેશ ગોહિલ સુરતથી ઝડપાયો
calendar_today January 25, 2026

Bharuch: પોલીસને 2 વર્ષથી હાથતાળી આપતો વોન્ટેડ આરોપી મુકેશ ગોહિલ સુરતથી ઝડપાયો

ભરૂચ જિલ્લાની પેરોલ-ફર્લો સ્ક્વોડની ટીમે એક મહત્વના ઓપરેશનમાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપી મુકેશ કરશનભાઈ ગોહિલને સુરતથી દબોચી લીધો છે. ઝઘડિયા પોલીસ મથકના ગુનામાં સંડોવાયેલો આ આરોપી લાંબા સમયથી પોલીસને થાપ આપી રહ્યો હતો.પેરોલ-ફર્લો સ્ક્વોડનું એક્શન મોડભરૂચ જિલ્લા પોલીસ વડા દ્વારા પેરોલ-ફર્લો જમ્પ કરનારા અને લાંબા સમયથી વોન્ટેડ હોય તેવા ગુનેગારોને ઝડપી પાડવા માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સૂચનાના પગલે પેરોલ-ફર્લો સ્ક્વોડની ટીમ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે વોન્ટેડ આરોપીઓની શોધખોળ કરી રહી હતી.બાતમીના આધારે સુરતમાં દરોડોઝઘડિયા પોલીસ સ્ટેશનમાં એમ.વી. એક્ટ (Motor Vehicle Act) ની વિવિધ કલમો હેઠળ નોંધાયેલા ગુનામાં મુકેશ કરશનભાઈ ગોહિલ (રહે. સ્વેતરાજ સોસાયટી, વરાછા રોડ, સુરત) છેલ્લા બે વર્ષથી ફરાર જાહેર કરાયો હતો. પોલીસને પાકી બાતમી મળી હતી કે આરોપી હાલમાં સુરત ખાતે પોતાના નિવાસસ્થાને આવ્યો છે.આ બાતમી મળતા જ ભરૂચ પેરોલ-ફર્લો સ્ક્વોડની ટીમે સુરત ખાતે વોચ ગોઠવી હતી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપી મુકેશ ગોહિલને તેના ઘરેથી જ ઝડપી પાડ્યો હતો.આ પણ વાંચો: Padma Awards 2026: સદીઓ જૂની 'માણભટ્ટ' પરંપરાના રક્ષક ધાર્મિકલાલ પંડ્યાનું રાષ્ટ્રીય સન્માન

Read Full Story arrow_forward
Aravalli: હાથમતી નદીના નબળા ડાયવર્ઝનમાં ટ્રક ખાબકી, 'સંદેશ ન્યૂઝ'નો અહેવાલ સાચો ઠર્યો
calendar_today January 25, 2026

Aravalli: હાથમતી નદીના નબળા ડાયવર્ઝનમાં ટ્રક ખાબકી, 'સંદેશ ન્યૂઝ'નો અહેવાલ સાચો ઠર્યો

અરવલ્લી જિલ્લાના ભિલોડા પાસે હાથમતી નદી પર બનાવવામાં આવેલા કામચલાઉ ડાયવર્ઝન પર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. શામળાજી તરફ જઈ રહેલી એક ટ્રક ચાલકે કાબૂ ગુમાવતા ટ્રક સીધી નદીમાં ખાબકી હતી. આ અકસ્માતે તંત્રની બેદરકારી અને નબળા કામકાજની પોલ ખોલી નાખી છે.નબળા ડાયવર્ઝને સર્જ્યો અકસ્માતઘટનાની વિગત મુજબ, ભિલોડા પાસેથી પસાર થતી હાથમતી નદી પર બ્રિજનું કામ ચાલતું હોવાથી વાહનોની અવરજવર માટે સાઈડમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. શામળાજી તરફ જતી આ ટ્રક જ્યારે ડાયવર્ઝન પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રક પલટી મારીને નદીના પટમાં ખાબકી હતી. સદનસીબે, આ ગંભીર અકસ્માતમાં ટ્રક ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ થયો છે, જે મોટી રાહતની વાત છે.સંદેશ ન્યૂઝની ચેતવણીને તંત્રએ ઘોળીને પી લીધીનોંધનીય છે કે, સંદેશ ન્યૂઝ દ્વારા ગઈકાલે જ આ નબળા ડાયવર્ઝન અંગેનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. અહેવાલમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું હતું કે આ ડાયવર્ઝન અત્યંત જોખમી છે અને ગમે ત્યારે અહીં અકસ્માત સર્જાઈ શકે છે. તેમ છતાં, તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નહોતા, જેનું પરિણામ આજે આ અકસ્માત સ્વરૂપે જોવા મળ્યું છે.આ પણ વાંચો: પોલીસને 2 વર્ષથી હાથતાળી આપતો વોન્ટેડ આરોપી મુકેશ ગોહિલ સુરતથી ઝડપાયો

Read Full Story arrow_forward